SearchBrowseAboutContactDonate
Page Preview
Page 113
Loading...
Download File
Download File
Page Text
________________ છવ–અધિકાર [ પ્રથમ એટલે કે જ્ઞાનત્પત્તિના સમયે પણ તે તે જ રહેવાને કેમ કે આત્મા ફૂટસ્થ છે, એવી તૈયાયિકની માન્યતા છે. આથી આત્મા વસ્તુ–પરિછેદક બનશે નહિ અને તે મૂર્ખશિરોમણિ રહી જવાને. જે આ વાત ઈષ્ટ ન હોય અને તેથી એમ કહેવા તૈયાર થતા હો કે પૂર્વ અવસ્થામાં અપ્રમાતારૂપે રહેલ આત્મા જ્ઞાનત્પત્તિના સમયે અર્થાત્ ઉત્તરાવસ્થામાં પ્રમાતારૂપ બને છે, તે તે પિતાને હાથે જ પિતાના પગમાં કુહાડો મારનારની યાદીમાં આપનું પણ નામ નેંધાવાનું કેમકે આમ કરવાથી તે આપ જ આપના ફૂટસ્થ મન્તવ્યને નિષેધ કરે છે અને આત્મા પરિણામી છે એ વાત સુતરાં અંગીકાર કરો છે. આત્માની નિત્યતા-અનિત્યતા હવે આત્માને સર્વથા નિત્ય માનવાથી હિંસાની ઉત્પત્તિ, અહિંસાની પાલના કે અન્યાન્ય ગતિ સંભવશે નહિ, ઈત્યાદિ દે આવે છે, તેથી તેને સર્વથા અનિત્ય માન જોઈએ, એ વિચાર સ્વપ્ન પણ ન કરવો જોઈએ. કેમકે આ કાર્ય તે ઓલામાંથી નીકળીને ચૂલામાં પેસવા જેવું છે અથવા અન્ય શબ્દોમાં કહીએ તે ચરથી ભયભીત થઈને ચેરની પલ્લીને આશ્રય લીધા બરાબર છે. કેમકે આત્માને અનિત્ય માનવાથી કંઈ ઉપર્યુંકત દેશોમાંથી મુક્તિ મળે તેમ નથી અને ઉલટું વિશેષમાં જગત્ શૂન્યાકાર બની જવાનું, કેમકે આત્મા સર્વથા અનિત્ય છે, એટલે તેને નાશ થવાને. - આ ઉપરથી સાર એ નીકળે છે કે આત્માને નિત્ય-અનિત્ય માન જોઈએ અને “નિત્ય” શબ્દનો અર્થ એ કર કે “તમraષ નિય” (તન્ત્રાથધિત અ. ૫, સૂ૦ ૩૦ ) અર્થાત્ પિતાના મૂળ સ્વભાવનું કાયમ રહેવું તે “નિત્યતા છે. આથી આત્માના પર્યાયે ભલે બદલાય એટલે કે તે એક ગતિમાંથી અન્ય ગતિમાં ભ્રમણ કરે કે એકની એક ગતિમાં એક અવસ્થામાંથી બીજી અવસ્થામાં પસાર થાય તે પણ તેને મૂળ સ્વભાવ (ચૈતન્ય) તે સર્વદા વિદ્યમાન જ રહેવાને અર્થાત્ ચેતનરૂપ આત્મા કદી પણ અચેતન નહિ જ બને, “એ આત્મા નિત્ય છે” એ વાક્યને અર્થ સમજ. કહેવાનું તાત્પર્ય એ છે કે આત્મા પર્યાયની દષ્ટિએ અનિત્ય” છે, જ્યારે મૂળ દ્રવ્યની અપેક્ષાએ તે “નિત્ય છે, કેમકે નૂતન પર્યાને પ્રાપ્ત કરવા છતાં પણ મૂળ દ્રવ્ય આબાદ રહે-અન્વયી દ્રવ્યને નાશ ન થાય એ જ “નિત્ય’ શબ્દને વાસ્તવિક અર્થ છે. - આત્માનું સ્વાદિ સાંખ્ય દર્શન પ્રમાણે આત્મામાં અકતૃત્વ, નિર્ગુણત્વ અને ભકતૃત્વ રહેલું છે. કહ્યું પણ છે કે-- મૂર્તતનો મો, નિત્ય નnત્તોડજિ. કર્તા નિ: સૂમ, સાતમા “વિત્ર ને ?” આ પ્રમાણે જ્યારે સાંખ્ય આત્માને ભોક્તા માને છે, તે તેના મત પ્રમાણે આત્મા પિતે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004886
Book TitleArhat Darshan Dipika
Original Sutra AuthorN/A
AuthorMangalvijay, Hiralal R Kapadia
PublisherYashovijay Jain Granthmala
Publication Year1932
Total Pages1296
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy