SearchBrowseAboutContactDonate
Page Preview
Page 1137
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦૫૮ અન્ય-અધિકાર. [ ચતુથ ( ૧ ) `પાત્રને અન્ન આપવું; ( ૨ ) પાત્રને જળ આપવુ, ( ૩ ) પાત્રને સ્થાન આપવુ, ( ૪ ) પાત્રને શયન આપવુ', (૫ ) પાત્રને વસ્ર આપવુ', ( ૬ ) મનથી શુભ વિચાર કરવા, ( ૭ ) વચનને શુભ ઉપયોગ કરવા, ( ૮ ) કાયાથી પ્રશસ્ત કાર્ય કરવું અને ( ૯ ) નમસ્કારાદિ ક્રિયા કરવી એ પુણ્ય બાંધવાના નવ પ્રકારા છે. (૧) જીવ-હિ ંસા કરવી, (૨) જૂહુ ખેલવુ, (૩) ચેારી કરવી, (૪) વિષય-સેવન કરવુ, (૫) પરિગ્રહ રાખવે, (૬) અપ્રશસ્ત ક્રોધ કરવા, (૭) અપ્રશસ્ત અભિમાન રાખવું, (૮) અપ્રશસ્ત માયા સેવવી, (૯) અપ્રશસ્ત લેાભ કરવા, (૧૦) અપ્રશત રાગ રાખવા, (૧૧) અપ્રશસ્ત દ્વેષ કરવા, (૧૨) અપ્રશસ્ત ક્લેશ કરવા, (૧૩) કલંક ચડાવવું, (૧૪) ચાડી ખાવી, (૧૫) હર્ષ, શાક કરવા, (૧૬) નિંદા કરવી, (૧૭) કપટ રાખી જૂઠ્ઠું ખેલવુ' અને (૧૮) મિથ્યાત્વ-શલ્યથી યુક્ત હાવું એ પાપ માંધવાના ૧૮ પ્રકારા છે. આ પૈકી ત્રાજવાના એક પલ્લામાં મિથ્યાત્વને મૂકીએ અને બીજા પલ્લામાં બાકીનાં પ્રાણાતિપાતાદિ ૧૭ પાપ-સ્થાનકા મૂકીએ તે પણ મિથ્યાત્વવાળુ' પલ્લુ' નીચુ રહે છે. પુણ્યના અને પાપના બે પ્રકારા-~~ પુણ્યાનુ.ંધી પુણ્ય વળાવા સમાન છે, નહિ કે લૂટારા સમાન ભેગની અભિલાષાથી ધમ ન કરતાં મુક્તિ મેળવવાની ઇચ્છાથી ધર્માં કરાય તેા પુણ્યાનુબંધી પુણ્ય બંધાય. મુક્તિની અભિલાષાથી કરાયેલા ધમ અપૂર્ણ હોય તેા એકદમ મુક્તિન મળે, કિન્તુ મુક્તિ ન મળે ત્યાં સુધી તે તેનાં સાધને પૂરાં પાડે, તેમજ પ્રાસંગિક લાગા-ઉપભાગે પણ મેળવી આપે. સાધ્ય મળતાં સાધન નિવૃત્ત થાય તેમ મુક્તિરૂપ સાધ્ય મળતાં તેના સાધનરૂપ પુણ્યાનુબંધી પુણ્ય નિવૃત્ત થાય. જેમ સ્થાન ૧ અત્ર પાત્રથી મેક્ષમાગે સંચરતા મુનિરૂપ સુપાત્ર, ધર્મી ગૃદ્ગસ્થ તેમજ અનુકંપાને પાત્ર એવા અપંગાદિ જીવા સમજવા. મુખ્યત્વે ધ'ની બુદ્ધિથી અને ગૌણુથી પૌલિક સુખ અને સદ્ગતિ મેળવવાની ઇચ્છાથી સુપાત્રને અન્નાદિક આપવાથી અશુભ કર્મીની નિર્જરા થઈ મહાપુણ્ય ઉપાર્જન થાય, ધર્મી ગૃહસ્થને આપવાથી અલ્પ નિર્જરા પૂર્વક પુણ્ય ઉપાર્જન થાય, અપંગાદિ દુ:ખી થવાને આપવાથી પણ પુણ્ય ઉપાર્જન થાય. સત્ય ધર્મથી વિમુખ જનોને પણ અન્નાદિ આપવામાં જૈન મત સંમત છે, કેમકે જેનેાનાં અભંગ દ્વાર છે. અને બારણેથી ક્રાઇ નિરાશ થને ન જવા જોઇએ; હા, અલબત્ત એવા વેને આપવાથી પુણ્ય થશે અથવા તો એ ધર્મી જીવ છે એવી બુદ્ધિ ન હોવી જોઇએ. યાચક બારણેથી નિરાશ થઇ જાય તો પોતાના દાક્ષિણ્ય-ગુણમાં ખામી આવે, પોતાના ધમ નિંદાય. પોતાનામાં દાન-ગુણ પ્રગટે, પોતાના ધર્માંની પ્રશંસા થાય અને અન્ય જીવા પણ ધર્માભિમુખ અને ઉદ્દેશથી ગમે તેને પણ દાન આપવામાં વાંધા નથી, લક્ષ્મી ઉપરનો મા જતા રહેવાથી લક્ષ્મીની અમારતા દર્શાવવાને તીથ કરાદિ દીક્ષા લેનાર ઉત્તમ છવાની પેઠે ગમે તે જીવને દાન આપે ા તેથી પુણ્ય જ બંધાય. ૨ આ ૧૮ પાપ-સ્થાનકા છે. આ પૈકી પ્રશસ્ત ભાવે કેટલાક સેવાય તે પુણ્ય બંધાય છે. તેમાં પ્રશસ્ત ભાવથી જિનાજ્ઞા અનુસાર દેવ, ગુરુ અને ધમ ઉપરના રાગ સમજવા, ધન વગેરે સાંસારિક પદાર્થ ઉપર રાગ રાખવા એ તે અપ્રશસ્ત ભાવ છે. ધીરે ધીરે પ્રશસ્ત રાગના પણ ત્યાગ કરવા જેથી માક્ષ મળે. પ્રથમ પ્રશસ્ત રાગ વડે અપ્રશ્નતને મારી હઠાવ એટલે સ્વાભાવિક રીતે પ્રશસ્ત રાગથી પણ નિવૃત્ત થવાશે અને તેમ થતાં મેક્ષની પ્રાપ્તિ થશે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004886
Book TitleArhat Darshan Dipika
Original Sutra AuthorN/A
AuthorMangalvijay, Hiralal R Kapadia
PublisherYashovijay Jain Granthmala
Publication Year1932
Total Pages1296
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy