SearchBrowseAboutContactDonate
Page Preview
Page 1102
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦૨૩ ઉલ્લાસ ] આહત દર્શન દીપિકા. આથી એ હકીકત સ્પષ્ટ થાય છે કે વિગ્રહ-ગતિ વડે ભવાંતરમાં જતા જીવને આકાશપ્રદેશની શ્રેણિ અનુસાર ગમન કરવામાં જે કમ નિમિત્તરૂપ છે તે આનુપૂર્વી-નામકમ' કહેવાય છે. આનુપૂર્વી એટલે ક્ષેત્રવિશેષમાં સ્થિતિ. જે કમને ઉદય થતાં પૂર્વ શરીરના આકારને વિનાશ થાય છે તે કર્મ અથવા તે નિર્માણ-નામકર્મથી બનેલાં અંગોપાંગની યથાગ્ય વ્યવસ્થા કરનારા કમને “આનુપૂર્વી” કહેવામાં આવે છે એમ કેટલાકનું માનવું છે. કહેવાનો મતલબ એ છે કે પૂર્વોક્ત નિર્માણનામ કર્મ દ્વારા બનાવેલ હસ્ત, પારિક અવયવે રૂપ અંગો અને આંગળીઓ, કર્ણ અને નાસિકાદિક ઉપાંગોની રચનાની યથાયોગ્ય ગોઠવણી અર્થાત આ અંગોપાંગ અહિંઆ જ ગોઠવવું જોઈએ એ પ્રકારની ગોઠવણી કરનાર કર્મને “આનુપૂર્વી—નામકર્મ' સમજવું. વિહાગતિ-નામકર્મનું લક્ષણ– लब्धिशिक्षर्द्धिनिमित्तकत्वे सति आकाशगमननिमित्तकत्वम् , आकाशविषयकगमननिमित्तकत्वं वा विहायोगतिनामकर्मणो लक्षणम् । (૧૫) અર્થાત લબ્ધિ કે શિક્ષારૂપ વ્યક્તિ સંબંધી કારણેના સભાવમાં આકાશમાં ગમન કરવામાં નિમિત્તભૂત નામકર્મને “વિહાગતિ નામકર્મ” જાણવું. આ નામ-કર્મના બે પ્રકારે છે (૧) શુભ અને (૨) અશુભ. હંસ, હાથી વગેરેની ગતિ તે શુભ વિહાગતિ સમજવી, જ્યારે ઊંટ, શિયાળ વગેરેની ગતિને અશુભ વિહાગતિ જાણવી. દેવાદિકેને લબ્ધિ હોય છે અને તે તેમને જન્મ-સમયથી જ હેય છે. શિક્ષા દ્વારા મેળવેલ ત્રાદ્ધિ તે શિક્ષદ્ધિ છે. ઉચ્ચ કેટિના પ્રવચનનો અભ્યાસ કરવાવાળા તપસ્વીઓને વિદ્યાના આવર્તનના પ્રભાવથી આ અદ્ધિ ઉત્પન્ન થાય છે. આ લબ્ધિ અને શિક્ષદ્ધિ દ્વારા કરાતા આકાશગમનમાં કારણભૂત કમને “વિહાગતિ-નામકર્મ ” કહેવામાં આવે છે. ટૂંકમાં કહીએ તે પ્રશસ્ત કે અપ્રશસ્ત ચાલનું નિયામક કર્મ ‘વિહાગતિ-નામકર્મ કહેવાય છે. પરાઘાત-નામકર્મનું લક્ષણ परंप्रति त्रासप्रतिघातादिजनकत्वम् , दर्शनमात्रेण सभ्यानां क्षोभा. पादकरूपत्रासजनकत्वे सति परप्रतिभाप्रतिघातजनकत्वं वा पराघातરામવાળો ક્ષન્ ! (૫૧%) અર્થાત્ બીજાને ત્રાસ પમાડવામાં અને પ્રતિઘાત કરવામાં કારણભૂત કમને “પરાઘાત-નામ કમ ” જાણવું અથવા જે કર્મના ઉદયમાં દર્શન માત્રથી સભ્ય લેકેને ભ ઉત્પન્ન કરવાવાળે ત્રાસ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004886
Book TitleArhat Darshan Dipika
Original Sutra AuthorN/A
AuthorMangalvijay, Hiralal R Kapadia
PublisherYashovijay Jain Granthmala
Publication Year1932
Total Pages1296
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy