SearchBrowseAboutContactDonate
Page Preview
Page 1116
Loading...
Download File
Download File
Page Text
________________ ઉ૯લાસ ] આહંત દર્શન દીપિકા ૧૦૩૭ "तन्त्र मनोऽभिनिर्वृत्त्यै यद् दलिकद्रव्यमुपात्तमात्मना सामनःपर्याप्तिर्नामकरणविशेषेण सर्वात्मप्रदेशवर्तिना याननन्तप्रदेशान् मनोवगंणायोग्यान् स्कन्धान चित्तार्थमादत्ते ते करणविशेषपरिगृहीताः स्कन्धा द्रव्यमनोऽभिधीयन्ते" –ઉલ્લેખ ઉપરથી સમજાય છે કે મન પર્યાપ્તિ સંબંધી પુદગલે શરીરમાં સર્વત્ર વ્યાપી છે. આહાર-પર્યાપ્તિ અને શરીર–પયોતિ સંબંધી પુદગલે પણ શરીરમાં સર્વત્ર વ્યાપ્ત હેવાનું સંભવે છે. ઈન્દ્રિય-પર્યાપ્તિના પુદ્ગલેનું સ્થાન ઈન્દ્રિયના સ્થાનની જેમ અમુક હોય એમ જણાય છે, કેમકે સ્પર્શનેન્દ્રિયના પુદ્ગલે ચાંદીના પૂતળાને ચઢાવેલા સેનાના ઢેલ પ્રમાણે શરીરની ઉપર અને મધ્ય ભાગ સિવાય અંદરના ભાગમાં પ્રતરરૂપે અવિચ્છિન્નપણે વ્યાપી છે. રસનેન્દ્રિયના પુદગલે તે તે બાહ્ય આકારના સ્થાનમાં જ ગોઠવાયેલા છે, માટે શરીરમાં સર્વ વ્યાપ્ત નથી. શ્વાસોચ્છવાસ-પર્યાપ્તિ અને ભાષા-પર્યાપ્તિના પુદ્ગલનાં સ્થાને વિષે સ્પષ્ટ નિર્દેશ કરે અશક્યપ્રાય છે. પર્યાપ્તિઓની સમાપ્તિની કમ– આહાર-પર્યાપ્તિ ઈત્યાદિ છ પર્યાપ્તિઓ પૈકી જે જીવને જેટલી પર્યાતિઓ હોય છે તે જીવ તેટલી પર્યાતિઓને સમકાલે પ્રથમ સમયે જ પ્રારંભ કરે છે, પરંતુ તેની સમાપ્તિ અનુક્રમે થાય છે. આનું કારણ એ છે કે આહારાદિ પર્યાપ્તિઓના પગલે અનુક્રમે વિશેષ વિશેષ સૂક્ષ્મ પરિણામવાળા બનાવવા પડે છે. અન્ય શબ્દોમાં કહીએ તે જેમ એક શેર રૂમાંથી જાડું સૂતર કાંતવું હોય તે તે રૂ વહેલું પૂરું થાય, પરંતુ જે ઝીણું કાંતવું હોય તે વધારે વારે લાગે તેમ આહારાદિ પર્યાપ્તિઓ અનુક્રમે સૂક્ષ્મ, સૂક્ષ્મતર ઇત્યાદિ પરિણામવાળી હોવાથી તેની સમાપ્તિમાં અધિક અધિક કાળ લાગે છે, જેમકે ઔદારિક શરીર સંબંધી પર્યાતિઓમાં પ્રથમ આહાર-પર્યાતિ પહેલે સમયે જ પૂર્ણ થાય છે. ત્યાર પછી અંતમુહૂર્ત કાળમાં શરીરપર્યાપ્તિ, ત્યાર બાદ અંતર્મુહૂર્તમાં ઇન્દ્રિય-પર્યાપ્તિ એ પ્રમાણે મન:પર્યાપ્તિ સુધી સમજી લેવું. વૈક્રિય અને આહારક શરીર આશ્રીને પ્રથમ આહાર-પર્યાપ્તિ પહેલે સમયે જ પૂર્ણ થાય છે, બીજી શરીર–પર્યાપ્તિ અંતમુહૂત બાદ પૂર્ણ થાય છે અને ઇન્દ્રિયાદિ બાકીની ચાર પર્યાપ્તિએ એકેક સમયના અંતરે પૂર્ણ થાય છે. S - ત્યાં મન રચવા માટે આમાએ જે દલિક-દ્રવ્ય ગ્રહણ કર્યું હોય તે “ મનઃ પર્યાપ્તિ ' છે. એ મન:પર્યાપ્તિરૂપ કરણ-વિશેષ કે જે સર્વ આત્મ-પ્રદેશમાં વ્યાપ્ત છે તેના વડે જે મનોવર્ગણાને યોગ્ય અનંતપ્રદેશ સ્કંધોને ચિત્તને માટે આત્મા ગ્રહણ કરે છે તે કરણ-વિશેષ દ્વારા ગ્રહણ કરાયેલા ( પગલિક ) અંધ કે દ્રવ્ય-મન' કહેવાય છે એ આનો અર્થ છે. ૨ આ સંબંધમાં લાકડું ઘડવાનું ઉદાહરણ પણું રજુ કરી શકાય તેમ છે. જેમકે થાંભલા વગેરે જેવો સ્થૂલ આકાર બનાવવો હોય–તેને સમરસ બનાવવો હોય તેમાં જેટલો વખત એક સુથારને લાગે તેના કરતાં જે સુથારે એ થાંભલાનો કુંભી વગેરે ભાગમાં પાંદડીઓ પાડવા પૂતળીઓ રચવા વગેરેનું કાર્ય માથે લીધું હોય તેને તેમ કરવામાં વધારે વખત લાગે, જોકે બંનેએ પોતપોતાનું કાર્ય એક સાથે શરૂ કર્યું હોય. આ પ્રમાણે ચિત્ર, લેગ વગેરે માટે પણ સમજી લેવું. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004886
Book TitleArhat Darshan Dipika
Original Sutra AuthorN/A
AuthorMangalvijay, Hiralal R Kapadia
PublisherYashovijay Jain Granthmala
Publication Year1932
Total Pages1296
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy