________________
સપ્તમ ઉલ્લાસ-“મેક્ષ' અધિકાર
જૈન દર્શનમાં છવાદિ સાત તને નિર્દેશ કરાયો છે. આ પૈકી આપણે છ ને વિચાર કરી ગયા. આથી હવે ક્રમ પ્રાપ્ત સાતમા “મા” નામના તત્ત્વને અધિકાર વિચારાય છે.
સૌથી પ્રથમ મેહનીય કમને સોંશે ક્ષય થયા બાદ અંતમુહૂર્તમાં સમકાલે જ્ઞાનાવરણ, દશનાવરણ અને અંતરાયને ક્ષય થતાં કેવલજ્ઞાન અને કેવલઇનને પ્રાદુર્ભાવ થાય છે. અર્થાત્ આ મેહનીયાદિ ચાર મૂળ પ્રકૃતિને ક્ષય એ કેવલજ્ઞાનની ઉત્પત્તિના કારણરૂપ છે. મેક્ષ પ્રાપ્ત થયા પૂર્વે સર્વાગીય ઉપગની ઉત્પત્તિ જૈન શાસ્ત્રમાં અનિવાર્ય મનાઈ છે, એથી જ મિક્ષના સ્વરૂપના વર્ણનના પ્રારંભમાં આ સર્વજ્ઞત્વ અને સર્વદશિવરૂપ ઉપગ ક્યા કારણથી ઉદભવે છે તેને ઉલ્લેખ કરાય છે.
મેહનીયાદિ કર્મને કેવી રીતે ક્ષય કરાય છે એ હકીકત હવે વિચારાય છે. આપણે જોઈ ગયા છીએ તેમ આત્મ-પ્રદેશ અને કર્મ-પુદગલ એક બીજા સાથે મળી જાય તે “બંધ” કહેવાય છે. (૧) મિથ્યાદર્શન, (૨) અવિરતિ, (૩) પ્રમાદ, (૪) કષાય અને (૫) પેગ એ પાંચ બંધનાં કારણે છે. આ પાંચને નાશ થતાં નવીન કમનું આગમન બંધ પડે છે-નવીન બંધ અટકી જાય છે અને નિર્જરા વડે જૂનાં એટલે પૂર્વે બાંધેલાં કર્મનું પરિશાટન થાય છે. કહેવાનું તાત્પર્ય એ છે કે બંધના હેતુઓને અભાવ અને નિર્જરા એ કર્મના આત્યંતિક ક્ષયનાં કારણે છે.
મિથ્યાદશનાદિ હેતુઓને સમ્યદર્શન, વિરતિ, અપ્રમાદ, ક્ષમા, મૃદુતા, ઋજુતા, સંતોષ ઇત્યાદિ વડે નાશ કરી શકાય છે. આમ થતાં સમ્યક પ્રકારે સંવરથી વિભૂષિત બનેલ આત્માને નવીન કમને બંધ થતું નથી. વળી જૂનાં કર્મોને તે નિર્જરાની પૂર્વે સૂચવેલાં તપ વગેરે કારણથી ક્ષય કરાય છે. આ પ્રમાણે કમેને આત્યંતિક ક્ષય થતાં સમસ્ત દ્રવ્ય અને સમગ્ર પર્યાના ઉપર પ્રકાશ પાડનાર, પરમ એશ્વરૂપ અને અનંત એવાં કેવલજ્ઞાન અને કેવલદર્શનની પ્રાપ્તિ થાય છે. ત્યાર બાદ એ આત્મા શુદ્ધ, બુદ્ધ, સર્વજ્ઞ. કેવલી ઈત્યાદિ નામથી સંબોધાય છે. ત્યાર
૧ આથી સમજાય છે કે મોહનીય કર્મનું બળ સૌથી વધારે છે. એટલે એનો આત્યંતિક નાશ કર્યા પછી જ જ્ઞાનાવરણાદિનો નાશ શક્ય બને છે.
૨ આટલા વખત સુધીની અવસ્થા “છિદ્મસ્થ-વીતરાગતા ' તરીકે સુપ્રસિદ્ધ છે,
૩ એક વાર બાંધેલા કર્મનો કેઈક વેળા તે નાશ થાય છે જ, પરંતુ એ નાશ આત્યંતિક ગણાય તે માટે તે જાતનું કર્મ ફરીથી ન બંધાય તેમ થવું જોઈએ તેમજ જે તે જાતનું કમ હજી સત્તામાં હોય તે તેને નાશ થવો જોઈએ. આથી એ ફલિત થાય છે કે પૂર્વબદ્ધ કમને તેમજ નવા કર્મને બાંધવાની યોગ્યતાનો સર્વાશે અભાવ તે “ કર્મનો આત્યંતિક ક્ષય ' છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org