________________
જીવ-અધિકાર.
[ પ્રથમ
પણ આત્માને જ્ઞાનમય માની શકતા નથી. આ તેમની માન્યતા કેટલે અંશે સત્ય છે એ વાત વિચારી લઈએ.
પ્રથમ તે એ નિવેદન કરવું અસ્થાને નહિ ગણાય કે નૈયાયિક દર્શન પ્રમાણે આત્મા સ્વયં જ રૂપ ( જ્ઞાન-શુન્ય ) છે. તેમજ આત્મા અને જ્ઞાન એ બંને સર્વથા ભિન્ન છે. પરંતુ સમવાય સંબંધરૂપ ઉપાધિ દ્વારા જ્ઞાન અને આત્માને સંબંધ થાય છે. વિશેષમાં એ દશનનું એમ માનવું છે કે જે જ્ઞાન અને આત્માને અભિન્ન માનવામાં આવે તે આત્માને નાશ થવા સંભવ છે; કેમકે રાગ, દ્વેષ અને મહરૂપ દેષ, પ્રવૃત્તિ, જન્મ અને દુઃખ એ ચારને અનુક્રમે નાશ થતાં બુદ્ધિ પ્રમુખ આત્માના નવ વિશેષ ગુણને પણ ધ્વંસ થવાને અને એથી કરીને તે આત્માના રામ રમી જવાના. આ ઉપરાંત આત્મા કર્તા છે અને જ્ઞાન કરણ છે એ પ્રકારના વ્યવહારને લેપ થઈ જવાનો ભય રહેવાથી, તેઓ આત્મા અને જ્ઞાનને અભિન્ન માનતાં અચકાય છે.
જ્ઞાનને આત્માથી સર્વથા ભિન્ન માનવું એ ઠીક નથી. કેમકે એમ માનવાથી તે દાખલા તરીકે જેમ વિપિનચન્દ્રથી તેની બેન મને રમાનું જ્ઞાન પૃથક હોવાને લીધે મને રમાના જ્ઞાનથી કંઈ વિપિનચન્દ્રને પદાર્થનું ભાન થઈ શકે નહિ, તેમ વિપિનચન્દ્રનું જ્ઞાન વિપિનચન્દ્રના આત્માથી ભિન્ન હોવાને લીધે, વિપિનચન્દ્રના જ્ઞાનથી કંઇ વિપિનચન્દ્રના આત્માને જ્ઞાન થાય નહિ. અન્ય શબ્દોમાં કહીએ તે જેમ બીજાના જ્ઞાનથી આપણને વસ્તુને બંધ થાય નહિ, તેમ આપણા જ્ઞાનથી આપણા આત્માને પણ બંધ થઈ શકે નહિ. આના બચાવમાં એમ કહેવું કે જે આત્મામાં જ્ઞાન સમવાય-સંબંધથી રહેલું હોય, તે જ આત્મામાં તે જ જ્ઞાન વસ્તુને પરિચય કરાવવા સમર્થ છે અર્થાત્ જેકે વિપિનચન્દ્રનું જ્ઞાન વિપિનચન્દ્રના આત્માથી ભિન્ન છે, છતાં પણ તે બે વચ્ચે સમવાય-સંબંધ હોવાને લીધે ઉપર્યુક્ત દેષને સ્થાન મળતું નથી, તે આ વાત ન્યાયવિરૂદ્ધ છે. કેમકે નિયાયિક મત પ્રમાણે જ્યારે આત્મા સર્વવ્યાપક [ તેમજ ફૂટસ્થ (સર્વથા અપરિણામી) ] છે અને સમવાય પણ (એક, નિત્ય અને) સર્વવ્યાપક છે, ત્યારે તે એકના જ્ઞાનથી બીજાને-અરે બાકીના સર્વ જેને જ્ઞાન થવું જોઈએ, એમ સિદ્ધ થાય છે, પરંતુ તેમ થતું તે નથી, એ જાણીતી વાત છે. વળી, જેમ ઘટ અને ઘટનું રૂપ એ સમવાય-સંબંદ્ધ છે અને ઘટના રૂપને નાશ થતાં તેના આધારભૂત ઘટને નાશ થાય છે, તે પ્રમાણે આત્મા સાથે સમવાય-સંબંધથી બંધાયેલ જ્ઞાનને નાશ થતાં (કારણ કે જ્ઞાન ક્ષણિક છે ), આત્માનું અસ્તિત્વ જતું રહેવાનું તેમજ આત્માની નિત્યતા તો સર્વદાને માટે ગયેલી જ સમજવાની !!!
આ ઉપરાંત આત્મામાં જ્ઞાન સમવાય-સંબંધથી રહેલું છે એ વાત ધારે કે અંગીકાર કરી લઈએ તે પણ એ પ્રશ્ન તે જરૂર ઉપસ્થિત થાય છે કે આ સમવાય આત્મા અને જ્ઞાનને કયા સંબંધથી સંબદ્ધ કરે છે, તેમજ જેમ આત્મામાં જ્ઞાન સમવાય-સંબંધથી રહેલું છે, તેમ આ સમવાય એ બેમાં કયા સંબંધથી રહેલું છે ? આ સમવાય જ્ઞાન અને આત્મા વચ્ચે બીજી સમવાયરૂપ સંબંધ દ્વારા સંબંધ કરાવે છે, એમ માનવા જતાં તે અનવસ્થારૂપ દૂષણ સમીપ આવે છે. આ દેષથી મુક્ત થવા માટે એમ તે કહી શકાય તેમ નથી કે જ્ઞાન અને આત્માને સંબંધ પ્રથમનો જ સમવાય સ્વસ્વરૂપથી જ કરી આપે છે, કારણ કે એમ માનવા કરતાં જ્ઞાન પોતે જ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org