SearchBrowseAboutContactDonate
Page Preview
Page 1154
Loading...
Download File
Download File
Page Text
________________ ઉલ્લાસ ] આહત દર્શન દીપિકા ૧૦૭૫ આ પ્રમાણે આપણે પાંચ સમિતિ અને ત્રણ ગુપ્તિ એમ અષ્ટ પ્રવચનમાતાનું દિગ્દર્શન કર્યું. હવે ધર્મ સંબંધી વિચાર કરીએ તે પૂર્વે સમિતિ અને ગુપ્તિ વચ્ચે તફાવત છે ઈત્યાદિ કેટલીક હકીક્ત નેંધી લઈએ. ગુણિમાં અસલ્કિયાને નિષેધ અને સકિયાની પ્રવૃત્તિ એ બંને માટે સ્થાન છે, જ્યારે સમિતિમાં સ&િયાના પ્રવર્તન માટે જ અવકાશ છે. અન્ય શબ્દોમાં કહીએ તે ગુપ્તિ એ યોગની પ્રવૃત્તિ અને નિવૃત્તિ ઉભયરૂપ છે, જ્યારે સમિતિ એ કેવળ પ્રવૃત્તિરૂપ છે. આ પ્રમાણે સમિતિ અને ગુપ્તિમાં અંતર છે. વળી ગુપ્તિ એ ઉત્સર્ગરૂપ છે અને સમિતિ એ અપવાદરૂપ છે એ વાત પણ સમિતિ અને ગુપ્તિના અંતર ઉપર પ્રકાશ પાડે છે. આથી એ વાત પણ સ્પષ્ટ થાય છે કે શ્રદ્ધા અને સમજણ પૂર્વક મન, વચન અને કાયાને ઉન્માર્ગથી રોકવા અને તેને સન્માગે પ્રવર્તાવવાં એ ધર્મ–પાલનનું આવશ્યક અંગ છે. એથી કરીને ઉન્માર્ગના ઉમૂલન માટે અને સન્માર્ગના સંરક્ષણ માટે સત્ય, હિતકારી અને દેહ વિનાનું વચન બોલવું જોઈએ, કિન્તુ સત્યના પ્રચાર કરવાના સમયે કે ધર્મનું ખંડન થતું , હોય ત્યારે છતી શક્તિએ મૌન સેવવું એ વાસ્તવિક રીતે ભાષા-સમિતિનું કે વચન-ગુપ્તિનું પાલન નથી, પરંતુ એ તે એકેન્દ્રિય જેવી મૂગી દશા છે. એ તે વચનગુણિને દંભ કેળવવા બરાબર છે. એને સમ્યગ્દષ્ટિ, દેશવિરતિ કે સર્વવિરતિની ગુપ્તિ તરીકે ન જ ઓળખાવાય. ગુપ્તિને વિષે સમિતિને અંતર્ભાવ ભાષા સમિતિને વચન-ગુપ્તિને વિષે, એષણા-સમિતિને મને ગુપ્તિને વિષે અને બાકીની સમિતિને કાયગુપ્તિને વિષે સમાવેશ કરી શકાય. જુએ ઉપદેશપ્રાસાદ (ભા. ૪)નું ૩૪ મું પત્ર. ૧ ચારિત્ર એ મુનિઓનું ગાત્ર છે. તેની ઉત્પત્તિ પાંચ સમિતિ અને ત્રણ ગુપ્તિને આભારી છે. વર્બ એ ઉત્પન્ન થયેલા ચારિત્રરૂપ ગાત્રનું સર્વ ઉપદ્રવથી નિવારણ અને પોષણપૂર્વક એ આઠ પાલન કરે છે તેમજ એ ચારિત્રગાત્ર અતિચારરૂપ મેલથી મલિન બને છે ત્યારે એ આઠ તેનું સંશોધન કરે છે. આ પ્રમાણે માતાની પેઠે જનન, પરિપાલન અને સંશોધનરૂપ ક્રિયાઓ આ આઠ કરે છે, એથી એને આઠ પ્રવચનમાતા તરીકે ઓળખાવાય છે. જુઓ યોગશાસ્ત્ર ( મ. ૧ )ને ૪૫ મે લોક. ૨ સરખા ઉત્તરાધ્યયનના સમિતિ-અધ્યયન નામના ૨૪મા અષયનગત નિલિખિત ગાથા - " एयाओ पंच समिईओ चरणस्सय पवत्तणे । गुत्ती नियत्तणे वुत्ता असुमत्थेसु सव्यसो ॥ २६ ॥" [ પતા: પન્ન જ ઇકતને | गुप्तिनियन्त्रणे उक्ताऽशुभार्थेषु सर्वशः ॥] ૩ જુઓ પૃ. ૮૧પ. આ સંબંધમાં અત્ર વિશેષ પ્રકાશ પાડવા વિચાર હોવા છતાં ઉત્તરાયયન ( સટીક ) વગેરે ગ્રંથે નહિ મળી શકવાથી તેમ કરાયું નથી. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004886
Book TitleArhat Darshan Dipika
Original Sutra AuthorN/A
AuthorMangalvijay, Hiralal R Kapadia
PublisherYashovijay Jain Granthmala
Publication Year1932
Total Pages1296
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy