________________
૧૦૧૦
બન્ધ અધિકાર.
[ ચતુર્થ
નપુંસકવેદ-મોહનીયનું લક્ષણ–
धातुद्वयोदये मार्जितादिद्रव्याभिलाषवद् यस्योदये सति स्त्रीपुरुषोभयविषयकोपभोगाभिलाषः स्यात् तद्रूपत्वं नपुंसकवेदमोहनीयस्य
પામ્ (દર).
અર્થાત્ ભલેષ્મ અને પિત્ત એ બે ધાતુઓના ઉદયમાં જેમ માર્જિતાદિક ખાવાની લાલસા થાય છે તેમ જેના ઉદયમાં સ્ત્રી અને પુરુષ ઉભય વિષયક ઉપભેગની અભિલાષા થાય તેને “નપુંસકવેદમોહનીય' કહેવામાં આવે છે.
ટૂંકમાં કહીએ તે પૌરુષ-ભાવની વિકૃતિ ઉત્પન કરનાર પુરુષ-વેદ, એણ-ભાવની વિકૃતિ ઉત્પન્ન કરનાર સ્ત્રી-વે અને નપુંસક-ભાવની વિકૃતિ ઉત્પન્ન કરનાર નપુંસકવેદ છે.
આ નવ નેકષાય કષાયના સંસર્ગ વિના સ્વકાર્ય કરવામાં અસમર્થ છે. મુખ્ય કષાયના સહચારી તેમજ તેના ઉદ્દીપક હોવાથી હાસ્યાદિ નવને “નેકષાય”રૂપે વ્યવહાર થાય છે. નેકષાયને અલ્પ કષાય એ પર્યાય છે. નેકષાય એ દેશદ્યાતિ પ્રકૃતિરૂપ છે.
આ પ્રમાણે નેકષાય વિષેને ઊહાપોહ પૂર્ણ કરીએ તે પૂર્વે નપુંસક આશ્રીને વિચાર કરી લઈએ. જેમકે નપુંસકના ત્રણ પ્રકારે પડે છે –(૧) નરક-નપુંસક, (૨) તિર્યગ– નપુંસક અને (૩) મનુષ્ય–નપુંસક. તેમાં નરક-નપુંસકના અવાંતર ભેદ નથી. તિર્યંચના જળચર, સ્થળચર અને ખેચર એ ત્રણ ભેદ આશ્રીને તિર્યંનપુંસકના તે તે પ્રમાણે ત્રણ ભેદો પડે છે. મનુષ્યના કર્મભૂમિજ, અકર્મભૂમિજ અને અંતરદ્વીપજ એમ ત્રણ પ્રકારે પડતા હોવાથી મનુષ્ય-નપુંસકના પણ ત્રણ પ્રકારે ઉદ્દભવે છે. આ પ્રમાણે એકંદર નવુંસકના સાત પ્રકારે થાય છે. નપુંસકના સેન પ્રકારે
પ્રવચનસારોદ્વાર (ઠા. ૧૦૮)ની ૧૭૭મી અને ૧૭૬૪મી ગાથામાં દીક્ષા માટે અયોગ્ય
૧ “ is કાજ શ્રી, ફુમી રાહુ જ રિ મ ા
सउणी तक्कम्मसेवी य, पक्खिया पक्खिए इय ॥ ७९३ ॥" [ पण्डको पातिकः क्लीवः कुम्भी ईष्यालुक इति च ।
शकुनिस्सत्कर्मसेबीच पाक्षिकापाक्षिकइति ॥ ]
२
" सोगंधिए य आसत्ते, दस पए नपुंसगा । संकिलिटि त्ति साहूणं, पधावेडं अकप्पिया ॥ ७९४ ॥"
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org