________________
હરલાસ ] આહત દાન દીપિકા.
૧૧૨૩ અર્થાત ગ્રંથ અને અર્થને મનથી અભ્યાસ કરે તે “અનુપ્રેક્ષા છે. શબ્દપાઠ કે અર્થ જેનું પહેલા અધ્યયન કર્યું હોય તેને સંભારી જવું–તેનું મનથી ચિંતન કરવું–તેનું રહસ્ય વિચારવું તે
અનુપ્રેક્ષા ” છે. આમ્નાયનું લક્ષણ
. उदात्तादिघोषपरिशुद्धिपूर्वकपरावर्तनरूपत्वमाम्नायस्य लक्षणम् । (૭૦), અર્થાત્ ઉદાત્ત વગેરે જાતના શેષની શુદ્ધિ પૂર્વક પરાવર્તન કવું તે ‘આમ્નાય છે.આને પરાવર્તન પણ કહેવામાં આવે છે. શીખેલ વસ્તુના ઉચ્ચારનું શુદ્ધિપૂર્વક પુનરાવર્તન એ એને વિષય છે. ધર્મોપદેશનું લક્ષણ
श्रुतचारित्रलक्षणात्मकस्य धर्मस्योपदेशरूपत्वं धर्मोपदेशस्य लक्षગમ (૭૨૨). અથત શ્રત અને ચારિત્રરૂપ ધમને ઉપદેશ આપે તે “ધર્મોપદેશ” છે. એટલે કે જાણેલ વસ્તુનું રહસ્ય સમજાવવું કે કમકથા કરવી તે “ધર્મોપદેશ' છે.
યુલ્સગ–
શાસ્ત્રમાં કહેલ વિધિ અનુસાર સંસક્ત અને અસંસત એવાં અન્ન, પાન, વસ્ત્ર, પાત્ર વગેરેને ત્યાગ કરવો તે “યુત્સર્ગ ” છે. ત્યાગવાની વસ્તુની દ્વિવિધતાને લઈને આના બાહ્ય અને આત્યંતર એમ બે પ્રકાર પાડવામાં આવ્યા છે. તેમાં બાહ્ય વ્યુત્સર્ગનું લક્ષણ એ છે કે
पर्यन्तकालं परिज्ञायौधिकोपग्राहिकोपधिशरीरादीनां परित्यागરાજલ જાહપુરતી ક્ષણમ્ (૨૨) અર્થાત્ આયુષ્યને અંત સમીપ આવેલે જાણીને ઔધિક અને ઔપચાહિક ઉપધિઓ, શરીર વગેરે (બાહ્ય વસ્તુઓ ને ત્યાગ કરે તે “બાહ્ય વ્યુત્સર્ગ” છે.
૧ ઘોષના ( અ ) ઉદાત્ત, (આ) અનુદાત્ત અને ( છ ) સ્વરિત એમ ત્રણ પ્રકારે છે. તેમાં ઊંચા સ્વરે બોલવામાં આવે તે “ ઉદાત્ત ', નીચા સ્વરે બેલાય તે “ અનુદાત્ત ” અને નહિ એકદમ ઉંચા કે નહિ એકદમ નીચા એવા અર્થાત્ મધ્યમ સ્વરે બોલાય તે “ સ્વરિત '.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org