________________
૧૦૪૪
બન્ધ-અધિકાર
[ ચતુથ
કાયાગરૂપ શારીરિક ચેષ્ટા અર્થાત્ શરીર દ્વારા આહાર ગ્રહણાદિ કાર્ય કરવાં, ધાવન, વક્શન વગેરે ક્રિયા કરવા શક્તિમાન્ થવું તેમજ શરીરપ્રાગ્ય ગ્રહણ કરાતા લેમ-આહાર અથવા તો વલ-આહાર દ્વારા પ્રાપ્ત થયેલા મુદ્દગલેને શરીરરૂપે પરિણામાવવાની ક્રિયા કરવી એ શરીર-પર્યાપ્તની પૂર્ણાહુતિનાં ફળ છે.
શ્રીશીલાંકસૂરિ કથે છે તેમ આ પર્યાપ્ત પૂર્ણ થતાં ભવ-ધારણીય દેહ સંબંધી કાય-ગની પ્રાપ્તિ થાય છે.
ઈન્દ્રિય-પર્યાપ્તિ પૂર્ણ થતાં ઈન્દ્રિય દ્વારા વિષય-ધનું કાર્ય થાય છે.
શ્વાસે શ્વાસ-વર્ગણાને ગ્રહણ કરી, અવલંબીને મૂકવાની ક્રિયારૂપ જે ઉચ્છવાસરૂપ પ્રાણની ઉત્પત્તિ તે શ્વાસે શ્વાસ-પર્યાપ્તિને આભારી છે.
ભાષા-વર્ગણાને ગ્રહણ કરી ભાષા-પર્યાપ્તિ દ્વારા ભાષા બોલવાની ક્રિયારૂપ વચનબળરૂપ પ્રાણ પ્રાપ્ત થાય છે.
મનપતિ પૂર્ણ થવાથી મને વર્ગણાને ગ્રહણ કરી ચિંતનવ્યાપારરૂપ મને બળ નામને પ્રાણ ઉદભવે છે.
આ પ્રમાણે જીવ જીવન પર્યત સેવવા ગ્ય નવ પ્રાણરૂપ નવા કાર્યોમાં છ પર્યાત્તિઓ પર્ણ થતાં પ્રવૃત્તિ કરી શકે છે. આયુષ્ય-પ્રાણ એ કઈ પણ પર્યાતિનું કાર્ય નથી. અથવા આહાર-પર્યાપ્તિ આયુષ્ય-પ્રાણને ટકાવવામાં મુખ્યત્વે કરીને સહાયકારી ગણી શકાય, કેમકે આહાર વિના જીવન ટકી શકે નહિ. પર્યાપ્તિને પ્રારંભ અને તેની પૂર્ણાહુતિ–
સર્વ પર્યાપ્તિઓને પ્રારંભ યાને તે તે પર્યાપિત સંબંધી પુદગલની રચનાની શરૂઆત તે પ્રથમ સમયથી જ શરૂ થાય છે, કિન્તુ તેની પૂર્ણાહુતિ સમકાલીન નથી. પ્રથમ સમયે જે પુગલો સામાન્ય સ્વરૂપવાળા ગ્રહણ કરાયા તે પગલેમાંથી તે જ સમયે કેટલાક પુદગલની શરીરરૂપે રચના કરી, કેટલામાંથી આવ્યંતર નિવૃત્તિ-ઈન્દ્રિય બનાવી, કેટલાકને ઉચ્છવાસકરણરૂપે રચ્યા, કેટલાકને ભાષાકરણરૂપે સ્થાપ્યા અને કેટલાકને મનઃકરણરૂપે રચ્યા. શરીરાદિ પરિણમવા માટે જે પુદ્ગલ અગ્ય જણાયા તેને બીજા સમયે ત્યાગ કરાયો. આ પ્રમાણે પ્રથમ સમયે પુદગલે ગ્રહણ કરવારૂપ જે શક્તિ તે ગ્રહણ-કાર્ય માટે પ્રવર્તી તે આહાર-પર્યાપ્તિરૂપ શક્તિ પ્રથમ સમયે જ સમાપ્ત થયેલી ગણાય છે. અત્ર કે પ્રશ્ન ઊઠાવે કે પુગલને આહાર તે પ્રથમ સમય બાદ પણ ચાલુ રહેવાને છે તો પ્રથમ સમયે આહાર-પર્યાપ્તિરૂપ શક્તિની પૂર્ણાહુતિ થઈ એમ કેમ કહેવાય તે એને ઉત્તર એ છે કે ગ્રહણ-કાર્ય ગમે તેટલો વખત ચાલે પરંતુ ગ્રહણશક્તિ તો ગ્રહણ-કાર્ય ચાલુ થયાની અપેક્ષાએ પ્રથમ સમયે જ સંપૂર્ણ થયેલી ગણાય. એ પ્રાપ્ત થયેલી શક્તિ જેટલા કાળ સુધી ટકે ત્યાં સુધી પ્રહણ-કાર્ય ચાલુ રહે.
અત્રે એ પણ પ્રશ્ન ઉદ્ભવે કે પ્રથમ સમયે પ્રાપ્ત થયેલી શક્તિ વડે પગલે ગ્રહણ કરાયા કે પુદ્ગલે ગ્રહણ કરવાથી તથાવિધ શક્તિને પ્રાદુર્ભાવ થયો?
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org