________________
ઉલ્લાસ ] આહંત દર્શન દીપિકા,
૧૦૮૧ તપના લક્ષણને ગ્રંથકારે અત્ર નિર્દેશ કર્યો નથી, જો કે તપના લક્ષણને ૮૨૧મા પૃષ્ઠમાં તેમજ બાલતપના લક્ષણને ૮૦૮ માં પ્રઠમાં તેઓ ઉલલેખ કરી ગયા છે. આથી અત્ર એટલું જ નિવેદન કરવું બસ થશે કે મલિન વૃત્તિઓ ઉપર વિજય મેળવવા માટે-તેને નિર્મૂળ કરવા માટે જે ઇન્દ્રિયદમન કરાય તે “ તપ છે. તપ એક જ હોવા છતાં એની પાછળ જે ભાવના રહેલી હોય તે પ્રકારનું તેનું ફળ મળે છે. જો એ ભાવના સકામ હોય તો લૌકિક સુખની પ્રાપ્તિ
એ એનું ફળ છે અને જો એ નિષ્કામ હોય તે પારલૌકિક અભ્યદય યાને આધ્યાત્મિક નિયસના સુખની પ્રાપ્તિ એ એનું ફળ છે.
ત્યાગનું લક્ષણ
भावदोषत्यागरूपत्वम्, सत्यपि वस्तुसन्निधाने सम्यग्ज्ञानपूर्वक- વરિચાનારાપર્વ વા થાન ક્ષમા (૫૮). અર્થાત ભાવ-ષિને પરિવાર તે “ત્યાગ' છે. અથવા તે વસ્તુ પાસે હોવા છતાં સમ્યજ્ઞાન પૂર્વક તેને તજી દેવી તે “ ત્યાગ” કહેવાય છે. પાત્રને જ્ઞાનાદિ સગુણ આપવા એવી પણ ત્યાગની વ્યાખ્યા અન્યત્ર દષ્ટિગોચર થાય છે. આ ઉલ્લેખ ૮૨૦ મા પૃષ્ઠમાં કરા પણ છે. અકિંચન્યનું લક્ષણ
बाह्याभ्यन्तरद्रव्येषु ममत्वाभावरूपत्वम्, धर्मोपकरणादिष्वपि मूर्छाराहित्यम्, इष्टानिष्टशब्दादिविषयेषु वा मूर्छाऽभावरूपत्वमाकिઅન્યસ્થ ક્ષન્ ! (૨૧).
અર્થાત બાહ્ય કે આત્યંતર પદાર્થોને વિષે મમત્વ-બુદ્ધિ ન રાખવી તે “આર્કિન્ય ” છે. અન્ય શબ્દોમાં કહીએ તો ધર્મનાં ઉપકરણો વિષે પણ મૂર્છાને અભાવ તે આકિ ચન્ય છે. વળી ઈષ્ટ કે અનિષ્ટ શબ્દાદિ વિષયને વિષે પણ મૂચ્છને અભાવ તે “આકિંચન્ય છે ટુંકમાં કહીએ તે કઈ પણ જાતનો મમત્વરૂપ પરિગ્રહ ન રાખવે તે “આર્દિચન્ય' છે. બ્રહ્મચર્યનું લક્ષણ– ____ व्रतपरिपालनज्ञानाभिवृद्धिकषायपरिपाकाथै गुरुकुलवासरूपत्वम् , नवकोटिपरिशुद्धिपूर्वकदिव्यौदारिककामानां परित्यागरूपत्वं वा ब्रह्मचर्यસ્થ ક્ષમા (૬૬૦) અર્થાત્ વ્રત પાળવા માટે, જ્ઞાનમાં વધારે કરવા વાસ્તે તેમજ કષાયને પરિપાક કરવા સારૂ ગુરુ
186
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org