SearchBrowseAboutContactDonate
Page Preview
Page 1065
Loading...
Download File
Download File
Page Text
________________ eee અન્ય-અધિકાર. કાલવાદીની માન્યતા— સમગ્ર જગત્ કાલક્રૃત છે, જગતની સમરત પ્રવૃત્તિએા કાળને જ આભારી છે, દુનિયામાં જે કઇ બનાવ બને છે તેનું કારણ કાળ જ છે એમ જે માને છે તે ‘કાલવાદી’ કહેવાય છે. એમનુ કહેવું એ છે કે કાળ વિના આંખે, ચંપા, અશેાક કે અન્ય કાઇ ઝાડ ફૂલ, ફળ વગેરેથી વિભૂષિત અનતું નથી. સં પરિણતિ કાળ ઉપર આધાર રાખે છે. વળી ઋતુ વગેરેના વિભાગો, ગર્ભાધાન તેમજ ખાળ, કુમાર, યૌવન, વૃદ્ધતા ઇત્યાદિ અવસ્થાઓને પણ કાળની અપેક્ષા રહેલી છે, કેમકે પ્રતિનિયત કાળમાં જ એ ઉપલબ્ધ થાય છે. સ્પષ્ટ શબ્દોમાં કહીએ તેા કાળની મર્યાદા પ્રાપ્ત થયા વિના આંબા ઉપર કેરી આવતી નથી. વળી શિયાળામાં જ ઠંડી પડે છે, ઉનાળામાં જ તાપ પડે છે અને ચામાસામાં જ વરસાદ પડે છે, વસંત ઋતુમાં જ વૃક્ષા સુપવિત બને છે. ઈત્યાદિ વિવિધ કાર્યાં પ્રતિનિયત ઋતુ યાને કાલ–વિભાગને અધીન છે. સૂર્ય-કમળના વિકાસ સવારે જ અને સંકોચ સાંજે જ થાય છે. રસેાઇ પણ કાલક્રમ પૂર્ણાંક જ તૈયાર થાય છે. માક્ષ જેવી અત્યુત્તમ વસ્તુની પ્રાપ્તિ પણ ભવસ્થિતિના પરિપાક ઉપર અવલ'ખિત છે એટલે તે પણ કાલની જ લબ્ધિ કહી શકાય. કાલના અભાવમાં તા સર્વત્ર અવ્યવસ્થા ઉપસ્થિત થાય; કેમકે પછી ગમે તે કા ગમે તે સમયે ઉદ્ભવે, કોઇ જાતને દુનિયામાં નિયમ જ ન રહે અને પૂરેપૂરી અંધાધુંધી પ્રવતે ક 'સ્વ'ભાવવાદીનુ મતવ્ય- આ વિશ્વમાં સર્વ ભાવ ( પદાથ ) સ્વભાવને વશ છે એમ સ્વભાવવાદીઓનું માનવુ છે. જેમકે માટીમાંથી ઘડા અને છે, નહિ કે કપડું, એવી રીતે તાંતણામાંથી કપડું બને છે, નહિ કે Jain Education International ૧ કાલવાદનુ' વિસ્તૃત સ્વરૂપ ડૅ. ારે Über den stand der Indischen Philosophie zur Zeit Mahavirs und Buddhas ” એ નામના ગ્રંથ ( પૃ. ૧૭-૩૦ )માં જમન ભાષામાં આલેખ્યું છે. આના પ્રતિબિંબરૂપ વક્તવ્ય * Pre-Buddietle India " પૃ. ૧૯૯-૨૧૨ ) નામક ગ્રંથમાં ડા. ખરું તરફથી રજુ થયુ છે. ' [ ચતુર્થાં ૨ દાખલા તરીકે મગ ચૂલા ઉપર ચડાવ્યા કે તરત જ રંધાઇ જતા નથી. ૩ આ સંબંધમાં શ્રીહરિભદ્રસુરિએ શાસ્રવાર્તાસમુચ્ચયમાં કહ્યું પણ છે — “ ન લાયતિરેકે, "મૈયાજીનુમાાિમ । यत् किञ्चिज्जायते लोके, तदसौ कारणं किल ।। १६५ । काल: पचति भूतानि कालः संहरति प्रजाः । દાહ: સુપ્તેષુ શત્તિ, વાજો f૪ ૩રતિમ! ! ૨૬૬ ॥ किञ्च कालाते नैव, मुद्रपरिपीष्यते । સ્પાયાવિસન્નિષાનેપિ. સત: હાફાર્સૌ મસા ॥ ૬૬૭ | कालाभावे च गर्भादि, सर्वं स्यादव्यवस्थया । 39 પશ્વેતુલ ગાય-માત્રાવેલ સમુદ્ધાત્ || ૨૬૮ ॥ ૪ આનું સ્વરૂપ ડૅના, આારે પૂર્વોક્ત જમન ગ્રંથ ( પૃ. ૩૦-૩૨ )માં આલેખેલુ છે, ૫ જુએ શાસ્રવાર્તા ( લેા, ૧૬૯–૧૭૨ ), For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004886
Book TitleArhat Darshan Dipika
Original Sutra AuthorN/A
AuthorMangalvijay, Hiralal R Kapadia
PublisherYashovijay Jain Granthmala
Publication Year1932
Total Pages1296
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy