SearchBrowseAboutContactDonate
Page Preview
Page 114
Loading...
Download File
Download File
Page Text
________________ ઉલ્લાસ ] આહુત દર્શન દીપિકા ૩૫ ભાગ ભાગવે છે કે બીજો કોઈ એ પ્રશ્ન ઊઠે છે. આમાંથી પ્રથમ પક્ષ સ્વીકારવામાં આવે તે એ જાણવું બાકી રહે છે કે જ્યારે આત્મા ભાગ ભાગવવાની ક્રિયા કરે છે, તે તે પ્રમાણે તે બીજી ક્રિયાઓ કેમ કરતા નથી ? જો આથી ખીજા પક્ષને આશ્રય લેવામાં આવે, તે સ્વવચનના વિરાધના અવકાશ રહે છે, કેમકે આત્મા ભેાક્તા છે એમ કહેવુ અને ભેતૃત્વરૂપ કા તે પોતે નથી કરતા એમ પણ કહેવુ એને ખીજું શું કહી શકાય ? : વળી આત્માને અકર્તા માનવાથી તે ગગન--કુસુમના જેવુ તેનુ અસ્તિત્વ રહેશે. આ ઉપરાંત આત્માને અકર્તા તેમજ ભાક્તા કહેવાથી તેા કૃતનાશ અને અકૃતાગમ એ બે દોષો ઉદ્ભવે છે. જેમકે ‘ પ્રકૃતિ ’ કર્યાં કરે છે, પરંતુ ફળ તે · પુરૂષ ’ ભગવે છે. કમ કરનારી પ્રકૃતિને તેના ફળ સાથે કંઇ લેવા દેવા નથી, આ ‘ કૃતનાશ ’ છે; અને ‘ પુરૂષ ’ કમ કરતા નથી, છતાં તે ફળ ભાગવે છે, એ ‘અકૃતાગમ’ છે. આથી આત્મા કર્તા તેમજ સાક્ષાદ્ ભાક્તા છે એમ માનવુ' સમુચિત જણાય છે. * આત્માની દેહ–પરિમાણુતા— 6 નૈયાયિક, વૈશેષિક અને સાંખ્ય દર્શનકારી આત્માને સર્વવ્યાપક માને છે (તેમજ અદ્વૈતવાદીઓ કે જેઓ એક જ આત્મા માને છે) તેએ પણ તેને સર્વવ્યાપક ગણે છે. પ્રથમ તે। આ માન્યતાના સંબંધમાં એ જાણવુ ખાકી રહે છે કે જ્યારે આત્મા સર્વવ્યાપી છે, તે પછી અન્ય સેંકડો વસ્તુઓને સારૂ સ્થાન જ ક્યાં રહ્યું ? - વિશેષમાં એક આત્માને ‘હું સુખી છું”, હું દુઃખી છું”, ‘હું જ્ઞાની છું ' ઇત્યાદિ પ્રતીતિ થતાં સર્વ આત્માઓને તેમ જ થવુ જોઇએ. આ ઉપરાંત એક જીવ જો ભેાજન કરે, તા બાકી બધા જીવોને ક્ષુધાની શાન્તિ થઈ જવી જોઈએ. વળી સુખ–દુ:ખ ઇત્યાદિ વિાધી લાગણીના અનુભવ પણ એકી સાથે થવા જોઈએ, કેમકે આત્મા સબ્યાપી માનવામાં આવ્યેા છે. એક જીવના બંધ કે મેક્ષ થતાં સર્વ જીવે કે જેની સાથે આ એક જીવ આતપ્રોત થઇ ગયા છે, તે સ પરત્વે તેમ થવું જોઇએ; અર્થાત્ જ્યારે જીવા સબ્યાપક હાવાને લીધે એકમેક થઇ ગયેલા હોવાથી એ કેવી રીતે અને કે એક જીવ એક અવસ્થામાં રહે, ત્યારે ખીજો જીવ વળી બીજી જ અવસ્થામાં રહે ? વળી જ્યારે આત્મા સર્વ વ્યાપી છે, ત્યારે તે દેવ, નરક,તિયંચ અને મનુષ્ય એમ ચારે ગતિને તેને એકી સાથે અનુભવ થવાના. વિશેષમાં આત્માને સર્વવ્યાપી માનવાથી અંધારી જગ્યામાં તેમજ અપવિત્ર સ્થળમાં પણ તેનો નિવાસ જરૂર થવાનો. આ ઉપરાંત શરીરની બહાર પણ આત્મા છે એમ માનવાથી શેા લાભ છે તે પણ સમજી શકાતુ નથી. વળી શરીરમાં રહેલા આત્મામાં અને આાશમાં શું ફેર છે, એવા પણ પ્રશ્ન ઊઠે છે. વિશેષમાં આત્માને સબ્યાપી માનવાની સાથે ઈશ્વરને પણ સર્વવ્યાપી માનનારાના મતમાં ઈશ્વર જ જગત્નો કર્યાં છે એમ કેમ કહી શકાશે ? દૂધ અને જળના મિશ્રણનું પાન કરનાર એમ કહી શકે કે મેં એકલા દૂધનું જ કે જળનું જ પાન કર્યું છે ? તેમજ એમ પણ કાં ન કહી શકાય કે જ્યારે આત્મા જગત્નો કર્તા નથી, તેા પછી તેની સાથે ઓતપ્રોત થઇ ગયેલા ઈશ્વરમાં પણ જગત્ત્વકતૃત્વ કયાંથી સ ંભવશે ? આ ઉપરાંત આકાશની માર્ક સબ્યાપક આત્મામાં ક્રિયા પણ કેવી રીતે ઘટી શકશે ? આ પ્રમાણે આત્મા નિષ્ક્રિય સિદ્ધ થતાં તે સંસાર પર પાણી ફરી વળ્યું. નહિ રહ્યો બંધ કે નહિં રહી મુક્તિ, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004886
Book TitleArhat Darshan Dipika
Original Sutra AuthorN/A
AuthorMangalvijay, Hiralal R Kapadia
PublisherYashovijay Jain Granthmala
Publication Year1932
Total Pages1296
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy