________________
૨૯
ઉલ્લાસ ]
આહત દર્શન દીપિકા, તે પણ શ્રીવાદિદેવસૂરિએ પ્રમાણુનયતત્વાકાલંકારના સાતમા પરિચ્છેદના પ૬ મા સૂત્રમાં જે જીવનું સ્વરૂપ બતાવ્યું છે તે તરફ નજર કરવાથી જૈન દર્શનકારે અન્ય દર્શનકારથી કેટલે અંશે આત્માના સ્વરૂપના સંબંધમાં જૂદા પડે છે તે સ્પષ્ટ જોઈ શકાય તેમ હોવાથી તે નીચે મુજબ આપવામાં આવે છે –
" चैतन्यस्वरूपः परिणामी कर्ता साक्षाद् भोक्ता देहपरिमाणः प्रतिक्षेत्रं भिन्न: વાદિષ્ટાંચાઇ
આ સૂત્રમાં આત્માને ચૈતન્ય-સ્વરૂપ, પરિણામી, કર્તા, સાક્ષાત્ ભક્તા, દેહ-વ્યાપી, પ્રત્યેક શરીરમાં જૂદી જૂદે અને પદ્ગલિક દ્રવ્યરૂપ અદષ્ટવાળે દર્શાવવામાં આવ્યો છે. આમાં આત્માને પહેલું વિશેષણ ચૈતન્યસ્વરૂપી” આપવામાં આવ્યું છે અર્થાત્ ચૈતન્ય એ આત્માને મુખ્ય ગુણ છે–એ જીવનું અસલ સ્વરૂપ છે–એ આત્માને વાસ્તિવિક ધર્મ છે-આત્મા જ્ઞાનમય છે એમ કહ્યું છે. આથી ચૈતન્યને ઉપાધિજનિત અર્થાત્ દેહ, ઈન્દ્રિય અને મનના સંબન્ધથી ઉત્પન્ન થનારા–આગન્તુક ધર્મ માનનારા તેમજ તેને આત્માથી પ્રથક માનનારા વિશેષિક વગેરે જુદા પડે છે. પ્રતિસમય અન્યાન્ય પર્યાયમાં ગમન કરવું તે પરિણામ છે. આત્મા આવા પરિણામથી યુક્ત હોવાથી અર્થાત્ તે નવી નવી ગતિઓમાં ભ્રમણ કરતે હોવાથી તેને પરિણામી” કહેવામાં આવ્યું છે. નૈયાયિક, સાંખ્ય વગેરે કે જેઓ આત્માને અપરિણામી–ફૂટસ્થ માને છે, તેઓ પરિણામી” વિશેષણથી જુદા પડે છે. આત્માને
પરિણામી ”, “કત ” તેમજ “ સાક્ષાત્ ભક્તા ” એ ત્રણ વિશેષણો લગાડવાથી સાંખ્ય જૂદા પડે છે, કેમકે તેઓ “પ્રકૃતિ” ને કર્તા માને છે અને પુરૂષ” ને (આત્માને) તે સર્વથા નિર્લેપ, પરિણામરહિત, કિયા-શૂન્ય માને છે. “દેહ પરિમાણ” વિશેષણથી આત્માને સ્વદેહપરિમાણીમાત્ર શરીરમાં જ વ્યાપ્ત માનનારા જેનાથી તેને સર્વવ્યાપક માનનારા વૈશેષિકે, તૈયાયિકે, બ્રહ્મવાદીઓ તથા સાંખ્યો જુદા પડે છે. દરેકને આત્મા જૂદ છે, શરીરે શરીરે તે પૃથ છે એમ દર્શાવનારા પ્રતિક્ષેત્રભિન્ન’ વિશેષણથી સર્વ શરીરમાં એક જ આત્મા છે એમ માનનારા અતબ્રહ્મવાદીઓ જૂદા પડે છે. છેલ્લા વિશેષણ દ્વારા આત્માને પૌગલિક અદષ્ટવાળે બતાવતાં એક તે અદષ્ટને નહિ સ્વીકારનારા ચાર્વાકે જૂદા પડે છે; અને તે ઉપરાંત અદષ્ટને અર્થાત્ ધર્મ-અધમને આત્માના વિશેષ ગુણ માનનારા તૈયાયિક-વૈશેષિકે અને તેને માયારૂપ ગણી તેની સત્તા નહિ સ્વીકારનારા વેદાન્તીઓ પણ જુદા પડે છે.
આત્માને વાસ્તવિક ધર્મ–
જેઓ ચૈતન્યને આત્માનું અસલ સ્વરૂપ માનતા નથી, તેઓ તેને શરીર, ઈન્દ્રિય અને મનના સંબન્ધથી ઉત્પન્ન થનારા આત્માના અવાસ્તવિક ધર્મ તરીકે ઓળખાવે છે. વળી તેને સમવાય સંબન્ધથી આત્મા સાથે સંમત માને છે. આથી તેઓ (નૈયાયિકાદિ) મુક્તાવસ્થામાં ૧ સરખા તૈયાયિનું કથન–
" जडस्वरूपो जीवो ज्ञानसमवायाद ज्ञानी "
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org