SearchBrowseAboutContactDonate
Page Preview
Page 1079
Loading...
Download File
Download File
Page Text
________________ બન્ધ–અધિકાર, [ ચતુર્થ એટલાં જ ગોત્ર-કમને, એથી વિશેષાધિક જ્ઞાનાવરણને, એટલાં જ દર્શનાવરણને તેમજ અંતરાયકમને, એથી વિશેષાધિક મેહનીય કમને અને તેથી વિશેષાધિક વેદનીય કર્મને વહેંચી આપી સ્વકીય આત્મદેશમાં ક્ષીરનીરની પેઠે કર્મ-વર્ગણાના કંધે સાથે મળી જાય છે. કમદલિકની આ આઠ વિભાગની યોજના અષ્ટવિધ કમબંધક આશ્રી સમજવી. સાત, છ એમ ચાવત એકવિધ બંધકને વિષે તેટલા જ ભાગની કલ્પના કરી લેવી. પ્રકૃતિ-બન્ધના ભેદે અને ઉપભેદે – ચાર પ્રકારના અન્ય પૈકી આપણે સૌથી પ્રથમ પ્રકૃતિ-બન્ધના ભેદ વિચારીશું. એના મૂળ અને ઉત્તર એ બે મુખ્ય ભેદો આપણે ૯૭માં પૃષ્ઠમાં વિચારી ગયા. તેમાં આ મૂળ ભેદના પણ આઠ અવાંતર ભેદે છે અર્થાત્ મૂલ પ્રકૃતિના (૧) જ્ઞાનાવરણ, (૨) દશનાવરણુ, (૩) વેદનીય, (૪) મેહનીય, (૫) આયુષ્ય, (૬) નામ, (૭) ગોત્ર અને (૮) અંતરાય એમ આઠ પ્રકાર છે. આ આઠને “ મૂલ-પ્રકૃતિ-બન્ધ” તરીકે વ્યવહાર કરાય છે. કમના વિવિધ સ્વભાવના સંક્ષેપ દષ્ટિએ થતા આ વર્ગીકરણને, વિસ્તૃત રુચિવાળા જિજ્ઞાસુઓ આશ્રીને ઉત્તર પ્રકૃતિરૂપે બીજો પ્રકાર સૂચવાય છે. જેમકે જ્ઞાનાવરણના પ, દર્શનાવરણના ૯, વેદનીયના ૨, મેહનીયના ૨૮, આયુષ્યના ૪, નામના ૪૨, ગોત્રના ૨ અને અંતરાયના ૫ ભેદે પડે છે. આ પ્રમાણે કુલે ૯૭ અને નામના ૧૦૩ ભેદ ગણીએ તે ૧૫૮ એમ આના ભેદ થાય છે. આ ૧૦૩ કે ૧૫૮ ઉત્તર પ્રવૃતિઓને વિશેષ વિચાર કરીએ તે પૂર્વે જ્ઞાનાવરણદિને પરસ્પર સંબંધ શો છે તેનું દિગ્દર્શન કરી લઈએ. આ સંબંધમાં ભગવતી (શ. ૮, ઉ, ૧૦) દિવ્ય પ્રકાશ પાડે છે એટલે એના આધારે ડોક ઊહાપોહ કરીશું. ૧ શ્રીદેવાનંદસરિત સપ્તતત્ત્વપ્રકરણ (પૃ. ૩૯)ગત નીચે ઉલ્લેખ આ વાતનું સમર્થન કરે છે - " एसा कम्मदलिअस्स अट्ठभागकप्पणा अट्ठविहबंधगेसु । રવિવંયભુ રામાનguળા કોયથા છે ” [ पषा कर्मद लिकस्याष्टभागकल्पनाऽष्टविधवन्धकेषु । सप्तविधादिबन्धकेषु सप्तभागादिकल्पना कर्तव्या ॥ ] ૨ અધ્યવસાયવિશેષથી સંસારી જીવ દ્વારા એક જ વાર ગ્રહણ કરાયેલ કર્મ-પુદગલ રાશિમાં પણ એક સાથે અધ્યવસાયવિષયક સામર્થ્યની વિવિધતા અનુસાર અનેક જાતના સ્વભાવનું નિર્માણ થાય છે. એ સ્વભાવ અદશ્ય છે, પરંતુ એની અસરને લક્ષ્મીને એની ગણના સંભવે છે. જોકે એક જીવ પણ અસંખ્ય અસરો અનુભવે છે એટલે એના ઉત્પાદક સ્વભાવો અસંખ્ય જ કરે છે, છતાં ટૂંકમાં એના આઠ વર્ગો પાડી શકાય છે. ૩ સરખાવો તત્ત્વાર્થ (અ. ૮)નું નિમ્નલિખિત સૂત્ર“ઘજીનષદgવંતિવનુfજલ્લા કાનૂતપશ્વમેવા વણામ I ૬ ” Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004886
Book TitleArhat Darshan Dipika
Original Sutra AuthorN/A
AuthorMangalvijay, Hiralal R Kapadia
PublisherYashovijay Jain Granthmala
Publication Year1932
Total Pages1296
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy