________________
૧૧રક
નિર્જરા-અધિકાર ધ્યાને દરમ્યાન માનસિક વ્યાપાર માટે અવકાશ નથી. તેમ છતાં આને પણ ધ્યાન' તરીકે ગણાય તે માટે ધ્યાન એટલે કે એકાગ્રચિત્તાનિરોધ જ “ધ્યાન છે એમ નહિ, કિન્તુ શબ્દનો અર્થ વ્યાપક દષ્ટિએ વિચારવાનું છે. અર્થાત માત્ર સ્થલ કાયિક વ્યાપારને રોકવાનો પ્રયાસ તે પણ ધ્યાન” છે અને આત્મપ્રદેશોની નિષ્પકંપતા એ પણ ધ્યાન” છે.
આપણે અત્ર ધ્યાનને વ્યાપક અર્થ સૂચવ્યું તે વિચારતાં એ પ્રશ્ન ઉપસ્થિત થાય છે કે તેરમાં ગુણસ્થાનની શરૂઆતથી માંડીને તે તેના અંતમાં શરૂ કરાતા ગનિરોધ પર્વતની અવસ્થામાં કેઈ ધ્યાન હોય છે ખરૂ અને હેય તે તે કેવા પ્રકારનું છે? આને ઉત્તર બે રીતે અપાય છેઃ (૧) વિહરમાણુ સર્વજ્ઞની આ દશાને ધ્યાનાંતરકા કહી તે દરમ્યાન કેઈ જાતનું ધ્યાન સ્વીકારવામાં આવતું નથી. એટલે અધ્યાનીપણું એ દશામાં કબૂલ રખાય છે. (૨) એ દશામાં મન, વચન અને તનના વ્યાપાર સંબધી જે સુદઢ પ્રયાસ કરાય છે તેને જ ધ્યાન” તરીકે ઓળખાવાય છે.
આ પ્રમાણે બારમા ગુણસ્થાન પર્યતનું ધ્યાન તે સર્વજ્ઞપણે જીવન વ્યતીત કરનાર અવસ્થા દરમ્યાનના ધ્યાનથી જુદું છે અને એ તેરમા ગુણસ્થાનની અંતિમ અવસ્થાગત ધ્યાનથી પણ પૃથફ છે અને વળી ચૌદમા ગુણસ્થાનગત ધ્યાન તે એનાથી પણ નિરાળું છે. આ પ્રમાણે ધ્યાનના ચાર પ્રકારે પડે છે. અજૈન દર્શન પ્રમાણે ધ્યાનની વ્યાખ્યા- શ્વાસોચ્છવાસને સર્વથા રોકવાનો પ્રયાસ તે “ધ્યાન” છે એમ કેટલાકનું માનવું છે. વળી કેટલાક માત્રા દ્વારા કાલની ગણનાને પણ “ધ્યાન' માને છે. પરંતુ જૈન દષ્ટિ આ બેમાંથી એકને પણ ધ્યાન તરીકે સ્વીકારતી નથી. એનું કારણ એમ રજુ કરાય છે કે જે શ્વાચ્છવાસને સર્વથા નિરાધ કરાય તે શરીર ટકે જ નહિ, તે છેવટે પડે; વાસ્તે ધ્યાનસ્થ અવસ્થા દરમ્યાન પણ શ્વાસને સંચાર મંદ કે અત્યંત મંદરૂપે પણ હોવો જ જોઈએ.
માત્રા વડે કાલનું માપ કરતી વેળા ચિતની એકાગ્રતા સંભવતી નથી, કેમકે ધ્યાન વિષયક વસ્તુનું ધ્યાન ન કરાતાં ચિત્ત માત્રાની ગણતરી કરવામાં રોકાયેલું રહે છે એટલે કે આવી દશામાં ચિત્તની વ્યગ્રતા હોઈ તેને ધ્યાન”મનાય નહિ. ધ્યાનનું કાલ-પરિમાણ- જેમ ધ્યાનના સ્વરૂપ પરત્વે જૈન દષ્ટિ ઉપર્યુક્ત મંતવ્યથી જુદી પડે છે તેમ ધ્યાનના
૧ એ, ઈ, ઉ વગેરે હસ્વ સ્વરે પિકી ગમે તે એક બોલવામાં જેટલે વખત લાગે તે “માત્રા કહેવાય છે. સ્વર વિના કેવળ વ્યંજન બોલતાં જેટલો વખત લાગે તે “ અર્ધ માત્રા ' કહેવાય છે. માત્રા કે અર્ધ માત્રા જેટલે વખત જાણુવાન મહાવરો કર્યા બાદ બીજી ક્રિયાઓને વખત આ ધારા માપ તેને ' માત્રા વડે કાલની ગણના ' કહેવામાં આવે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org