SearchBrowseAboutContactDonate
Page Preview
Page 1204
Loading...
Download File
Download File
Page Text
________________ ઉલાસ ] આહંત દર્શન દીપિકા. ૧૧૨૫ કે ધ્યાન કરવા માટે અમુક અંશે માનસિક બળ જોઈએ અને એ માનસિક બળને આધાર અમુક અંશ જેટલાં શારીરિક બળ ઉપર રહેલો છે અને એટલું શારીરિક બળ ઉત્તમ સંહનનવાળી જ વ્યક્તિમાં હોય છે, તેથી તેને જ ધ્યાનના અધિકારી તરીકે અત્ર નિદેશેલ છે. કહેવાનો મતલબ એ છે કે માનસિક બળને મુખ્ય આધાર શરીર છે જ અને શારીરિક બળને આધાર શરીરના બંધારણ ઉપર અવલંબિત છે, તેથી જેટલે અંશે શારીરિક બંધારણ નબળું હોય તેટલે અંશે મને બળ પણ ઓછું હોય અને જે ટલે અંશે મને બળમાં ન્યૂનતા હોય તેટલે અંશે ચિત્તની એકાગ્રતામાં ખામી આવે. આથી અનુત્તમ સંહનનવાળી વ્યક્તિને ધ્યાનના અધિકારીની કક્ષામાંથી બહિષ્કાર કરી છે–અલબત્ત આવી વ્યક્તિ થી ઘણી એકાગ્રતા સેવી શકે છે, પરંતુ તે ધ્યાન તરીકે ગણાય તેટલી નથી. છવાસ્થનું અને સર્વજ્ઞનું ધ્યાન– કોઈ દીપકને જુદી જુદી દિશામાંથી પવન લાગતું હોય ત્યારે તેની શિખા જેમ અસ્થિર હોય છે તેવી રીતે ક્ષણમાં એક, ક્ષણમાં બીજા અને ક્ષણમાં ત્રીજા વિષય વિષેનું ચિન્તન અસ્થિર હોય છે એ જ્ઞાનધારા એકાગ્ર હેતી નથી; વાસ્તે આ જ્ઞાનધારાને વિશેષ પ્રયાસ પૂર્વક અનેક વિષયોના વિષયરૂપ બનાવતી અટકાવવી અને તેને એક જ વિષય વિષે એતપ્રત કરવી તે ધ્યાન છે. ધ્યાનનું આ સ્વરૂપ છમસ્થ આશ્રીને જ સંભવે છે, તેથી આવા પ્રકારનું દયાને બારમાં ગુણસ્થાનક સુધી હોય છે. આ પ્લાનને પ્રસ્તુત ગ્રંથકારે નિચળ, સ્થિર, અધ્યવસાન અને એક પદાર્થ વિષયક સૂચવ્યું છે. સર્વને મન હેતું નથી. વળી જેમણે સર્વજ્ઞતા પ્રાપ્ત કરી છે તેમને માનસિક વ્યાપાર હેતે નથી, કારણ કે તેઓ સર્વ ઇન્દ્રિથી નિરપેક્ષ છે. આથી સર્વસને યોગને નિરોધ એ જ ધ્યાન” છે. એમને એકાગ્રચિન્તાનિરોધરૂપ ધ્યાન નથી. સ્પષ્ટ શબ્દોમાં કહીએ તે તેરમા અને ચૌદમા ગુણસ્થાનેમાં ધ્યાન સ્વીકારવામાં આવ્યું છે ખરૂં, પરંતુ તેનું સ્વરૂપ છમસ્થ વિષયક ધ્યાનથી જુદું છે. તેમાં ગુણસ્થાનના અંતમાં માનસિક, વાચિક અને કાયિક વ્યાપારના નિરધનું કાર્ય શરૂ કરાય છે ત્યારે સ્થલ કાયિક વ્યાપારના નિરોધ પછી સૂક્ષમ કાયિક વ્યાપારના અસ્તિત્વ વખતે “સૂક્ષ્મક્રિયાપ્રતિપાતિ' નામનું ત્રીજા પ્રકારનું શુકલ ધ્યાન સ્વીકારવામાં આવ્યું છે અને ચૌદમાં ગુણસ્થાનકમાં સંપૂર્ણ અગી દશામાં શિલેશીકરણ વખતે “સમુચ્છિન્નક્રિયાનિવૃત્તિ” નામનું ચેથા પ્રકારનું શુકલ ધ્યાન સ્વીકારાયું છે. આ બંને ૧ આને ક્રમ એવો સૂચવાય છે કે ભૂલ કાયિક વ્યાપારના આશ્રયથી વચન અને મનના પૂલ વ્યાપારને સૂક્ષ્મ બનાવવામાં આવે છે. ત્યારપછી વચન અને મનના સક્ષમ વ્યાપારને અવલંબીને શરીરનો સ્થૂલ વ્યાપાર સૂમ બનાવાય છે. ત્યારબાદ શરીરના સૂક્ષ્મ વ્યાપારને અવલંબીને વચન અને મનના સૂકમ વ્યાપારનો વિરોધ કરાય છે અને અંતે શરીરના સૂક્ષ્મ વ્યાપારને પણ નિરાધ કરાય છે, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004886
Book TitleArhat Darshan Dipika
Original Sutra AuthorN/A
AuthorMangalvijay, Hiralal R Kapadia
PublisherYashovijay Jain Granthmala
Publication Year1932
Total Pages1296
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy