SearchBrowseAboutContactDonate
Page Preview
Page 1118
Loading...
Download File
Download File
Page Text
________________ ઉલ્લાસ ] આહંત દર્શન દીપિકા. ૧૦૩૯ પંચેન્દ્રિયને પ્રાથમિક પાંચ અને સંજ્ઞી પંચેન્દ્રિયને છ (સ) પર્યાપ્તિઓ હોય છે. આ હકીકતનું નવતત્ત્વપકરણની છી ગાથા સમર્થન કરે છે. આ ઉપરથી કોઈ શંકા ઊઠાવે કે જ્યારે એક ન્દ્રિોને, વૈક્રિય દેહધારીને તેમજ આહારક દેહધારીને પણ આહાર પર્યાપ્તિ અને શરીરપર્યાપ્તિ હોવાનું સ્પષ્ટ ઉલ્લેખ છે તે શું તેઓ ગ્રહણ કરેલા આહારને ખલ-રસરૂપે પરિણુમાવે છે અને શું તે રસરૂપ બનેલા આહારમાંથી સાત ધાતુઓ પણ બનાવે છે કે ? આને ઉત્તર હામાં આપી શકાય તેમ નથી જ, કેમકે જૈન શાસ્ત્રમાં આ છાને ખલ, રસ કે સાત ધાતુમય શરીર ન હોવાનું સ્પષ્ટ વિધાન છે, તેથી આ જીવને આહાર-પર્યાપ્તિ અને શરીર-પર્યાપ્તિ કેવી રીતે સંભવે છે એ પ્રશ્ન ઊભે જ રહે છે. આને ઉત્તર એ છે કે જોકે આ ત્રણેને ખબરસરૂપ પરિણમન તેમજ સાત ધાતુમય દેહને સંભવ નથી, પણ આહારનું ગ્રહણ કરવાની અને તે આહારને શરીરરૂપે પરિણાવવાની ક્રિયા તેઓ કરે છે. આહારને ગ્રહણ કરવાની ક્રિયાની પરિસમાપ્તિરૂપ એ ત્રણેને આહાર-પર્યાપ્તિ છે. *નવતત્વ-ભાગ્ય પ્રમાણે તે આહારને ગ્રહણ કરવારૂપ જે શક્તિ જીવમાં છે તેને “આહારપર્યાપ્તિ” કહી છે. એ આહાર દ્વારા પ્રાપ્ત કરેલા પુદ્ગલેને એકેન્દ્રિય સંબંધી હારિક શરીરરૂપે કે વેન્દ્રિય અથવા આહારકરૂપે પરિણાવવાની ક્રિયાની પરિસમાપ્તિરૂપ એ ત્રણેને શરીર– પર્યાદિત છે. જે કે શરીર-પર્યાપ્તિના અર્થમાં સાત ધાતુરૂપે પરિણુમાવવાની શક્તિરૂપ અર્થ અનેક સ્થળે દષ્ટિગોચર થાય છે, પરંતુ એ દારિક શરીરની મુખ્યતાએ જ સૂચવાયે હોય એમ જણાય છે. જે જીવનું જેવું શરીર હોય તેવું શરીર રચવાની શક્તિ કે તેમ કરવારૂપ કિયાની પરિસમાપ્તિને “શરીર-પર્યાપ્તિ” કહેવામાં મને તે કશો બાધ જણાતું નથી. અત્રે એ ધ્યાનમાં રાખવું કે જીવની જેટલી પર્યાપ્તિ માટેની ગ્યતા હોય તેટલી તે પૂર્ણ ૧ આ ઉપરથી એમ અનુમનાય છે કે ઇન્દ્રિયની વૃદ્ધિના વિકાસ અનુસાર પર્યાપ્તિઓના વિકાસનો ક્રમ રહેલો છે, એકેન્દ્રિય આહાર લઈ, તેને રસરૂપે રચી, તેનું વિશેષ રૂપાંતર કરી યાવત શરીર રૂપે ઘડે છે અને શ્વાસોચ્છવાસ ધારણ કરે છે. વિકલેન્દ્રિય આ ઉપરાંત બોલવાનું કામ વધારે કરે છે. અને સંસીઓને માનસ જ્ઞાન વધારામાં હોય છે. २ " आहारसरीरिदिय पजत्ती आणपाणभासमणे । વસ રંજ છfe -વિરાટા-ડાન્નિ-સન્ન છે. ” [ आहारशरीरेन्द्रियपर्याप्तय आनप्राणभाषामनांसि । જતઃ % ચેક-નિઝરાન્ડરરકા--સબિાના” || 1 ૩ જુઓ પૃ. ૧૦૨૮. ૪ આ રહ્યો એ ઉલ્લેખ:-- " आहाराइग्गणे जा सत्ती त भणंति पजत्ती" [ rદારા યા શરિતાં મત vfa ] Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004886
Book TitleArhat Darshan Dipika
Original Sutra AuthorN/A
AuthorMangalvijay, Hiralal R Kapadia
PublisherYashovijay Jain Granthmala
Publication Year1932
Total Pages1296
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy