________________
બન્ધ-અધિકાર,
[ ચતુર્થ
પાટાથી સખ્ત માંધેલ અને તેમ થતાં એકત્રિત થયેલ યાના સમૂહ જેવું “બદ્ધ–સ્કૃષ્ટી કમ છે. અગ્નિમાં તપાવી, હાડાથી ટીપી સર્વથા એકત્રિત કરેલ સેના સમૂહની પેઠે જીવની સાથે એકમેક બનેલું કર્મ “બદ્ધ-સ્કૃષ્ટ-નિકાચિત કર્મ છે. જીવ-પ્રદેશ અને કમને પરસ્પર સંબંધ –
આપણે ૯૯૨માં પૃષ્ઠમાં જોઈ ગયા તેમ ક્ષીર અને નીરની પેઠે અથવા તે અગ્નિ અને લેઢાની જેમ જીવ અને કમને સંબંધ છે. આ પ્રમાણેને તાદામ્યરૂપ સંબંધ માનવાથી અર્થાત છવપ્રદેશ સાથે કમને અભિનપણે સંબંધ સ્વીકારવાથી મોક્ષને અભાવ પ્રાપ્ત થશે, વાતે તે સપેકંચુકની જેમ માનો યોગ્ય છે. આ પ્રમાણેની શ્રી આર્ય રક્ષિતસૂરિના શિષ્ય ગેછામાહિલે વીરનિર્વાણ પછી ૫૮૪ વર્ષે પ્રરૂપણ કરી નિદ્ભવતા પ્રાપ્ત કરી. આની આછી રૂપરેખા અત્ર આલેખીશું. વિશેષાર્થીને તે વિશેષા ની ગા. ૨૫૦૯ ઇત્યાદિ જેવા ભલામણ છે.
ગાખામાહિલ કે જેની કવેતાંબર સાહિત્યમાં સાતમા નિહનવ તરીકે ગણના થઈ છે, તેમનું કહેવું એમ હતું કે જેમ સ્પર્શમાત્રથી જ સંયુક્ત એ અબદ્ધ કંચુક સર્પ સાથે સંબંધ ધરાવે છે તેમ સ્પર્શમાત્રથી જ સંયુક્ત એવું અબદ્ધ કર્મ જીવ સાથે સંબંધ ધરાવે છે અને આમ માનવામાં આવે તે જ મોક્ષ સંભવી શકે. આના નિરસન માટે આચાર્ય શ્રીદુર્બલિકાપુષ્પમિત્રે તેની સાથે નીચે મુજબને ઊહાપોહ કર્યો –
સપેકંચુકની પેઠે જે જીવના ઉપર કર્મ સ્પશીને જ રહેલું હોય અને ક્ષીર અને નીરની પેઠે સંબદ્ધ ન હોય તે કર્મ જીવના દરેક પ્રદેશને સ્પર્શીને રહેલું છે કે જીવના પર્યન્ત રહેલી કેવળ ચામીને જ સ્પર્શીને રહેલું છે એ પ્રશ્ન ઊઠે છે. પ્રથમ વિકલ્પ સ્વીકારાતાં જીવની અંદર કમને આકાશની જેમ સવંગત માનવું પડશે એટલે કે જીવને કઈ પણ પ્રદેશ કમ વિનાને નથી એમ કબૂલ કરવું પડશે અને આ પ્રમાણે કર્મનું સર્વગતત્વ સિદ્ધ થતાં કમને જીવ સાથે સંબંધ સપેકચકના જે છે એ વાત હવામાં ઊડે જશે.
| દ્વિતીય વિકલ્પને સ્વીકાર કરવાથી અર્થાત જેમ સાપની કાંચળી તેની ચામડીને સ્પર્શને રહેલી છે તેમ કર્મ પણ જીવની બહાર શરીરની ચામડીને સ્પર્શીને રહેલું છે એમ માનવાથી જીવ જ્યારે એક ભવથી બીજે ભવે જાય ત્યારે કર્મનું તેની સામે અનગમન નહિ થાય. કેમકે બાદ
૧ પૃષ્ટ, બદ્ધ, નિધત્ત અને નિકાચિત એમ ચાર પ્રકારના બળે છે તે સમજાવતી વેળા છૂટી સ, સૂત્રથી બાંધેલી સેયો, લોટાના બંધનથી બંધાયેલી ( સૂત્રના બંધનથી બંધાયેલી છતાં કટાઈ જવાથી મળી ગયેલી ) સોયો અને અગ્નિમાં તપાવી હથોડાથી ટીપી નાંખેલી સેનાં ઉદાહરણ રજુ કરાય છે. આ ઉપરથી બદ્ધસ્કૃષ્ટ અને નિધત્ત વચ્ચે નિકટ સંબંધ હોય એમ લાગે છે,
૨ ધૃતપુષ્પમિત્ર; વસૂપુષ્યમિત્ર, દુર્બલિકાપુષ્યમિત્ર,વિજય, ફલુરક્ષિત, ગેછામાહિલ એમ શ્રી આર્ય રક્ષિતસૂરિને અનેક શિષ્યો હતા. તેમાં છેલ્લા ચાર મુખ્ય હતા. જેમ ફશુરક્ષિત એમના ભાઈ હેઈ સગા થતા હતા તેમ ગોઝમાહિલ તેમના મામા હોઈ સગા થતા હતા.
૩ કાંચળી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org