________________
ષષ્ટ ઉલ્લાસ- નિર્જરા” અધિકાર
હવે નિર્જરાના સ્વરૂપનું લક્ષણ અને વિધાન પૂર્વક પ્રતિપાદન કરવામાં આવે છે. તેમાં નિજાનું લક્ષણ આપણે ૧૦૮૬ મા પૃષ્ઠમાં વિચારી ગયેલા નિર્જરા–ભાવનાના લક્ષણથી વનિત થાય છે, છતાં પ્રકરણવશાત્ અત્રે ફરીથી તેને નીચે મુજબ નિર્દેશ કરાય છે – - परिपक्वभूतानां कर्मावयवानामात्मप्रदेशेभ्यः परिशाटनरूपत्वं નિરાશા અક્ષણમ્ (૬૮૦).
અર્થાત પરિપકવ થયેલાં કર્મનાં અવયનું આત્મ-પ્રદેશથી ખરી પડવું તે નિર્જર” છે. આ નિર્જરા તપ દ્વારા થાય છે. તપનું લક્ષણ એ છે કે
अभिनवकर्मप्रवेशाभावरूपत्वे सति पूर्वोपार्जितकर्मपरिक्षयरूपत्वं તપતો હૃક્ષણમ્ (૬૮) અર્થાત નવીન કર્મના પ્રવેશને જેને વિષે અભાવ હેય-જે દરમ્યાન નૂતન કર્મ ન બંધાય અને જે દ્વારા પૂર્વે ઉપાર્જન કરેલાં કર્મને ક્ષય થાય તે “તપ” કહેવાય છે. તપ કરવાથી કમ આત્મ–પ્રદેશથી વિખૂટાં પડી જાય છે. અર્થાત્ કર્મને રસ સૂકાઈ જતાં તે નિરનેહ બને છે અને તેથી કરીને તેનું બન્ધથી પરિશાટન થાય છે.
ઉપર્યુક્ત તપ કરવાથી સંવર અને નિર્જરા એમ બંને થાય છે. જેમકે અનશનાદિ (બાહા ) તપ તેમજ પ્રાયશ્ચિત્ત, ધ્યાન વગેરે ( આત્યંતર) તપ કરવાથી જરૂર આશવનું દ્વાર બંધ થઈ જાય છે અર્થાત્ સંવરની પ્રાપ્તિ થાય છે, અને જીણું કર્મ ખરી પડે છે એટલે નિરા થાય છે.
તપના મુખ્ય બે ભેદ છે –(૧) બાહ્ય અને (૨) આત્યંતર. તેમાં વળી બાહ્ય તપના (૧) અનશન, (૨) અમદર્ય, (૩) વૃત્તિપરિસંખ્યાન, (૪) રસપરિત્યાગ, (૫) વિવિક્તશાસન અને (૬) લીનતા એમ છ પ્રકારે ગ્રંથકારે સૂચવ્યા છે. આ પ્રત્યેકનું સ્વરૂપ લક્ષણ દ્વારા વિચારીએ તે પૂર્વે આ બાહ્ય તપના પ્રકારો પર થોડેક ઊહાપોહ કરી લઈએ.
તત્વાર્થ (અ. ૯) ના નિમ્નલિખિત
" अनशनावमौदर्यवृत्तिपरिसङ्ख्यानरसपरित्यागविविक्तशय्यासनकाપર વાઈ તા ૨૧ એ છે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org