________________
૯૯૦
બન્ધ-અંધકાર
[ ચતુર્થ
અતિ જીરા ઘોડનિ જતા એ જીવને બીજો ભંગ છે. “સ્વતઃ 'ને બદલે “પરતઃ ”ને પ્રયોગ કરતાં ત્રીજો અને ચોથો ભંગ ઉદ્દભવે છે. સર્વે પદાર્થોના સ્વરવરૂપને પરિચછેદ પર પદાર્થના સ્વરૂપની અપેક્ષા છે. જેમકે દીઘતાની અપેક્ષાએ હસ્વતાનું સ્વરૂપ અને હસ્વતાની અપેક્ષાએ દીર્ઘતાનું સવરૂપ. એવી રીતે કુંભ વગેરે જોઈને એનાથી વ્યતિરિત આત્માનું ભાન થાય છે. આ પ્રમાણે આત્માના સ્વરૂપને પરના સ્વરૂપથી જ બંધ થાય છે. આ દષ્ટિએ ત્રીજા અને ચોથા ભગે વિચારવાના છે.
જેમ કાલની દષ્ટિએ ચાર અંગે વિચાર્યા તેમ સ્વભાવ, નિયતિ, ઈશ્વર અને આત્માની દષ્ટિ પણ ચાર ચાર બંગે વિચારવા એટલે જીવન વીસ અંગે થશે. એ પ્રમાણે અજવાદિના વીસ વીસ ભંગ વિચારતાં બધા મળીને ૧૮૦ પ્રકારે થશે.
અનભિગ્રહીતાદિ મિથ્યાત્વ
અભિગ્રહીત મિથ્યાત્વથી અન્ય પ્રકારના મિથ્યાત્વના અનભિગ્રહીત ઈત્યાદિ પ્રકારો પડે છે. આ બધાં પણ તન્નાથને વિષે અશ્રદ્ધારૂપ છે.
અવિરતિનું લક્ષણ
पूर्वोक्तविरतिलक्षणाद् विपरीतरूपत्वमविरतेलक्षणम् । ( ५३६ ) અર્થાત્ પૂર્વે કહી ગયેલા વિરતિના લક્ષણથી વિપરીત સ્વરૂપવાળું અવિરતિનું લક્ષણ છે. કષાયનું લક્ષણ
સંસારપ્રાણિનિમિત્તપર્વ પાથર્થ સૂક્ષણમ્ ! (૨૭)
અર્થાત સંસારની પ્રાપ્તિના કારણને કષાય ” કહેવામાં આવે છે. જેમાં રહેલાં પ્રાણીઓ પરસ્પર પીઠા પામે તે “ક” યાને “સંસાર” કહેવાય છે, અને જે દ્વારા સંસારની પ્રાપ્તિ થાય તે કષાય છે. એના ક્રોધ, માન, માયા અને લોભ એમ ચાર પ્રકારો છે,
ચોગ તો પંદર પ્રકારનો છે. જે લક્ષણની દૃષ્ટિએ પ્રમાદને કષાયાદિમાં સમાવેશ થતું હોય તે તેનાં લક્ષણોના કથનમાં આનું લક્ષણ આવી જ જાય છે. છતાં બાલજીનો માર્ગ સરળ થાય તે માટે એનું અર્થાત પ્રમાદનું લક્ષણ નીચે મુજબ દર્શાવાય છે
૧ જુએ પૃ. ૮૫૭, ૨ જુઓ એની વ્યુત્પત્તિ માટે પૃ. ૭૪૩.
,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org