SearchBrowseAboutContactDonate
Page Preview
Page 1071
Loading...
Download File
Download File
Page Text
________________ બન્ય-અધિકાર. [ ચતુર્થ અમૃત આત્મા અને કર્મનું ગ્રહણ આપણે ઉપર પ્રમાણે બન્ધના હેતુઓનું પ્રતિપાદન કર્યું. એથી કેઈને શંકા ઉત્પન્ન થાય કે અમૂત આત્માને હાથ વગેરે નહિ હોવાથી તેનામાં ગ્રહણ કરવાની શક્તિ નથી તે પછી તેના સંબંધમાં કર્મના ગ્રહણરૂપ વ્યાપાર કયાંથી સંભવે? આનું સમાધાન એ છે કે પ્રથમ તે આ શંકા જ અસ્થાને છે, કેમકે આવી શંકા કરનાર દેવાનાપ્રિય જૈન પ્રક્રિયાથી અપરિચિત લાગે છે; કારણ કે કયા જૈન વિદ્વાને સંસારી આત્માને સર્વથા અમૂત માન્યો છે? કર્મ અને જીવને પરસ્પર સંબંધ અનાદિ કાળને હવાથી કર્મ અને જીવ બંને કથંચિત્ એકરૂપ બનેલાં છે. એ બેને તદ્રુપ પરિણામ છે, કારણ કે એ બંને અર્થાત્ આત્મપ્રદેશ અને કર્મની વર્ગણાઓ ક્ષીર અને જળની જેમ અથવા અગ્નિ અને લોખંડના ગેળાની પેઠે મળી ગયેલાં છે. અર્થાત્ આથી સંસારી આત્મા કથંચિત્ મૂર્ત છે જ અને આવો ભૂત આત્મા કામણ શરીર દ્વારા કર્મના ગ્રહણરૂપ વ્યાપાર કરી શકે છે. સકષાયતારૂપ કારણને લઈને જીવ કમને યોગ્ય પુદગલે અર્થાત્ કર્મપ્રાગ્ય વગણ ગ્રહણ કરે છે. આવી પરિસ્થિતિમાં શંકા માટે અવકાશ જ રહેતો નથી. અત્ર કેઈ એ પ્રશ્ન ઊઠાવે કે ૯૭૫માં પૃષ્ઠમાં સામાન્ય રીતે બન્યના હેતુને વિચાર કરતી વેળા કષાયને ઉલ્લેખ કરવામાં આવ્યો છે જ તો પછી અહીં ફરીથી તેને કેમ નિર્દેશ કરાય છે? આને ઉત્તર એ છે કે બધુ-હેતુઓમાં કષાયની મુખ્યતા દર્શાવવી છે અથવા તે કષાના ભાવમાં તીવ્ર, મંદ અને મધ્યમ આશયને અનુરૂપ સ્થિતિ અને અનુભાગ થાય છે એ પ્રમાણેને વિશેષ પ્રકારને બંધ કરાવવા માટે ફરીથી “કષાય' પદને નિર્દેશ કરાય છે. બન્ધનો અર્થ– બન્ધ એટલે બન્ધન. કમરૂપે પરિણમવાને માટે યોગ્ય એવા પુદગલને આત્માની સાથે મેળાપ તે “બન્ધ” કહેવાય છે. અથવા તે પ્રકૃતિ વગેરે દ્વારા આત્મા બંધાય છે–પરતંત્ર બને છે તે “ બ” છે. આ બન્ધ પુદગલનો પરિણામવિશેષ છે અને તે ક્ષીર અને નીરની એકમેકતા જે છે. રાગાદિકથી રંગાયેલા એવા આત્મ-પ્રદેશે સાથે કર્મ-પુદ્ગલેનું આલિંગન તે “બન્ય” પદાર્થ છે. સૂમ રીતે વિચારીએ તે મિથ્યાત્વાદિ બન્ય-હેતુઓને લીધે આદ્ર બનેલ-રાગી બનેલ ચિત્તવાળી વ્યક્તિની સાથે, ચારે બાજુથી વિશેષ દ્વારા ગ્રહણ કરાયેલી અને સૂક્ષમ, એક ક્ષેત્રને વિષે અવગાહીને રહેલી અનંતપ્રદેશાત્મક કમગ્ય વગણાઓને આલેષ તે “ બ ” છે. કામણ શરીરરૂપ પરિણામનું લક્ષણ रागादिस्नेहाभ्यञ्जनस्यात्मनोऽपूर्वकर्मग्रहणयोग्यताधारकत्वं कार्मणशरीरपरिणामस्य लक्षणम् । (५३९) Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004886
Book TitleArhat Darshan Dipika
Original Sutra AuthorN/A
AuthorMangalvijay, Hiralal R Kapadia
PublisherYashovijay Jain Granthmala
Publication Year1932
Total Pages1296
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy