SearchBrowseAboutContactDonate
Page Preview
Page 1180
Loading...
Download File
Download File
Page Text
________________ ઉલ્લાસ ] આત દર્શન દીપિકા. ૧૧૦૧ છે. આ ચારિત્રના (૧) નિર્વિશ્યમાનક અને (૨) નિર્વિષ્ટકાયિક એમ બે પ્રકારે પડે છે. તેમાં નિર્વિશ્યમાનક એટલે ભગવાતું અને નિર્વિષ્ટકાયિક એટલે જેમણે વિશિષ્ટતપના અનુષ્ઠાન દ્વારા શરીરને ભેગવ્યું હોય તે આને સ્પષ્ટ બોધ થાય તે માટે થોડુંક વિવરણ ઉમેરીશું. આ ચારિત્રની વિશેષતા એ છે કે એમાં કેટલીક વિશિષ્ટ પ્રકારની તપશ્ચર્યા કરવામાં આવે છે કે જે હકીકત પરિવારને તપવિશેષ એ અર્થ વિચારતાં સહજ હુરે છે. નવ મુનિઓને સમૂહ હોય છે. તેમાં એક વાચનાચાર્ય થાય છે. ચાર મુનિઓ તપશ્ચર્યા કરે અને ચાર મુનિઓ એમનું વૈયાવૃત્ય કરે–એમની સારવાર કરે. એમાં જેઓ તપશ્ચર્યા કરતા હોય તેઓ તે વખતે નિર્વિશ્યમાનક' કહેવાય છે અને એ તપશ્ચર્યા પૂર્ણ થતાં તેઓ નિવિષ્ટકાયિક” કહેવાય છે. ગ્રીષ્મ ઋતુમાં જઘન્ય તપશ્ચર્યા તરીકે ઉપવાસ, મધ્યમ તરીકે છ અને ઉત્કૃષ્ટ તરીકે અમ, શિશિર ઋતુમાં જઘન્ય તરીકે છઠ્ઠ, મધ્યમ તરીકે અમ અને ઉત્કૃષ્ટ તરીકે દશમ યાને ચાર ઉપવાસ, વર્ષા ઋતુમાં જઘન્ય તરીકે અ૬મ, મધ્યમ તરીકે દશમ અને ઉત્કૃષ્ટ તરીકે દ્વાદશ ભક્ત યાને પાંચ ઉપવાસ છે. દરેક પારણે આચાર્લી હોય. સાત પ્રકારની શિક્ષા પૈકી છેલ્લી પાંચનું ગ્રહણ અને તેમાં પણ બેને અભિગ્રહ હોય. આ પ્રમાણે છ મહિના સુધી તપશ્ચર્યા કર્યા બાદ વૈયાવૃત્ય કરનારા ચાર મુનિએ આ જ વિધિ પ્રમાણે છ મહિના તપ કરે. એ વેળા નિવિષ્ટકાયિક મુનિઓ એ નિર્વિશ્યમાનકની સારવાર કરે. તેમની છ માસની તપશ્ચર્યા પૂર્ણ થતાં વાચનાચાર્ય છ મહિના સુધી તપ કરે અને આઠ નિર્વિષ્ટકાયિક મુનિઓ એમનું વૈયાવૃત્ય કરે. એ પ્રમાણે કુલ ૧૮ મહિના પૂર્ણ થતાં આ નવ મુનિ જિનકલ્પીને માર્ગ અંગીકાર કરે અથવા તે ફરીથી ગચ્છમાં દાખલ થાય. આ પરિહારવિશુદ્ધિ-ચારિત્રને અંગે એ ધ્યાનમાં રાખવું જોઈએ કે આ ચારિત્ર તીર્થકરની પાસે અથવા તે તેમની પાસે જેમણે આ ચારિત્ર લીધું હોય તેમની પાસે લઈ શકાય છે, કિન્તુ બીજા સામાન્ય મુનિઓ પાસે નહિ. આ ચારિત્ર વીસ અપેક્ષાએ વિચાર કરી શકાય છે. આ વિસનાં નામ નીચે મુજબ છે – (૧) ક્ષેત્ર, (૨) કાળ, (૩) ચારિત્ર, (૪) તીર્થ, (૫) પર્યાય, (૬) આગમ, (૭) વેદ, (૮) કલ્પ, (૯) લિંગ, (૧૦) લેશ્યા, (૧૧) ધ્યાન, (૧૨) ગણુ, (૧૩) અભિગ્રહ, (૧૪) પ્રવજ્યા, (૧૫) મુંડાપન, (૧૬) પ્રાયશ્ચિત્ત-વિધિ, (૧૭) કારણ, (૧૮) નિષ્પતિકતા, (૧૯) ભિક્ષા અને (૨૦) બંધ. ક્ષેત્ર- પરિહારવિશુદ્ધિ-ચારિત્ર અંગીકાર કરનારનું જન્મક્ષેત્ર પાંચ ભરત અને પાંચ ઐરાવત પૈકી ગમે તે હોઈ શકે, કિન્તુ મહાવિદેહ તે નહિ જ. પરિહાર-કલ્પ અંગીકાર કરનારનું ક્ષેત્ર પણ મહાવિદેહ તે નહિ જ. વળી જેમ જિનકલ્પીનું સંહરણ થવાથી સર્વ ક્ષેત્રોમાં તેમની પ્રાપ્તિ સંભવે છે તેમ આ ચારિત્રવાળા મુનિઓનો સંભવ છે એમ ન માનવું, કેમકે તેમનું સંહરણ થતું નથી. ૧ (અ ) અસંસ્કૃષ્ટ ( આ ) સંસ્કૃષ્ટ, (ઈ) ઉદ્દધૃત, (ઈ) અલ્પપત, (3) ઉદ્દગૃહીત, ( 9 ) પ્રગૃહીત અને ( 8 ) ઉઝિતધર્મ એ સાત પ્રકારે છે. જુઓ પ્રવચનસારે ( ગા. ૭૩૮-૭૪૩ ). Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004886
Book TitleArhat Darshan Dipika
Original Sutra AuthorN/A
AuthorMangalvijay, Hiralal R Kapadia
PublisherYashovijay Jain Granthmala
Publication Year1932
Total Pages1296
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy