SearchBrowseAboutContactDonate
Page Preview
Page 1110
Loading...
Download File
Download File
Page Text
________________ ઉભ્યાસ માત દર્શન દીપિકા, ૧૦૩૧ ‘પર્યાપ્તિ' તરીકે નિર્દેશ કરે છે. પ્રસ્તુત ગ્રંથકારે તા. પર્યાપ્ત એટલે શક્તિ ચાને કરણ તેમજ ‘પર્યાપ્તિ’ એટલે ક્રિયાની પરિસમાપ્તિ એ એ જ અથીઁ સ્વીકાર્યાં છે, અર્થાત્ શક્તિજનક પુદ્ગલ એવા અથ સ્વીકારેલા જણાતા નથી, જોકે (૧) શક્તિ, (૨) શક્તિજનક પુદ્દગલ અને (૩) સમાપ્તિ એમ પર્યાપ્તિના ત્રણે અર્થી સુસંગત છે. સ્પષ્ટ શબ્દોમાં કહીએ તેા જીવ જે ભવમાં ઉત્પન્ન થાય છે તે ભવમાં જીવન શક્તિના નિર્વાહ માટે—જીવન ટકી રહે અને તે જીવનમાં કરવા ચેાગ્ય આવશ્યક કાર્યાં થઇ શકે તેટલા સારૂ તેને આહાર-ગ્રહણાદિ આવસ્યક ક્રિયાઓ કરવી પડે છે. આ ક્રિયા કરવા માટે જે સામ ઉત્પન્ન થવું જરૂરનુ છે તેનુ નામ ‘શક્તિ' યાને ‘પર્યાપ્તિ' છે. આ શક્તિની ઉત્પત્તિ પુદ્ગલસમૂહના આલંબનથી જ-નિમિત્તથી જ ઉદ્ભવે છે; વાસ્તે કારણમાં કાય ના ઉપચાર કરવાથી એ વિશિષ્ટ પુદ્ગલ-ઉપચય અર્થાત્ ઉપયુ ક્ત શક્તિજનક પુદ્ગલ પણ ‘પર્યાપ્તિ' કહેવાય છે. આથી કરીને તે પર્યાપ્તિને પુદ્ગલરૂપ પણ કહેવામાં આવે છે. ઉપર્યુક્ત શક્તિમાં નિમિત્તરૂપ પુદ્ગલ-સમૂહની ક્રિયાની પરિસમાપ્તિ તેને પણ ‘પઐતિ’ કહેવાય. અલબત્ત, અત્ર કાર્યોંમાં કર્તાને ઉપચાર સમજવા. આહાર-પર્યાપ્તિ— આહાર-પર્યાપ્તિનું પ્રથમ લક્ષણ પ્રસ્તુત ગ્રંથકારે તવા -ભાષ્યને અનુસરીને આપેલું જણાય છે. બીજું લક્ષણ તે અનેક ગ્રંથામાં ષ્ટિગોચર થાય છે. આ ઉપરાંત તત્ત્વાર્થની બૃહવ્રુત્તિ ( પૃ. ૧૬૦ ) નીચે મુજબનું ત્રોનું લક્ષણ નિર્દેશે છેઃ—— आहारग्रहणसमर्थकरणपरिनिष्पत्तिराहारपर्याप्तिः । " અર્થાત્ આહારને ગ્રહણ કરવામાં સમર્થ એવા કરણની એટલે પુદ્ગલ-સમૂહની નિષ્પત્તિ તે આહાર-પર્યામિ’ છે. શરીર-પતિ અને ઇન્દ્રિય-પર્યાસિનાં એ એ લક્ષણા પૈકી અંતિમ લક્ષણ તેમજ બાકીની 46 ૧ જીવની જોકે સ્વતંત્ર શક્તિ છે, પરંતુ તે શક્તિ સિદ્ધ જીવમાં અપૌદ્ગલિક છે, જ્યારે સંસારી જીવામાં તો પૌલિક જ છે, અર્થાત્ સંસારી જીવાના સર્વ પૌલિક વ્યાપારા પુદ્ગલેને અવલંબીને જ રહેલા છે. કર્મ પ્રકૃતિ (ગા. ૧૭)ની ટીકા (પૃ. ૧૦)માં કહ્યુ` પણ છે કે “ પ્રfનમિત્ત वीर्यं संसारिणामुपजायते' એટલે કે સસારી જીવૅાના વીર્યની ઉત્પત્તિ દ્રવ્યના નિમિત્તથી જ છે. " ૨ ઉપચય યાને સમૃદ્ધ કહેવાનુ કારણ એ છે કે ઉત્પત્તિસ્થાનમાં આવેલા જીવ પ્રથમ સમયે જે પુદ્ગલેા ગ્રહણ કરે છે તેમાં ત્યારબાદ પ્રતિસમય ગ્રહણ કરાતા બીજા પુદ્ગલેને તે ઉમેરો કરે છે. આ પુદ્ગલેા પ્રથમ સમયે ગ્રહણ કરેલા પુદ્ગલાના સમાગમથી તદ્રુપ બને છે. આ પ્રમાણેના પુદ્ગલ– સમૂહમાંથી જે શક્તિ ઉત્પન્ન થાય છે તે શક્તિ તેમજ કારણમાં કાર્ય ભાવના આરાપ કરવાથી તે પુદ્ગલ–ઉપચય પણ પર્યાપ્તિરૂપ કહી શકાય છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004886
Book TitleArhat Darshan Dipika
Original Sutra AuthorN/A
AuthorMangalvijay, Hiralal R Kapadia
PublisherYashovijay Jain Granthmala
Publication Year1932
Total Pages1296
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy