________________
ઉલ્લાસ ]
આહંત દર્શન દીપિકા.
१०४३
જ તે “કરણ-પર્યાપ્ત” કહેવાય છે જે લબ્ધિ-પર્યાપ્ત છે તે લબ્ધિ-અપર્યાપ્ત ન જ હોય અને જે લબ્ધિ-અપર્યાપ્ત છે તે લબ્ધિ-પર્યાપ્ત ન જ હાય.
વિશેષમાં લબ્ધિ-અપર્યાપ્ત જીવ તે કરણ-અપર્યાપ્ત જ છે; એ સ્વગ્ય પર્યાપ્તિ વડે અપર્યાપ્ત જ છે, એટલે એને કદાપિ એ પૂર્ણ કરી કરણુ-પર્યાપ્ત બની શકે તેમ નથી જ. આ દષ્ટિએ કરણ--અપર્યાપ્તપણું સમજવું, નહિ કે એ ભવિષ્યમાં સ્વયેગ્ય પર્યાસિઓ પૂર્ણ કરશે એ અપેક્ષાએ. અન્ય રીતે તે કરણ-અપર્યાપ્ત કે કરણ–પર્યાપ્ત એ બેમાંથી એકે ભેદ લબ્ધિઅપર્યાપ્તને સંભવે જ નહિ.
જે જીવ કરણ-પર્યાપ્ત છે તે લબ્ધિ-પર્યાપ્ત જ છે, નહિ કે લબ્ધિ-અપર્યાપ્ત કે કરણઅપર્યાપ્ત; કેમકે લબ્ધિ-પર્યાપ્તતા વિના કરણપર્યાપ્તતા સંભવતી જ નથી.
જે જીવ કરણ–અપર્યાપ્ત છે તે લબ્ધિ-પર્યાપ્ત હોય કે લબ્ધિ-અપર્યાપ્ત પણ હોય; કેમકે ઉપર સૂચવ્યા મુજબ લબ્ધિ-અપર્યાપ્ત તે કરણુ-અપર્યાપ્ત જ છે અને લબ્ધિ-પર્યાપ્ત છે પણ જ્યાં સુધી સ્વગ્ય પર્યાપ્તિઓ પૂર્ણ કરી નથી ત્યાં સુધી તે તે કરણ-અપર્યાપ્તિ જ છે." પર્યાપ્ત અપર્યાપ્તને કાલ-નિર્ણય–
એક ભવ આશ્રીને જીવને લબ્ધિ-અપર્યાપ્તતા અંતમુહૂર્ત સુધી હોય છે, કેમકે લબ્ધિઅપર્યાપ્તનું આયુષ્ય અંતમુહૂર્તથી અધિક હેતું નથી એ શાસ્ત્રીય નિયમ છે. લબ્ધિ-પર્યાપ્તતા ભવના પ્રથમ સમયથી તે અન્ય સમય સુધી રહે, કરણ -અપર્યાપ્તતા જીવને અંતમુહૂર્ત સુધી જ હોય; કેમકે જે એ લબ્ધિ-અપર્યાપ્ત હોય તે અંતમુહૂત બાદ એનું મરણ થાય અને જે લબ્ધિ-પર્યાપ્ત હોય તે અંતમુહૂર્ત વ્યતીત થતાં તે સ્વયેગ્ય પર્યાપ્તિએ પૂર્ણ કરી જ રહ્યો હોય અને તેમ થતાં કરણ-અપર્યાપ્ત મટી તે કરણ-પર્યાપ્ત જ બને. કરણ - પર્યાપ્તતાને કાળ અંતમુહૂત ન્યૂન નિજ આયુષ્ય પ્રમાણ સમજવો; કેમકે જીવ વિવક્ષિત ભવમાં ગયા પછી અંતમુહૂર્ત બાદ સ્વગ્ય પર્યાપ્તિઓ પૂર્ણ કરી શકે છે અને તેમ થયા બાદ જ તે કરણ-પર્યાપ્ત ગણાય છે. આ કારણુ-પર્યાપ્તતા ભવ સુધી-જીવન પર્યંત રહે છે.
કાય-સ્થિતિ-કાલની અપેક્ષાએ તે લબ્ધિ-અપર્યાપ્તને જઘન્ય તેમજ ઉત્કૃષ્ટ કાયસ્થિતિકાલ અંતમુહૂર્ત છે. એટલા વખતમાં જીવ કેટલાક ભ કરે. લબ્ધિ પર્યાપ્તનો કાય-સ્થિતિ- કાલ જઘન્યથી અંતમુહૂર્ત અને ઉત્કૃષ્ટથી સાગરેપમ-પૃથકત્વ છે. આ પ્રમાણે પ્રજ્ઞાપનામાં કાય-સ્થિતિ પદમાં ઉલ્લેખ છે. કરણુ-પર્યાપ્ત અને કરણ–અપર્યાપ્તના સંબંધમાં તે ભવ આશ્રીને જે ઉલ્લેખ છે તે અત્ર ઘટાવી લે.
પૂર્ણ થયેલી પતિઓ દ્વારા ઉદ્ભવતી ક્રિયા
પ્રતિસમય આહાર ગ્રહણ કરવારૂપ ક્રિયા અથવા તે ગ્રહણ કરેલા આહારને ખેલ રસરૂપે પરિણમન કરવાની ક્રિયા આહાર-પર્યાતિ દ્વારા થાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org