SearchBrowseAboutContactDonate
Page Preview
Page 1141
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦૬૨ બન્ધ-અધિકાર. 1 ચતુર્થ સાધારણ એક જ તત્ત્વ છે. અન્ય શબ્દોમાં કહીએ તે પુણ્ય અને પાપ એ બે મેચક મણિની પેઠે મિશ્ર છે, એટલે કે સુખ-દુઃખના કારણરૂપ પુણ્ય-પાપ એક જ ઉભય સ્વરૂપવાળી વસ્તુ છે. કેટલાકનું માનવું એવું છે કે કર્મ જેવી કોઈ ચીજ જ નથી. આ જગતને સર્વ પ્રપંચ જે ચાલી રહ્યો છે તે બધે રવભાવે કરીને ચાલે છે ચાલ્યા કરે છે. આ પ્રમાણેના ચાર પક્ષો પૈકી એકેને ન સ્વીકારતાં જૈનોનું કહેવું ન્યારું જ છે. તેમની માન્યતા મુજબ પુણ્ય અને પાપ એ બે કર્મને ભેદે હાઈ ખપુષ્પરૂપ નથી, પરંતુ વાસ્તવિક પદાર્થો છે, એટલું જ નહિ પણ વિશેષમાં તે બંને સ્વતંત્ર છે. બંનેની જાતિ સ્વભાવથી જુદી છે. એટલે પુણ્ય અને પાપના સરવાળા કે બાદબાકી માટે સ્થાન નથી. સ્પષ્ટ શબ્દોમાં કહીએ તે એક મનુષ્ય ૬૦ ટકા પુણ્ય કર્યું હોય અને ૪૦ ટકા પાપ કર્યું હોય તે તેને આ બંનેનું પૃથક પૃથક ફળ ભેગવવુ પડે નહિ કે કેવળ ૨૦ ટકા પુણ્યનું. એવી રીતે જ એ મનુષ્ય ૮૦ ટકા પાપ કર્યું હોય તો તેના પુણ્યનું ફળ નષ્ટ થઈ કેવળ તેને ૨૦ ટકા પાપનું ફળ ભોગવવું પડે એ વાત પણ જૈન સિદ્ધાન્તને સંમત નથી. આથી એ નિષ્કર્ષ નીકળે છે કે જેના મત પ્રમાણે પુણ્ય અને પાપ એ બે તદ્દન જુદાં જુદાં પરસ્પર સંબંધ વિનાનાં સ્વતંત્ર ત છે. પુણ્ય જ છે, પાપ નથી એ પ્રમાણે એકાત માનનારા એવું પ્રતિપાદન કરે છે કે જેમ પથ્ય આહારની વૃદ્ધિ થતાં આરોગ્યમાં વધારો થાય છે તેમ પુણ્યની વૃદ્ધિ થતાં સુખની પણ વૃદ્ધિ થાય છે. અર્થાત પુણ્યના ઉત્કર્ષ અનુસાર સુખની વૃદ્ધિરૂપે છેવટે સ્વર્ગનું સુખ પણ મળે છે. વળી જેમ પથ્ય આહારને અનુક્રમે ત્યાગ કરવાથી રોગ થાય છે તેમ પુણ્ય ની હાનિ થવાથી સુખની પણ હાનિ થાય છે, દુઃખ થાય છે. છેવટે વધારેમાં વધારે નરકનું દુઃખ પ્રાપ્ત થાય છે. વિશેષમાં જેમ પથ્ય આહારને સર્વાશે ત્યાગ કરવાથી જેમ મરણ થાય છે તેમ પુણ્યને સર્વાંશે ક્ષય થતાં મોક્ષ મળે છે. પુણ્યના સર્વથા અભાવ પૂર્વક કેવળ પાપને માનનારાનું મંતવ્ય એ છે કે જેમ અપચ્ચ આહારની વૃદ્ધિ થતાં રોગમાં વધારો થાય છે તેમ પાપની વૃદ્ધિથી દુ:ખની વૃદ્ધિ થાય છે. અર્થાત પાપના ઉત્કર્ષમાં અધમતાનું-નરકનું દુ:ખ પ્રાપ્ત થાય છે. વળી અપથ્ય આહારને ત્યાગ કરવાથી જેમ આરોગ્ય વધે છે તેમ પાપને અપકર્ષ થવાથી સુખની વૃદ્ધિ થાય છે અને છેવટે સ્વર્ગનું સુખ પણ મળે છે. વિશેષમાં અપથ્ય આહારને સર્વથા ત્યાગ કરવાથી જેમ પરમ આરોગ્ય મળે છે તેમ પાપને સર્વાંશે ક્ષય થવાથી મોક્ષ પ્રાપ્ત થાય છે. પુણ્ય અને પાપ એક જ સંકીર્ણ વસ્તુ છે, પરંતુ જુદી જુદી નથી એમ માનનારાનું કહેવું એ છે કે જેમ મેચક-મણિમાં અનેક રંગે હોવા છતાં તે એક જ વસ્તુ છે, નરસિંહમાં નર અને સિંહની જુદી જુદી આકૃતિ હોવા છતાં તે એક જ વ્યક્તિ છે અથવા તે હરતાલ કે ગળી વગેરે વર્ણોમાંથી કેઈ પણ બે વણેથી મિશ્ર વર્ણ જેમ એક જ વસ્તુ છે તેમ આ પુણ્ય અને પાપ પણ ઉભય મિશ્ર એક જ વસ્તુ છે. જ્યારે એ એક જ વસ્તુ છે તે તેનાં પરસ્પર વિરોધી પુણ્ય અને પાપ એવાં નામ કેવી રીતે સંભવે એ કઈ પ્રશ્ન કરે તે તેને ઉત્તર તેઓ એમ સૂચવે છે કે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004886
Book TitleArhat Darshan Dipika
Original Sutra AuthorN/A
AuthorMangalvijay, Hiralal R Kapadia
PublisherYashovijay Jain Granthmala
Publication Year1932
Total Pages1296
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy