SearchBrowseAboutContactDonate
Page Preview
Page 1072
Loading...
Download File
Download File
Page Text
________________ ઉલ્લાસ ] આહંત દર્શન દીપિકા. અર્થાત રાગાદિપ સનેહથી લેપાયેલ આત્મા, નુતન કમને ગ્રહણ કરવાની જે રેગ્યતા ધારણ કરે છે તે “કામણ શરીરરૂપ પરિણામ ” સમજ. જીવ અને શરીરની કેઈક અંશે એકતા હોવાથી અનાગ (ઉપયોગ શૂન્ય) વિર્યથી કમબન્ધ થાય છે. કામણ શરીરના પુદ્ગલથી ગ્રહણ કરાયેલા એ બન્ધના ચાર પ્રકારે છે. આને વિચાર કરીએ તે પૂર્વે “કમબન્ધ” સંબંધી કેટલેક ઉલ્લેખ કરે આવશ્યક જણાય છે. કર્મપ્રવાદ પ્રમાણે કર્મબન્ધની વિવિધતા (૧) બદ્ધ, (૨) બદ્ધ-પૃષ્ટ અને (૩) બદ્ધ-પૃષ્ટ-'નિકાચિત એમ ત્રણ પ્રકારનું કર્મ છે. કષાય રહિતનું અર્યાપથિક જે કમ હોય છે તે જીવના પ્રદેશની સાથે માત્ર બદ્ધ હોય છે. તે સૂકી ભીંત ઉ૫૨ નાંખેલ ધૂળની મૂદ્દીની જેમ પ્રથમ સમયે બંધાઈ બીજા સમયે જ વેદાઈ– ભગવાઈ અર્થાત્ આ પ્રમાણે અલ્પ કાલાંતરની સ્થિતિ પામીને જીવ–પ્રદેશથી અલગ થઈ જાય છે. કેટલાંક કર્મ બદ્ધ-સ્કૃષ્ટ હોય છે. જીવ-પ્રદેશની સાથેની કમની કેવળ સગરૂપ અવસ્થા તે “બદ્ધ છે અને તેની સાથેની તપ અવસ્થા–તદાકાર પરિણતિરૂપ દશાતે “પૃષ્ટ છે. ભીની ભીંત ઉપર પડેલી ભીની રજની પેઠે બદ્ધ-પૃષ્ટ કમ કંઈક વધારે કાલાંતરે જીવથી અલગ થાય છે. કેટલાંક કર્મ બદ્ધ-પૃષ્ટ-નિકાચિત હોય છે. ઉપર્યુક્ત સ્વરૂપવાળું બદ્ધ-સ્કૃષ્ટ કર્મ તીવ્ર અધ્યવસાયથી બંધાઈ અપવતનદિ કરણને જે અયોગ્ય બન્યું હોય તે તે “બદ્ધ-સ્કૃષ્ટનિકાચિત” કહેવાય છે. આવું કર્મ કાલાંતરે પણ વિપાકથી અનુભવાયા વિના પ્રાયઃ આત્મપ્રદેશથી અલગ થતું નથી. આ ત્રિવિધ કમ બંધ યથાર્થ રીતે સમજાય તે માટે આપણે સેના સમૂહનું ઉદાહરણ વિચારીશું. માત્ર દેરી વડે વીંટીને એકત્રિત કરેલ સેના સમૂહ જેવું “બદ્ધ”કમ છે. લોઢાના ૧ આના સ્થૂળ અર્થ માટે જુઓ ૮૯ મા પૃષ્ઠગત ટિપ્પણ. ૨ આનું વિસ્તૃત સ્વરૂપ “ કર્મપ્રવાદ' નામના આઠમાં પૂર્વમાં હતું. જુઓ વિશેષા ( ગા. ૨૫૧૭) અને તેની વૃત્તિ ( પત્ર ૧૦૦૬). ૩ નિકાચિત અને અનિકાચિત કર્મમાં એટલો ફેર છે કે અપવર્તનાદિ કરણો અનિકાચિતમાં અવશ્યમેવ પ્રવર્તે છે, જ્યારે નિકાચિતમાં તે કવચિત્ જ-ઉત્કૃષ્ટ તપના અધ્યવસાયના બળથી જ એ કરણ પ્રવર્તે છે. સ્પષ્ટ શબ્દોમાં કહીએ તે બંધન, સંક્રમણ, અપાતના, ઉધના, ઉદીરણું, ઉપશ્રાવણું, નિધત્તિ અને નિકાચના એ કર્મ સંબંધી આઠ કરણો છે. એમાંના જે અપવતનાદિ કારણો છે તે અનિકાચિત કર્મ ઉપર પિતાનું જોર અજમાવી શકે છે. અર્થાત અનિકાચિત કમની સ્થિતિ અને રસમાં વધારે ઘટાડે, અન્ય પ્રકૃતિમાં સંક્રમાવીને પ્રદેશોદય વડે તેનો ક્ષય, તેમજ પોતાના સ્વરૂપે પ્રકૃતિને વિપાકથી . અનુભવ એ સર્વ માટે અનિકાચિત કર્મને ઉદ્દેશીને સ્થાન છે; પરંતુ નિકાચિત કર્મમાં એવું ભાગ્યે જ થાય છે; મોટે ભાગે તો એનો વિપાક દ્વારા જ અનુભવ કરવો પડે છે. 126 Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004886
Book TitleArhat Darshan Dipika
Original Sutra AuthorN/A
AuthorMangalvijay, Hiralal R Kapadia
PublisherYashovijay Jain Granthmala
Publication Year1932
Total Pages1296
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy