SearchBrowseAboutContactDonate
Page Preview
Page 1142
Loading...
Download File
Download File
Page Text
________________ ઉલાસ ] આહંત દર્શન દીપિકા. ૧૦૬૩ પુણ્ય પાપથી મિશ્ર એક વસ્તુમાં પુણ્યને અંશે વધારે હોય તે તે “ પુણ્ય ” કહેવાય છે અને પુણ્યાંશની હાનિ થવાથી તે “પાપ” કહેવાય છે; અને પાપને અંશ વધારે હોય તે તે “પાપ” કહેવાય છે અને તેની હાનિ થતાં તે “પુણ્ય” કહેવાય છે. કેટલાક પુણ્ય અને પાપ વિના સ્વભાવથી જ આ સંસારની વિચિત્રતા માને છે, પરંતુ તે હકીકત વ્યાજબી નથી; કેમકે જો સ્વભાવ જ સંસારની વિચિત્રતાનું કારણ હોય તો એ સ્વભાવ શું કઈ વસ્તુ છે, નિષ્કારણુતા છે કે વસ્તુને ધર્મ છે એ જાણવું બાકી રહે છે. પ્રથમ વિકલ્પ સ્વીકારીએ અર્થાત સ્વભાવ કઈ વસ્તુ છે એમ માનીએ તે આકાશકુસુમની પેઠે તે કઈ રથળે ઉપલબ્ધ નથી તેમજ તેને પ્રતીતિ કરાવનારૂં કઈ પ્રમાણ નથી એથી તેને અભાવ જ છે. વળી એની અત્યંત અનુપલબ્ધિ હોવા છતાં એ સ્વભાવ છે, પરંતુ કમ નથી એમ શા માટે માનવું ? જે હેતુ સ્વભાવનું અસ્તિત્વ સિદ્ધ કરે છે તે જ હેતુ કર્મનું અસ્તિત્વ પણ સિદ્ધ કરે તેમ છે. વળી અપ્રમાણિક સ્વભાવને વસ્તુરૂપે સ્વીકારાય તે કર્મને તેમ શા સારૂ ન માનવું ? એટલે કે સ્વભાવ એ કર્મનું અન્ય નામ છે એમ કહેવામાં છે દોષ છે? વિશેષમાં તે સ્વભાવ ઘટની પેઠે મુકરર આકારવાળો હોવાથી કત ન થઈ શકે. વળી જે તે મૂર્ત હોય તે કર્મ અને સ્વભાવ એ બેમાં કેવળ નામને જ ફરક છે. જે તે અમૂર્ત હોય તે ઉપકરણ રહિત હોવાથી તે કર્તા ન થઈ શકે. જેમકે આકાશ અમૂર્ત હોવાથી તે શરીરને કરનાર નથી. શરીરાદિ મૂર્ત કાર્યનું અમૂર્ત સ્વભાવ કારણ છે એ માન્યતા પણ એગ્ય નથી, વારતે કાર્યાદિપણુ વડે તેને મૂત માનવું ઇષ્ટ છે. હવે જે રવભાવને અર્થ નિષ્કારણુતા કરવામાં આવે તે એને અર્થ એ થયો કે કારણ વિના પણ દેહાદિ સર્વ વરતુઓ ઉત્પન્ન થાય છે. આથી તે ગધેડાનાં શીંગડાં નિષ્કારણ જ છે માટે તે પણ હોવાં જોઇએ. વળી કારને અભાવ સર્વત્ર સમાન હોવાથી એકીસાથે સર્વ શરીરાદિ ઉત્પન્ન થવાં જોઈએ. વળી એ પ્રમાણે માનવાથી તે શરીરાદિની ઉત્પત્તિ હેતુ વિના અર્થાત્ અકસ્માત થવાની અને એમ માનવું તે અયુક્ત છે, કેમકે જેની ઉત્પત્તિ અકસ્માત - હેતુ વિના હોય છે તે અભ્ર વગેરેના વિકારની પેઠે પ્રતિનિયત આકારવાળું હોતું નથી. શરીરાદિ તે આદિવાળાં તેમજ પ્રતિનિયત આકારવાળાં છે, વારતે તેની ઉત્પત્તિ આકસ્મિક નહિ ગણાય, પરંતુ કર્મરૂપ હેતુને આભારી ગણાય, દેહાદિ ઘટની પેઠે પ્રતિનિયત આકારવાળાં હોવાથી ઉપકરણવાળા કર્તાએ તે રચ્યાં છે એમ જણાય છે અને ગર્ભાદિ અવસ્થામાં કર્મ સિવાય બીજું ઉપકરણ ઘટે નહિ, માટે તે કર્મરૂપ હેતુ માનવો સયુક્તિક છે, સ્વભાવ એ વસ્તુને ધર્મ છે એ વિકલ્પ હવે વિચારીશું. વિજ્ઞાનાદિ જેમ આત્માના ધર્મો છે તેમ જે એ અમૂર્ત આત્માને ધર્મ હોય તે આકાશની પેઠે અમૂત હોવાથી તે શરીરાદિનું કારણ થઈ શકે નહિ. જે સ્વભાવ એ કઈ મૂર્ત વસ્તુને ધમ હોય તો તેમ માનવામાં અડચણ નથી, કેમકે કર્મ એ પુદગલાસ્તિકાયનો પર્યાય જ છે અને તેને તેવો સ્વભાવ છે. અન્ય શબ્દોમાં કહીએ તો સ્વભાવ એ જીવ અને કમને પરિણામ છે અને પુણ્ય અને પાપનાં નામથી ઓળખાતો એ પરિણામ કારણથી અને કાર્યથી જાણી શકાય તેમ છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004886
Book TitleArhat Darshan Dipika
Original Sutra AuthorN/A
AuthorMangalvijay, Hiralal R Kapadia
PublisherYashovijay Jain Granthmala
Publication Year1932
Total Pages1296
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy