SearchBrowseAboutContactDonate
Page Preview
Page 110
Loading...
Download File
Download File
Page Text
________________ ઉલ્લાસ ] આહુત દર્શન દીપિકા. આત્માની સાથે સ્વસ્વરૂપ-સંબંધથી સંબદ્ધ છે એમ સ્વીકારવામાં શું વાંધો છે ? અને વળી તેમ કરવાથી આ સમવાય જે પદાર્થ માનવાની કલ્પના પણ વ્યર્થ કરવી નહિ પડે, એ ઉલટ લાભ થશે. આ પ્રમાણેની યુક્તિઓને જેવા છતાં પણ કદાગ્રહને વશ થઈને સ્વપરપ્રકાશક દીપકનું દષ્ટાંત રજુ કરીને, સમવાય પોતાના સ્વભાવને લઈને જ્ઞાન અને આત્માને પિતાની સાથે સંબંધ કરાવે છે એમ કહેવાનું સાહસ કરશે નહિ. કેમકે તૈયાયિક મત પ્રમાણે ગુણ અને ગુણ—ધર્મ અને ધર્મ સર્વથા ભિન્ન છે. આથી તેજ છે દ્રવ્ય જેનું’ અને ‘ પ્રકાશ છે ધર્મ જેને એવા દીપકના દષ્ટાન્તથી તમારે બેડો પાર પડશે નહિ. કારણ કે એકાંત ભેદભાવને સ્વીકારનારાથી દીપકને પ્રકાશરૂપ કેવી રીતે માની શકાશે? આ પ્રમાણે જ્યારે દીપક નૈયાયિક મત છે સ્વપરપ્રકાશક સિદ્ધ થતું નથી, તે એ દાંતનો આધાર લઈને સમવાયને સિદ્ધ કરવાને મને રથ મનમાં જ નહિ રહી જવાનો તો બીજું શું ? અને જ્યાં સુધી આ પ્રમાણે સમવાય પદાર્થ જ સિદ્ધ થતું નથી, તો પછી આ બધો ઊહાપોહ હવામાં જ ઊી જવાને કે બીજું કંઈ ? વળી, એમ પણ કાં ન કહી શકાય કે દીપક અને પ્રકાશ અત્યન્ત ભિન્ન હોવા છતાં પણ જો તે દીપક વપરપ્રકાશક કહી શકાય તેમ છે, તે ઘટ, પટ ઈત્યાદિ વસ્તુ પણ સ્વપરપ્રકાશક છે એમ કેમ ન માનવું ? વિશેષમાં એ પણ જાણવું બાકી રહે છે કે સમવાયને સ્વપરપ્રકાશકરૂપ સ્વભાવ સમવાયથી ભિન્ન છે કે અભિન્ન ? જે તે ભિન્ન છે એમ કહેશે તે પછી એ બંને સમવાયને સ્વભાવ છે એમ કયા આધારે કહેશે ? આના આધાર તરીકે અન્ય સમવાયનો નિર્દેશ કરી શકાય તેમ નથી, કેમકે અનવસ્થારૂપ નાગણ દૂસવાને એકી સે લાગ જોઈ રહી છે. આથી એ આધાભૂત પિતે જ છે અને અન્ય નથી એમ કહેવાય તેમ નથી. કેમકે એમાં શી યુક્તિ રહેલી છે? આથી સ્વભાવને ભિન્ન નહિ માનતાં અભિન્ન સ્વીકારશે, તો સ્વભાવને જલાંજલિ મળી જવાની અને સમવાય માત્ર બાકી રહી જશે. વળી, (નૈયાયિકની એ પણ માન્યતા છે કે આ તખ્તમાં પટ છે એવું જ્ઞાન સમવાયને લીધે થાય છે અને) સમવાયી (સમવાયથી સંબદ્ધ)માં સમવાયનું જ્ઞાન તે સમવાયાન્તર વિના–સ્વતઃ ઉત્પન્ન થાય છે તે પછી આત્મામાં જ્ઞાન છે એવું જ્ઞાન થવામાં સમવાયનું શું કામ છે? આ ઉપરથી સાર એ નીકળે છે કે જ્ઞાન આત્માથી સર્વથા ભિન્ન નથી. હવે જેમ ‘સુથાર વાંસલા વડે લાકડું ઘડે છે,” તેમાં સુથારરૂપ કર્તા વાંસલારૂપ ૧ દીપકને એ સ્વભાવ છે કે તે પોતાના ઉપર પ્રકાશ નાંખે છે ( અર્થાત તેને જોવાને કે જાણવાને અન્ય દીપકની જરૂર રહેતી નથી ) તેમજ ઘટ, પટ, કટ ઇત્યાદિ પર વસ્તુઓ ઉપર પણ પ્રકાશ નાંખે છે. આથી દીપક “સ્વપરપ્રકાશક’ કહેવાય છે. આ પ્રમાણે સમવાય પરત્વે પણ સમજી લેવું. અર્થાત સમવાય પિતાને તેમજ જ્ઞાન અને આત્માને સંબંધિત કરે છે, એટલે કે સમવાય પોતાનાથી પર એવા જ્ઞાન અને આત્મા એ બન્નેને પરસ્પર સંબંધિત કરે છે, તેમજ તે પોતે પોતાની જાતને તે બંને સાથે સંબંધિત કરે છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004886
Book TitleArhat Darshan Dipika
Original Sutra AuthorN/A
AuthorMangalvijay, Hiralal R Kapadia
PublisherYashovijay Jain Granthmala
Publication Year1932
Total Pages1296
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy