SearchBrowseAboutContactDonate
Page Preview
Page 119
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૦ જીવ–અધિકાર [ પ્રથમ પિતા વિના પુત્રની ઉત્પત્તિ હોઈ શકે કે? વળી અટક પિતાના સિવાય બીજા સમસ્ત જીને અપ્રત્યક્ષ છે એમ તે ચાર્વાક જ્યારે પિતે સર્વજ્ઞ હોય તો જ કહી શકે. આ ઉપરથી આ વિકલ્પ પણ યુક્તિ-વિકલ છે એમ સમજાય છે. અદઈ જેવી વસ્તુ છે, એ વાત યુક્તિઓ દ્વારા સિદ્ધ થઈ શકે છે કે નહિ એવા તૃતીય વિકલ્પ પરત્વે હવે વિચાર કરવામાં આવે છે. જેઓ એમ કહે છે કે તર્કો વડે આ વાત સિદ્ધ થઈ શકે છે, તેનું ખણ્ડન કરવા ચાર્વાક તૈયાર થાય છે અને પિતાની સમજ પ્રમાણે તે દૂષણે રજુ કરે છે. પ્રથમ ચાર્વાક એમ પૂછે છે કે આ અદષ્ટ સનિમિત્તક છે કે અનિમિત્તક? જો તે અનિમિત્તક માનશે, તે અદણ સર્વદા વિદ્યમાન જ રહેશે કે સર્વદા અવિદ્યમાન જ રહેશે (જુઓ ૧૬ મા પૃષ્ઠનું ટિપ્પણ ). હવે અદષ્ટને સનિમિત્તક માનવામાં આવે. તે ચાર્વાક એમ કહે છે કે આ અદષ્ટનું નિમિત્ત અષ્ટાન્તર ( અન્ય અદg), રાગ-દ્વેષાદિ કષાયની મલિનતા કે હિંસાદિ ક્રિયા એ ત્રણમાંથી એક હોઈ શકે. જે આ અદષ્ટનું નિમિત્ત અદાણાન્તર માનવામાં આવે, તે અનવસ્થારૂપ હષણ આવી પડે છે; અને જે રાગ-દ્વેષાદિ કષાયની મલિનતાને નિમિત્ત તરીકે સ્વીકારવામાં આવે, તે સમસ્ત સંસારી જે રાગ-દ્વેષાદિ કષાયથી કલુષિત હવાને લીધે કઈ પણ કાળે કઈ પણ જીવ કર્મ (અદષ્ટ) સહિત બને જ નહિ અર્થાત્ મુક્તિને અભાવ માનવાને પ્રસંગ પ્રાપ્ત થાય છે. આથી કરીને અદષ્ટનું નિમિત્ત હિંસાદિ ક્રિયા છે, એમ માનવામાં આવે છે તે અશક્ય છે, કેમકે પાપના હેતુરૂપે મનાતી હિંસાદિ કિયા અને પુણ્યના કારણરૂપે ગણાતી અહંત-પૂજાદિ ક્રિયામાં વ્યભિચાર ઉદ્દભવે છે. જેમકે અનેક પશુપંખીને કારણ વિના વધ કરનાર તેમજ પિતા, માતા, પુત્ર, મિત્રાદિને દ્રોહ કરનાર એ ભયંકર પાપી પણ રાજલક્ષ્મી ભગવતે જોવામાં આવે છે અને સર્વ જી ઉપર કરૂણાની દષ્ટિએ જેનારે, સત્કાર્ય કરનાર, અન્ત-પૂજાદિ ક્રિયામાં ભાગ લેનારો એ પુણ્યાત્મા પણ અનેક ઉપદ્રવ ભગવતે જોવાય છે એટલું જ નહિ, પણ તેને દારિદ્રયાદિ અનેક સંકટમાંથી પસાર થવું પડે છે. આ પ્રમાણે જે જે દૂષણો અત્રે ઉપસ્થિત કરવામાં આવ્યા છે, તેનું હવે નિરાકરણ વિચારવામાં આવે છે. અદષ્ટનું નિમિત્ત અછાન્તર છે એમ સ્વીકારવાથી અનવસ્થા દૂષણ આવી પડે છે, એમ જે કહેવામાં આવ્યું છે, તેના સંબંધમાં સમજવું કે અનવસ્થા સર્વત્ર દૂષણરૂપ નથી અર્થાત્ આ સ્થાને તે એ અનવસ્થા ઈષ્ટ છે, ભૂષણરૂપ છે, કેમકે બીજ અને વૃક્ષ એમાંથી વૃક્ષની પૂર્વે બીજ, તેની પૂર્વે વૃક્ષ, તેની પૂર્વે બીજ, એ પ્રમાણેની અનન્ત ક૯૫ના ઇષ્ટ છે. વળી જે એમ કહેવામાં આવ્યું કે કેઈને પણ કર્મને અભાવ થઈ શકશે નહિ એ વાત આગળ ઉપર વિચારીશું. વિશેષમાં પાપી મેજ-મઝામાં પોતાના દિવસો પસાર કરે છે, જ્યારે ધમીને ઘેર ધાડ પડે છે, એમ કહી જે હિંસાદિ ક્રિયામાં વ્યભિચાર દર્શાવવામાં આવ્યો છે, તે અસ્થાને છે. કારણ કે પાપી મેજ શેખ ઉડાવે છે, તેમાં તેનું પૂર્વ ભવનું પુણ્ય કારણરૂપ છે અને આ ભવમાં જે પાપ કરે છે તેનું દુ:ખદાયી ફળ તે તે અવશ્ય ભવિષ્યમાં ભેગવનાર છે. એ જ પ્રમાણે ધર્મી દુઃખી જીવન ગાળે છે, તેનું કારણ તેને પૂર્વે કરેલ કુકમને વિપાક છે, જ્યારે આ ૧ આ સંબંધમાં વિશેષ વિચાર ચતુર્થ ઉલ્લાસમાં કરવામાં આવનાર છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004886
Book TitleArhat Darshan Dipika
Original Sutra AuthorN/A
AuthorMangalvijay, Hiralal R Kapadia
PublisherYashovijay Jain Granthmala
Publication Year1932
Total Pages1296
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy