________________
૧૧૪૨
નજર-અધિકાર. કહેવાનું તાત્પર્ય એ છે કે જેઓ તીવ્ર કષાયના કદી ગુલામ ન બને, કિન્તુ કવચિત મંદ કષાયને વશ થાય તેઓ “કષાય-કુશીલ” કહેવાય છે. નિગ્રન્થનું લક્ષણ
वीतरागच्छद्मस्थस्वे सति एकसमयावस्थायीर्यापथकनिमित्तक ર નિ બંથરા ઢક્ષા (૭૬૮). અર્થાત વીતરાગ છમસ્થ છે એટલે કે બારમે ગુણસ્થાને વતતા હોઈ એક સમયની સ્થિતિ વાળા ઐયપથિક કમને અવકાશ આપનારા મુનિ “નિગ્રન્થ' કહેવાય છે. એટલે કે જેઓ સર્વજ્ઞ ન હોય, પરંતુ રાગ અને ષથી સર્વથા અલિપ્ત હોય અને જેઓ અંતમુહર્ત જેટલા ટૂંક વખતમાં સર્વજ્ઞતા પ્રાપ્ત કરનાર હોય તેઓ “નિગ્રન્થ” કહેવાય છે.
સ્નાતકનું લક્ષણ
प्रक्षालितसकलघातिकर्मपटलत्वे सति सयोगिशैलेश्यवस्थाप्रतिपन्नरूपत्वं स्नातकनिम्रन्थस्य लक्षणम् । (७५९ )
અર્થાત જેમણે સમસ્ત ઘાતિ-કમરૂપ પટલને જોઈ નાંખ્યું છે (અને તેમ કરી જેમણે સર્વજ્ઞતા પ્રાપ્ત કરી છે તેવા) તેમજ જેમણે સગી કે શેલેશી અવસ્થાને પ્રાપ્ત કરી છે તેઓ “સ્નાતક કહેવાય છે. ટૂંકમાં કહીએ તે સર્વજ્ઞરૂપ નિગ્રન્થ તે સ્નાતક” છે. લેશી એટલે શું?—
આ સંબંધમાં વિશેષ પ્રકાશ પડે તે માટે વિશેષા, (ગા. ૩૦૬૫-૩૦૬૭)ને અર્થ વિચાર સમુચિત સમજાય છે. “મેરુ” નામના શેલેશ યાને પર્વતરાજના જેવી અચલતા જે સ્થિરતામાં હોય તે “શૈલેશી” કહેવાય છે. તે અવસ્થૂ થા મિg a " એ ન્યાયથી આના તેણી એ પ્રાકૃત રૂપને અર્થ છે એટલે તે મહર્ષિ જે અવસ્થામાં લેસ્થા રહિત હોય તે શેલેશી અવસ્થા છે. અથવા પ્રાકૃત સંજ્ઞાને આશ્રીને સ્થિરતા વડે જે શૈલ યાને પર્વત જેવા જે મહર્ષિ તેની જે સ્થિરતા તે પણ ઉપચારથી “શૈલેશી' કહેવાય. અથવા શીલ એટલે સમાધાન યાને સમાધિ. તે નિશ્ચય-નયથી ઉત્કૃષ્ટ સમાધાનરૂપ હોવાને લીધે સર્વ સંવર છે. એને જે ઈશ તે શીલેશ અને તેની જે અવસ્થા તે “શૈલેશી” કહેવાય છે. પુલાકાદિ નિગ્રન્થની આઠ દષ્ટિએ સમીક્ષા–
પુલાકાદિ પાંચ પ્રકારના નિગ્રન્થની (૧) સંયમ, (૨) શત, (૩) પ્રતિસેવના, (૪) તીર્થ, (૫) લિંગ, (૬) વેશ્યા, (૭) ઉપપાત અને (૮) સ્થાન એમ આઠ દષ્ટિએ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org