________________
ઉલાસ ]
આન દર્શન દીપિકા.
૧ની
અર્થાત (ગુરુ વગેરે આવતાં) યોગ્યતા મુજબ ઊભા થવું, (તેમને) આસન આપવું, અંજલિ જોડવી ઈત્યાદિ પ્રકારે (તેમને) વિનય કરવા પૂર્વક ગર્વને અભાવ હવે તે “મૃદુતા” છે. અન્ય શબ્દોમાં કહીએ તે અભિમાનને નિગ્રહ તે “મૃદુતા” છે. અથવા અહંકારના ઉદયના નિમિત્તને નિધિ કરી ઉદયમાં આવેલા અહંકારને સફળ થવા ન દે તે “મૃદુતા” છે. ટૂંકમાં કહીએ તે જાતિ, રૂપ વગેરેને ગર્વ પણ સદા ટકતું નથી એમ વિચારવું અને કેઈ પણ દિવસે એનું અભિમાન કરવું નહિ એ મુમુક્ષુને ધર્મ છે.
રજુતાનું લક્ષણ
भावदोषरहितत्वे सति हिंसनरूपपरिणामाभावापादनरूपत्वम्, योगस्यावक्रतापादनपूर्वकाविसंवादरूपत्वम्, मायोदयनिमित्तनिरोधकत्वे सति उदितस्यास्तस्या विफलतापादनरूपत्वं वाऽऽर्जवस्य लक्षणम् । (૨૪)
અથત ભાવ-દષથી નિવૃત્ત બની હિંસારૂપ પરિણામના અભાવને ભજો તે “ઋજુતા” છે. અથવા યોગનું સરલતા પૂર્વક અવિસંવાદ વર્તન તે “જુતા” છે. અન્ય શબ્દોમાં કહીએ તે માયાના ઉદયના નિમિત્તને નિરાધ કરી ઉદયમાં આવેલી માયાને ફળીભૂત થવા ન દેવી એ
અજુતા” યાને “સરલતા” છે. ટૂંકમાં કહીએ તે વિચાર, વાણી અને વર્તનની એકતા તે આવે છે. એને કેળવવા માટે કુટિલતાના દેશે વિચારવા જોઈએ.
શોચનું લક્ષણ જોકે આપણે ૩૪૨ મા પૃષ્ઠમાં વિચારી ગયા છીએ, છતાં વિશેષ જ્ઞાનાર્થે તેને નીચે મુજબ ફરીથી ઉલેખ કરાય છે –
धर्मोपकरणरजोहरणमुखवखिकाचोलपट्टकदण्डपात्रादिष्वपि गतमूर्च्छत्वम्, लोभोदयनिमित्तनिरोधकत्वे सति उदितस्य वैफल्यापा. दनरूपत्वं वा शौचस्य लक्षणम् । (६५५)
અર્થાત ધર્મનાં ઉપકરણો જેવાં કે એ ઘે, મુહપત્તિ, ચલપટે, દંડ, પાત્ર વગેરેને વિષે પણ મૂછનો અભાવ તે “ શૌચ છે. અથવા તે લેભના ઉદયના નિમિત્તની વિદ્યમાન દશામાં (પણ) ઉદયમાં આવેલા લોભને સફળ થવા ન દે તે “શૌચ” છે.
છે શરીરના ઉપર પણ આસક્તિ ન રાખવી એ “શૌચ' ને અર્થ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org