________________
ઉલ્લાસ ] માત દર્શન દીપિકા.
૧૦૫ કર્યો ગણાય. ગચ્છવાસીઓ તે અ૫ અને અધિક આલોચના પૂર્વક અને શાસ્ત્રોક્ત વિધિ અનુસાર રોગ સહન કરે તે પણ તેમણે એ પરીષહ છ ગણાય. તુણસ્પર્શ-પરીષહ
પિલાણ ન રહે તેમ તૃણ, દભ ઈત્યાદિના ઉપગની, ગચ્છમાં નહિ રહેનારાઓને તેમજ ગચ્છમાં રહેનારાઓને પણ અનુજ્ઞા છે. તેમણે શયન કરવા માટે જે સ્થળની આશા હોય તે જમીન ઉપર તૃણ, દર્ભ વગેરે પાથરી તેના ઉપર સસ્તાર અને ઉત્તરપટક મૂકી સૂવું. ચેર ઉપકરણ હરી ગયાં હોય અથવા સસ્તાર અને ઉત્તરપટક બહુ પાતળાં થઈ ગયાં હોય કે અતિશય કર્ણ થઈ ગયાં હોય તે પણ કઠોર, કુશ, દર્ભ ઈત્યાદિ ઘાસને સ્પર્શ તેમણે રૂદ્ધ રીતે સહન કરી લે. એમ કરવાથી એ પરીષહને જય થાય.
ઉત્તરા (અ ૨)માં જિનકલ્પીને એ નિર્દેશ કરાયું છે કે ( અતિશય અલ્પ અને છણે વાવાળા) રૂક્ષ દેહવાળા એવા તપસ્વી મુનિને ઘાસના સંથારા ઉપર સૂતાં તેની અણીઓ ભેંકાવાથી) પીડા થાય. વળી તે ઉપર તડકે પડવાથી ઘણી વેદના થાય તે પણ ઘાસના ભોંકાવા વડે પીડિત બનેલા મુનિ વાની ઈચ્છા ન કરે. મલ-પરીષહ
રજના પરાગ જેટલે મેલ પરસેવાથી કઠણ બની જાય અને શરીર ઉપર સ્થિર થઈ જાય અને ગ્રીષ્મ ઋતુના તાપથી ઉત્પન્ન થતા ધામથી આદ્ર બની અત્યંત દુર્ગધ ઉત્પન્ન કરે તે પણ તે મેલને તર કરવાને માટે સ્નાનાદિની ઈચ્છા ન કરનાર મલ-પરીષહને જય કરે છે. પ્રજ્ઞા-પરીષહ1 પ્રજ્ઞા એટલે બુદ્ધિને અતિશય (પ્રકર્ષ). આવા બુદ્ધિના અને પ્રાપ્ત થયેલ હોય તે પણ અભિમાન ન કરે તે પ્રજ્ઞા-પરીષહ જીતેલ ગણાય. પ્રજ્ઞાથી વિપરીત એવી મંદ મતિને ધારક હું કંઈ જાણતું નથી, હું મૂર્ખ છું એથી બધા મારો પરિભવ કરે છે એ પ્રકારના પરિતાપને કમને વિપાક માની તેને સહન કરનાર આ પરીષહને જીતે છે. ટૂંકમાં કહીએ તે ચમત્કારી બુદ્ધિ હોય તે અભિમાન ન કરવું અને મંદ મતિ હોય તે ખેદ ન કર. જ્ઞાન-પરીષહ
કુતરૂપ એટલે ચૌદ પૂર્વે અથવા દ્વાદશાંગરૂપ જ્ઞાનને મેં અભ્યાસ કર્યો છે, હું સમગ્ર શ્રતને પરક છું એ ગર્વ ન ધારણ કરવાથી જ્ઞાન-પરીષહ ઉપર વિજય મેળવાય છે. અથવા જ્ઞાનના પ્રતિપક્ષરૂપ અજ્ઞાનને લીધે આગમમાં અન્ય જેટલું પ્રવેશ થયેલ હોવાથી દીનતા ન ધારણ કરતાં આ જ્ઞાનાવરણીય કર્મના ઉદયનું ફળ છે અને એ અજ્ઞાનતા પોતે કરેલાં કર્મ સમભાવે ભોગવવાથી અથવા તપ કરવાથી દૂર કરી શકાય છે એમ ચિંતવવાથી અજ્ઞાન-પરીષહ ઉપર જય મેળવાય છે. કહેવાની મતલબ એ છે કે શાસ્ત્રને વિષે વિશેષ પ્રવીરતા મળી હોય તે છાકી ન જવું અને ન મળી હોય તે તેથી દીન ન બની જવું. અદશન-પરીષહ
સર્વ પાપસ્થાનેથી હું વિરક્ત છું, પ્રખર તપશ્ચર્યા પણ હું કરું છું તેમજ વળી હું ૧ નવતત્વ પ્રકરણ (ગા. ૨૮)માં આને બદલે અજ્ઞાન-પરીવહને ઉલેખ છે,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org