________________
પંચમ ઉલ્લાસ-સંવર ” અધિકાર
નવીન પુદગલના ગ્રહણને ઉછેદ કરવામાં નિમિત્તભૂત એવા “સંવર તત્વનું હવે લક્ષણ અને વિધાન પૂર્વક પ્રતિપાદન કરવામાં આવે છે. તેમાં સંવરનું લક્ષણ એ છે કે
'आस्रवनिरोधनिमित्तकत्वं संवरस्य लक्षणम् । (६३९) અર્થાત્ આસવના પ્રતિબંધના કારણને “સંવર' કહેવામાં આવે છે. આ સંવરના (૧) દ્રવ્યસંવર અને (૨) ભાવ-સંવર એમ બે પ્રકારે છે. તેમાં દ્રવ્ય-સંવરનું લક્ષણ નીચે મુજબ છે –
कर्मपुद्गलादानोच्छेदपरिणामरूपत्वं द्रव्यसंवरस्य लक्षणम् । (૬૦), અર્થાત્ કમરૂપ પુગલના ગ્રહણના ઉચછેદરૂપ પરિણામને “ દ્રવ્ય-સંવર' કહેવામાં આવે છે. ભાવ-સંવરનું લક્ષણ–
भवहेतुक्रियात्यागनिमित्तपरिणामरूपत्वं भावसंवरस्य लक्षणम् । (૨૪) અર્થાત સંસારના હેતુરૂપ ક્રિયાના ત્યાગમાં નિમિત્તરૂપ પરિણામને ‘ભાવ-સંવર કહેવામાં આવે છે.
આપણે જોઈ ગયા તેમ કમના આગમનના કારણરૂપ આસવ છે અને તે શુભ અથવા અશુભ એવા માનસિક, વાચિક અને કાયિક વ્યાપારે, પાંચ ઈન્દ્રિયે, ચાર કષા, પાંચ અવત અને ૨૫ કિયાઓ એમ ૪૨ પ્રકારે છે. આ આસને રોકવા તેનું નામ “સંવર' છે. આ ઉપરથી એ ફલિત થાય છે કે કર્મના ઉપાદાનમાં હેતુરૂપ એવા પરિણામને અભાવ તે “સંવર” છે.
૧ સરખાવો તસ્વાર્થ ( અ. ૯)નું નિમ્નલિખિત આ સૂત્ર –
“ આજ્ઞાનિક સંશઃ I ? ” ૨ જે નિમિત્ત દ્વારા કમનો બંધ થાય તે જ આસવ' છે. આવાં નિમિત્તોની સંખ્યા ૪ર ની દર્શાવાય છે. આ પૈકી જેટલાં નિમિત્તનો વિરોધ કરાય-જેટલે અંશે આસવનો પ્રતિબંધ કરાય તેટલે અંશે સંવરની ઉત્પત્તિ સમજવી. વિશેષમાં આધ્યાત્મિક વિકાસનો ક્રમ આઝવનિરોધ યાને સંવરના કમ ઉપર અવલંબિત છે; એથી જેમ જેમ સંવરની માત્રા વધતી જાય તેમ તેમ ચડિયાતું ગુણસ્થાન પ્રાપ્ત
18,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org