SearchBrowseAboutContactDonate
Page Preview
Page 1194
Loading...
Download File
Download File
Page Text
________________ ઉલ્લાસ ] આહત દર્શન દીપિકા. ૧૧૧૫ કિન્તુ જિનાગમ એને ક્ષા પશિમક ભાવરૂપ બતાવે છે. વળી એ પાઠ પણ મળી આવે છે. જેમકે " 'खंताइसाहुधम्भे तवगहणं सो य खओवस मियंमि । માવ િવિનિgિો વારો.સુવર્વ ” અર્થાત્ શાંતિ વગેરે સાધુના ધર્મમાં તપશ્ચર્યાનું ગ્રહણ પણ ક્ષાપથમિક ભાવમાં દર્શાવેલ છે અને દુખ તે ઔદયિક ભાવમાં જ જણાવેલ છે. આથી એ ફલિત થાય છે કે જે તપશ્ચર્યા દુઃખરૂપ હોત તો જરૂર તેને પણ ઓયિક ભાવરૂપે નિર્દેશ કરાયો હોત, પરંતુ તેમ થયું નથી ઉલટું એને ક્ષાપથમિક ભાવરૂપે જ સ્પષ્ટ ઉલ્લેખ મળી આવે છે. આવી પરિસ્થિતિમાં જૈન તપશ્ચર્યા દુઃખરૂપ જ છે એમ માનવા કર્યા વિદ્વાન પ્રેરાય ? હવે આભ્યન્તર તપના સ્વરૂપનું લક્ષણ અને વિધાન પૂર્વક પ્રતિપાદન કરવામાં આવે છે. તેમાં આત્યંતર તપનું લક્ષણ એ છે કે – अतिशयेन कर्मनिर्दहनसमर्थरूपत्वमाभ्यन्तरतपसो लक्षणम् । અર્થાત કમને બાળવામાં અત્યંત સમર્થ તપને “આત્યંતર તપ” કહેવામાં આવે છે. આના પણ બાહા તપની જેમ છ પ્રકારો પડે છે. જેમકે (૧) પ્રાયશ્ચિત્ત, (૨) વિનય, (૩) વૈયાવૃત્ય, (૫) ઉત્સર્ગ અને (૬) ધ્યાન. આ પ્રત્યેકનું લક્ષણ વિચારીએ તે પૂર્વે બાહ્ય અને આત્યંતર તપ વચ્ચેનો તફાવત ધી લઈએ. એ તે સુપ્રસિદ્ધ વાત છે કે વિષયવાસનાઓને વિનાશ કરવા વાસ્તે આધ્યાત્મિક બળની આવશ્યકતા છે. એ બળ કેળવવા માટે શરીર, ઇન્દ્રિય અને મનને જે તાપણીમાં તપાવાય છે તેનું નામ “તપ” છે. જે તપમાં શારીરિક ક્રિયાની મુખ્યતા હોય અને જે પ્રધાનતઃ બાહ્ય દ્રવ્ય ઉયર અવલંબિત હાઈ બીજાઓ વડે દેખી શકાય તે “બાહા તપ” છે, જ્યારે જે તપમાં માનસિક કિયાની મુખ્યતા હોય અને જે પ્રધાનતઃ બાહ્ય દ્રવ્યની અપેક્ષા નહિ રાખનારું હેઈ અન્યને દષ્ટિગોચર ન થાય તે “આત્યંતર તપ છે. આથી સામાન્યપણે એમ કહી શકાય કે બાહ્ય તપ સ્થળ અને લૌકિક છે, જ્યારે આત્યંતર તપ સૂક્ષમ અને અલૌકિક છે. આત્યંતર તપની પુષ્ટિ કરવામાં બાહ્ય તપ ઉપાગી છે. એથી કરીને તે એનું મહત્વ અંકાય છે. આ બંને પ્રકારનાં તપમાં સમસ્ત છૂળ તેમજ સૂકમ ધાર્મિક નિયમને અંતર્ભાવ થાય છે. ૧ છાયા शान्त्यादिसाधधमें तपोग्रहणं तश्च क्षायोपशमिके। ૨ આ સંબંધમાં વિશેષ માહિતી માટે જુઓ પંચલિંગીની ટીકાનાં ૧૭ ૩–૧૩૫ પત્રો, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004886
Book TitleArhat Darshan Dipika
Original Sutra AuthorN/A
AuthorMangalvijay, Hiralal R Kapadia
PublisherYashovijay Jain Granthmala
Publication Year1932
Total Pages1296
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy