SearchBrowseAboutContactDonate
Page Preview
Page 1181
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧૦૨ સંવર-અધિકાર [ પંચમ કાળ- આ મુનિઓને જન્મ-કાલ અવસર્પિણીને ત્રીજો અથવા ચેથા તેમજ ઉત્સર્પિણીને બીજ, ત્રીજો કે ચોથો આરે છે. સદ્દભાવ તે અવસર્પિણીના પાંચમા આરામાં પણ હેય. ચારિત્ર–સામાયિક અને છેદેપસ્થાપનીય ચારિત્રનાં સંયમ-સ્થાનેથી ચાને અધ્યવસાય-સ્થાનથી ઉપરનાં અસંખ્ય લોકપ્રદેશનાં જેટલાં પરિહારવિશુદ્ધિનાં સંયમ-સ્થાને છે. આ પૈકી ગમે તેમાં વર્તતા જીવને આ ચારિત્ર હોય છે. તીર્થ— જિનેશ્વરના શાસનની વિચછેદ-અવસ્થામાં કે તીર્થ ન પ્રવર્તાયું હોય તેવા કાળમાં આવા મુનિઓ ન હોય. તીર્થંકરના પ્રવર્તમાન શાસનમાં જ તેઓ હોય પર્યાય- જેમને ગૃહસ્થ–પર્યાય ઓછામાં ઓછા ૨૯ વર્ષને હોય અને વધારેમાં વધારે દેશ ઊન પૂર્વ કેટિનો હોય અને જેમનો જધન્ય યતિ-૫ર્યાય ૨૦ વર્ષનો અને ઉકષ્ટ દેશ ઊન પૂર્વ કેટિવર્ષને હેાય તેવા મુનિ આ ચારિત્ર અંગીકાર કરી શકે છે. આગમ–નવીન આગમ ન ભણાય, કિન્તુ અધ્યયન કરેલને અભ્યાસ ચાલુ રખાય. વેદ– આ ચારિત્રના ધારક રી-વેલી ન હોઈ શકે એટલે જ્યાં તે એઓ પુરુષ–વેદી હોય કે નપુંસક-વેદી હેય. કલ્પ– આ ચારિત્રશાળી મુનિ સ્થિતકલ્પી જ હોઈ શકે, નહિ કે અસ્થિતકલ્પી. લિગ– દ્રવ્યલિંગ અને ભાવલિંગ બને આ ચારિત્રધારીને હાય. લેશ્યા– કલ્પ અંગીકાર કરતી વેળા ત્રણ શુભ લેશ્યા હોય, પરંતુ ત્યાર બાદ છ એ પણ હેય. કર્મ-પરિણામ વિચિત્ર હેઈ અશુભ લેશ્યાઓને પણ ઉદય થાય, કિન્તુ તે અત્યંત સંકિલષ્ટ કે ચિરકાલીન ન હોય. ધ્યાન- આ ચારિત્ર અંગીકાર કરતી વેળા ધર્મ-ધ્યાન હેાય. ત્યાર બાદ આત અને રૌદ્ર ધ્યાન પણ હોય. તીવ્ર કર્મના પરિણામરૂપે અશુભ યોગોની ઉત્કૃષ્ટ દશામાં આર્તતા કે રિદ્રતા પ્રાપ્ત થાય, પરંતુ તે પ્રાયઃ નિરનુબંધ હાય. ગણું ઓછામાં ઓછા ત્રણ ગણુ અને વધારેમાં વધારે સો ગણુ અંગીકાર--કાલે હોય અને ત્યાર બાદ જઘન્યથી તેમજ ઉત્કૃષ્ટથી સેંકડો ગણે હેય, તેમાં પુરુષની જઘન્ય સંખ્યા ૨ની હોય અને ઉત્કૃષ્ટથી ૧૦૦૦ની હોય, ત્યારપછી પરિહારવિશુદ્ધિમાં વર્તતા એવા પુરુષે જઘન્યથી સેંકડો હેય અને ઉત્કૃષ્ટથી હજારે હોય. પ્રવેશ કરનાર અને નીકળનાર બંનેની સમકાલે જઘન્ય સંખ્યા એકની અને ઉત્કૃષ્ટ પૃથકત્વની હેય. -- - ( ૧ આ ઉપરથી એ વાત સ્પષ્ટ થાય છે કે જેમણે આ ઉમર પૂર્વ દીક્ષા લીધી હોય તેમને માટે આ ચારિત્રના દ્વાર બંધ છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004886
Book TitleArhat Darshan Dipika
Original Sutra AuthorN/A
AuthorMangalvijay, Hiralal R Kapadia
PublisherYashovijay Jain Granthmala
Publication Year1932
Total Pages1296
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy