SearchBrowseAboutContactDonate
Page Preview
Page 115
Loading...
Download File
Download File
Page Text
________________ છે. જીવ–અધિકાર. [ પ્રથમ આ ઉપરાંત આકાશ, કાળ, દિશા વિગરેથી આત્મા જેકે ભિન્ન છે, છતાં તેમાં ઘટની માફક દ્રવ્યપણું હોવાને લીધે તે સર્વવ્યાપક સિદ્ધ થઈ શકતો નથી. વિશેષમાં એમ અનુમાન થઈ શકે છે કે જે પરમહત્વનું અધિકરણ હોય તે ચેતન હોઈ શકે નહિ, જેમકે આકાશ; પરંતુ આત્મા તો ચેતનરૂપ છે, આથી એમાં સર્વવ્યાપકતા સંભવતી નથી. વિશેષમાં “ઘર ઘ ggn: ૪ તત્ર કુમાફિન્નિતિ મેત '' (અન્ય-૦ ૦ ૯) અર્થાત્ જ્યાં ઘટનો ગુણ “રૂપ રહે છે, ત્યાં તે “ઘટ” રહે છે જ એટલે કે ગુણીના સ્થાનની બહાર ગુણ રહેતું નથી અર્થાત્ જ્યાં ગુણ હોય તે સ્થાનમાં તેનો ગુણી હે જ જોઈએ એ કલિકાલસર્વજ્ઞ શ્રીહેમચન્દ્રાચાર્યનું કથન પણ શું સૂચવે છે ? આથી શું આત્મા શરીરાવચ્છિન્ન સિદ્ધ થતો નથી વારૂ ? કેમકે આત્માને જ્ઞાનરૂપી ગુણ તે શરીરમાં રહેલા જ આત્મામાં છે એ વાતની કેણ ના પાડી શકે તેમ છે ? પુષ્પાદિકને ગંધરૂપી ગુણ પુષ્પના સ્થાનની બહાર પણ અન્યત્ર જોવામાં આવે છે એમ કહીને આ નિયમને દૂષિત ઠરાવી શકાશે નહિ. કેમકે ગંધયુક્ત પુદ્દગલે સ્વભાવથી ઉત્પન્ન થયેલી (વૈસસિકી ) કે વાય આદિના પ્રયોગ ( પ્રયત્ન )થી ઉત્પન્ન થયેલી (પ્રાયોગિકી ) ગતિ દ્વારા એક સ્થળેથી અન્ય સ્થળે જાય છે એ વાત ભૂલી જવા જેવી નથી. આથી કરીને ઉપર્યુક્ત નિયમ અકાટ કરે છે અર્થાત્ આત્માને જ્ઞાનરૂપી ગુણ તે શરીરાવચિછન્ન આત્મામાં જ દેખાય છે (અને આ વાતને વૈશેષિક દશનકાર તેમજ જૈન દર્શનકાર બને સ્વીકારે છે ), વાસ્તે આત્મા શરીરાવચ્છિન્ન, નહિ કે સર્વવ્યાપી સાબીત થાય છે. આ નિયમ વ્યભિચારી છે એમ બતાવવાને મંત્રનું દષ્ટાન્ત આપવામાં આવે કે મંત્ર સેંકડે ગાઉ દૂર રહીને પણ આકર્ષણ–ઉચ્ચાટનાદિ કાર્ય કરી શકે છે, અર્થાત્ આકર્ષણાદિ મંત્રના ગુણો જ્યાં દષ્ટિગોચર થાય છે, તે સ્થળે તેને ગુણી માલૂમ પડતું નથી, તે તે અસમંજસતા છે. કારણ કે આકર્ષણાદિ ગુણે કંઈ મંત્રના નથી, પરંતુ એ મંત્રના અધિષ્ઠાતા દેવના છે, અર્થાત્ તે તે તેને મહિમા છે. એટલે કે આકર્ષણ કે ઉચ્ચાટન કરવાના સ્થળ પર આ દેવ કે તેને સેવક સ્વયં હાજર રહે છે. આથી એ સિદ્ધ થાય છે કે ગુણ ગુણીનો ત્યાગ કરીને અન્યત્ર રહી શકતો નથી. આ ઉપરથી એ જોઈ શકાય છે કે જેમ ઘટના ગુણ સર્વત્ર નહિ હોવાને લીધે તે અસવંગત છે, તેવી રીતે આત્માને જ્ઞાનરૂપ ગુણ સર્વત્ર નહિ ઉપલબ્ધ થતું હોવાને લીધે તે પણ અવગત કરે છે, વળી આકાશાદિના ગુણ સર્વત્ર માલૂમ પડે છે તે તેની સાથે આકાશ પણ સર્વ વ્યાપી છે જ. આ પ્રમાણે અન્વય દાન તેમજ વ્યતિરેક દડાન્ત પણ જીવને શરીરાવચ્છિન્ન સિદ્ધ કરે છે. જ્યાં ગુણ હોય ત્યાં ગુણ હોવો જ જોઈએ” એ નિયમને સાંગોપાંગ અને ટૂષણરહિત જોઈને વૈશેષિક પણ તેના બળ ઉપર “અહ” ના દકાન્તથી આત્માને સર્વ વ્યાપક સિદ્ધ કરવાને મને રથ રાખે, તે તે મનમાં મેતીના ચેક પૂરે છે, એમ માનવું અનુચિત નથી. - ૧ એક વસ્તુની હયાતીમાં અન્ય વસ્તુની હૈયાતી તે “અન્વય” છે. ત્યારે એક વસ્તુના અભાવમાં અન્ય વસ્તુને અભાવ તે “ વ્યતિરેક ' છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004886
Book TitleArhat Darshan Dipika
Original Sutra AuthorN/A
AuthorMangalvijay, Hiralal R Kapadia
PublisherYashovijay Jain Granthmala
Publication Year1932
Total Pages1296
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy