SearchBrowseAboutContactDonate
Page Preview
Page 1170
Loading...
Download File
Download File
Page Text
________________ કલાસ ] આહંત દર્શન દીપિકા. ૧૯૧ તપસ્વી અને પરાક્રમી મુનિ ફળાદિ છે નહિ કે છેદાવે નહિ, રાંધે નહિ કે રંધાવે નહિ. કાકજંઘા વનસ્પતિનાં જેવાં બાહુ, જંઘા વગેરે અવયવો અત્યંત કુશ બની ગયાં છે અને શરીરમાં એકલી ન દેખાતી હોય તેવું દુર્બળ શરીર થઈ ગયું હોય તે પણ મુનિ જરા પણ દિલગીર બન્યા વિના સંચમ-માર્ગમાં સંચરે. એકાંતે માર્ગમાં જતે, તૃષાથી વ્યાકુળ બને છે અને મુખ સુકાઈ જતું હોય છતાં મુનિ જળ સંબંધી શાસ્ત્રોક્ત મર્યાદાનું ઉલ્લંઘન ન કરે, આથી એ ફલિત થાય છે કે ગમે તેવી કકને ભૂખ કે તરસ લાગી હોય તે પણ સ્વીકારેલ મર્યાદાનું ઉલ્લંઘન કરી આહાર પાણી ન લેતાં તે સુધાની અને તૃષાની વેદનાને સમજાવે નિભાવી લેવી એ અનુક્રમે “ક્ષુધા-પરીષહ” અને “તૃષા-પરીષહ” છે. શીત-પરિવહ– ઘણી સખત ઠંધ પડી હોય ત્યારે જીણું વસ્ત્ર ધારણ કર્યું હોય તે કાઢી નાંખી ટાઢથી બચાવ કરવા માટે અનેષણીય વસ્ત્રાદિ માટે પ્રયાસ ન કર, કિન્તુ શાસ્ત્રોક્ત વિધિ અનુસાર એષણાયની જ ગષણા કરવી તે શીત-પરીષહ જય કહેવાય; પરન્તુ જે એવા સમયમાં અગ્નિ સળગાવે અથવા તે અન્યને તેવી પ્રેરણા કરે તો તે શીત-પરીષહ સહન કર્યો ન ગણાય. આ સંબંધમાં ઉત્તરા (અ, ૨)માં કહ્યું છે કે રૂક્ષ શરીરવાળા અને ગામે ગામ વિહાર કરતા મુનિને કઈ વેળા બહુ જ ઠંધ લાગે તે પણ એના ભયથી સ્વાધ્યાયાદિ કરવાનું તેઓ ન ચૂકે તેમજ ઠંઢ દૂર કરવા માટે મારે મકાન વગેરે સાધન નથી, મારી પાસે કાંબળ વગેરે નથી, હું અગ્નિ વડે તાપે તે ઠીક એવું એવું દીન ચિન્તન તેઓ ન કરે. ઉષ્ણુ-પરીષહ અતિશય તાપ લાગતું હોય તે પણ સ્નાન ને કરે કે પંખે ન ખાય, કિન્તુ એ ગરમીને સહન કરી જાય તે જ તે ઉષ્ણુ-પરીષહને જય કર્યો ગણાય. ખરેખરા વતી ઉણુતાને દૂર કરવા છત્ર વગેરે ન ધારણ કરે. ટૂંકમાં કહીએ તે પ્રખર તાપ વેઠ કિન્તુ સદેષ આચરણ ન કરવું એનું નામ ઉષ્ણુ-પરીષહ સહન કર્યો કહેવાય. ઉત્તરા (અ. ૨)માં કહ્યું છે કે તપી ગયેલી પૃથ્વી, રેતી અને શિલાદિથી તેમજ તૃષા વડે ઉત્પન્ન થયેલા દાહથી અને સૂર્યનાં કિરણની ગરમીથી સંતપ્ત બનેલા મુનિ ચંદ્ર, ચંદન, પવન ઈત્યાદિ વડે મને ક્યારે શાંતિ મળે એવી દાનતા ન રાખે. વળી ઉષ્ણતાથી સંતાપ પામેલા તેઓ નાનની અભિલાષા ન રાખે, શરીર ઉપર પણ પાણી ન છાંટે કે વસ્ત્રાદિ વડે વાયુ પણ ન નાખે. દશમશ-પરીષહ હાંસ, મચ્છર વગેરે કરડતા હોય તે પણ તે સ્થાનેથી ચાલ્યા ન જવું, પંખા વગેરે દ્વારા તેને દૂર ન કરવા-ઉડી ન મૂકવા તેમજ તેને હાંકી કાઢવા ધુણી ન કરવી એ દશમશક પરીષહ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004886
Book TitleArhat Darshan Dipika
Original Sutra AuthorN/A
AuthorMangalvijay, Hiralal R Kapadia
PublisherYashovijay Jain Granthmala
Publication Year1932
Total Pages1296
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy