________________
૧૦૯૦ સંવર-અધિકાર.
[ પંચમ ધર્મભાવનાનું લક્ષણ
सम्यक्त्वद्वारकमहाव्रतसाधकद्वादशाङ्ग्युपदिष्टगुप्त्यादिविशुद्धभूत. संसारसमुद्रतारकमोक्षप्रापको भगवता कथितः खलु धर्मो भवतीति चिन्तनानुरूपत्वम्, यस्मिन्नालम्बमाने सति जीवो भवार्णवे न पतति स धर्मो भवतीति चिन्तनानुरूपत्वं वा धर्मभावनाया लक्षणम् । (६७३) અર્થાત સમ્યક્ત્વરૂપ દ્વારવાળે, મહાવ્રતને સાધક, દ્વાદશાંગીમાં જેનું વિવેચન કરાયું છે એવી ગુપ્તિ વગેરેથી વિશુદ્ધ બને, સંસાર-સમુદ્રને પાર ઉતારનાર તેમજ મને પ્રાપ્ત કરાવનાર એ ખરેખર ભગવાને કહેલો ધર્મ છે એમ ચિંતવવું તે “ધર્મ–ભાવના છે. અથવા તે જેને આશ્રય લેવાથી જીવ ભવ–સાગરમાં પડતું નથી તે ધર્મ છે એમ ચિન્તન કરવું તે “ધર્મભાવના છે, ( આ પ્રમાણે આપણે બાર ભાવનાનું સ્વરૂપ વિચાર્યું. હવે પરીષહેનું પ્રતિપાદન કરવામાં આવે છે. તેમાં પરીષહનું લક્ષણ એ છે કે – . सम्यग्दर्शनादिलक्षणमोक्षमार्गादपारच्यवनप्रयोजनवत्त्वे सति कर्मनिर्जराप्रयोजनवत्त्वे च सति क्षुधाद्युपद्रवपरीषहणरूपत्वं परीषहस्य અક્ષણમા (ઘ૭૪) અર્થાત્ સમ્યગ્દર્શનાદિરૂપ મોક્ષમાર્ગમાંથી વિનિપાત ન થવા દેનારી તેમજ કર્મની નિજાના કારણભૂત એવા ક્ષુધાદિ ઉપદ્રવને સહન કરવાની શક્તિ તે “પરીષહ” કહેવાય છે. આ બાવીસ પ્રકારનું છે. જેમકે (૧) ક્ષુધાને, (૨) તૃષાનો, (૩) શીતને, (૪) ઉણને, (૫) દંશમથકને, (૬) નગ્નતાને, (૭) અરતિને, (૮) સ્ત્રીને, (૯) ચર્યાને, (૧૦) નિષસ્થાને, (૧૧) શય્યાને, ( ૧૨ ) આક્રોશને, (૧૩) વધને, (૧૪) યાચનાને, (૧૫) અલાભને, (૧૬) રોગને, (૧૭) તૃણસ્પર્શને, (૧૮) મળને, (૧૯) સત્કારપુરરકારને, (૨૦) પ્રજ્ઞાન, (૨૧) અજ્ઞાનને અને (૨૨) અદર્શનને સુધા-પરીષહ અને તુષા-પરીષહ–
આગમમાં દર્શાવેલ વિધિ મુજબ, જઠર અને આંતરડાને બાળનારી ભૂખને, અનેકણીય આહારના પરિવાર પૂર્વક યથાર્થ રીતે સહન કરનારો વ્રતી સુધા-પરીષહને જીતે છે. એ પ્રમાણે તૃષા-પરીષહ માટે સમજી લેવું.
ઉત્તરાધ્યયન (અ. ૨)માં કહ્યું છે કે શરીર સુધા વડે વ્યાપ્ત બન્યું હોય તે પણ
For Private & Personal Use Only
Jain Education International
www.jainelibrary.org