SearchBrowseAboutContactDonate
Page Preview
Page 1175
Loading...
Download File
Download File
Page Text
________________ સંવર-અધિકાર [ પંચમ નિસંગી છું, છતાં પણ ધર્મ, અધમ, દેવ, નારક વગેરેને હું જોઈ શકતા નથી તેથી આ બધું મૃગતૃષ્ણુિકા જેવું હોવું જોઇએ એવો કુતક ઊઠાવ એ “અદર્શન-પરીષહ” છે. આને સહન કરવા ઈચ્છનારે એમ વિચારવું જોઈએ કે જે ધર્મ અને અધર્મ એ પુણ્ય અને પાપરૂપ હોઈ કર્મમુદ્દગલરૂપ છે તે તેનું અસ્તિત્વ તેનાં કાર્ય દ્વારા અનુભવાય છે. અને જે ધર્મ અને અધર્મ ક્ષમા અને ક્રોધરૂપ હોય તે તે પિતાના અનુભવથી તેમજ આત્માના પરિણામથી તેની હૈયાતી પ્રત્યક્ષ રીતે સિદ્ધ થાય છે. રતિ-સુખમાં અત્યંત આસક્ત હોવાને લીધે, મનુષ્ય લેકમાં આવવાનું કંઈ પ્રયોજન નહિ હેવાથી અને મનુષ્યલોકમાં દુખને અનુભવ થતો હોવાથી (તેમજ વળી એની ગંધ સહન થવી મુશ્કેલ હેવાથી) દેવે દષ્ટિગોચર થતા નથી. તીવ્ર વેદનાથી પીડાતા હેઈ, પૂર્વે કરેલાં ( દુષ્ટ) કર્મોના ઉદયરૂપ બેના બંધનને વશ થયેલા હેઈ અને પરતંત્ર હેઈ નારકે અહીં કેવી રીતે આવે ? આ બાવીસ પરીષહેને પ્રાદુર્ભાવ જ્ઞાનાવરણ, વેદનીય, દર્શનાવરણ, ચારિત્ર-મોહનીય અને અંતરાય એ પાંચ કમ–પ્રકૃતિના ઉદયને આભારી છે. કેને કેટલા પરીષહ હોય?— ભૂખ, તરસ, ઠં, ગરમી, હાંસ મચ્છરનું કરડવું, ચર્યા, અલાભ પ્રજ્ઞા, અજ્ઞાન, શમ્યા, વધ, રાગ, તૃણસ્પર્શ અને મેલ એ ચૌદ વિષય સંબંધી પરીષહે સૂમસં૫રાયવાળા અને છમસ્થ-વીતરાગ યતિને સંવે છે. અત્ર સંપાયથી લેભ નામને કષાય સમજવો. તેના બાદર ખડે નવમે ગુણસ્થાને નાશ પામે છે. તેના સૂક્ષમ ખંડે દશમાં ગુણસ્થાનમાં હોય છે. જેમને આ સૂમસં૫રાય હોય તેઓ શમક કે ક્ષાપક સંયત હેય. છદ્મ એટલે આવરણ. આથી છદ્મસ્થ એટલે આવરણથી યુક્ત, અર્થાત જેનું જ્ઞાન આવરણથી યુક્ત હોય તે “છદ્મસ્થ” કહેવાય છે. સમસ્ત મિહનીય કર્મના ઉપશમથી અથવા એના ક્ષયથી જેમને રાગ નષ્ટ થયો હોય તેઓ “વીતરાગ' કહેવાય છે. છમસ્થ-વીતરાગથી અગ્યારમાં અને બારમા ગુણસ્થાને રહેલા મુનિઓ સમજવા. આ પ્રમાણે દશમા, અગ્યારમા અને બારમાં ગુણસ્થાને રહેલા સંયમીઓને વિષે ઉપર્યુક્ત ચૌદ પરીષહો હોય છે. બાકીના આઠ નથી હોતા તેનું કારણ એ છે કે તેને ઉદય મહનીય કર્મના ઉદય ઉપર નિર્ભર છે. અને એ ઉદય માટે અગ્યારમાં ઉપશાંતમૂહ અને બારમાં ક્ષીણમેહ ગુણસ્થાનમાં અવકાશ નથી. દશમાં સૂફમસં૫રાય ગુણસ્થાનમાં મેહ છે ખરો, પરંતુ તે એટલે બધે ઓછો છે કે એ નથી એમ કહીએ તે ચાલે; એથી એ ગુણસ્થાનમાં પણ ચીજ જ પરીષહને નિર્દેશ કરવામાં આવે છે. આ ભૂખ, તરસ, ઠં, ગરમી, દંશમશક, ચર્યા, શયા, વધ, રંગ, તૃણસ્પર્શ અને મલ એમ અગ્યાર પરીષહે જિનને વિષે હોય છે. અત્ર જિનથી કેવલી સમજવા. એટલે કે આ પરીષહ તેરમા ચૌદમાં ગુણસ્થાનમાં સંભવે છે. આ હકીકતના સંબંધમાં શ્વેતાંબર અને દિગંબરો વચ્ચે મતભેદ છે. એ મતભેદ સર્વાને કવલ-આહાર હોય કે ન હોય તેને આશ્રીને ઉદ્ભવેલ છે. દિગંબરાની માન્યતા એવી છે કે સર્વજ્ઞ કવલ-આહાર કરતા નથી અને કરી પણ શકે નહિ, જ્યારે શ્વેતાંબરની માન્યતા એવી છે કે સર્વજ્ઞ પણ કવલાહાર કરે છે. ' ' : ' Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004886
Book TitleArhat Darshan Dipika
Original Sutra AuthorN/A
AuthorMangalvijay, Hiralal R Kapadia
PublisherYashovijay Jain Granthmala
Publication Year1932
Total Pages1296
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy