________________
બન્ધ–અધિકાર.
[ ચતુર્થ
મિથ્યાત્વાદિ બન્ધ-હેતુઓને ઈન્દ્રિયાદિ આ સાથે અભેદ–
આપણે તૃતીય કલાસમાં ઈન્દ્રિય, કષાય, અવ્રત અને ક્રિયા એમ આસવના ભેરે દર્શાવી ગયા છીએ અને અહીં તે મિથ્યાત્વાદિ પાંચનું બન્યુના હેતુ તરીકે યાને આસવ તરીકે નિરૂપણ કરીએ છીએ તે આ બેને સમન્વય શી રીતે થાય તેને અત્ર વિચાર કરીશું. તત્ત્વાર્થરાજ (પૃ. ૨૯૪)માં સૂચવાયું છે તેમ મિથ્યાત્વને પચીસ પ્રકારની ક્રિયાઓમાં અંતર્ભાવ થાય છે અને પ્રમાદને આજ્ઞા વ્યાપાદન-ક્રિયા અને અનાકાંક્ષ-ક્રિયામાં સમાવેશ થાય છે. યોગને ઇન્દ્રિયમાં કે ક્રિયામાં અંતર્ભાવ કરી શકાય. અવિરતિ કહે કે અત્રત કહે છે તે એક જ છે. એટલે
આ પ્રમાણે વિચારતાં મિથ્યાત્વાદિ બન્ધ-હેતુઓ ઇન્દ્રિયાદિ આસ્ત્રોથી જુદા નથી. મિથ્યાદર્શનાદિની જુદાં જુદાં ગુણસ્થાનમાં સંભાવના–
દરેકે દરેક ગુણસ્થાનકમાં કંઈ પાંચે બન્ધહેતુઓ સંભવતા નથી. ફક્ત પ્રથમ ગુણસ્થાનમાં મિથ્યાદર્શનાદિ પાંચે સમુદાયરૂપે છે. બીજા, ત્રીજા અને ચોથા ગુણસ્થાનમાં અવિરતિ, પ્રમાદ, કષાય અને એગ છે. પાંચમામાં દેશથી અવિરતિ, પ્રમાદ, કષાય અને યોગ છે. છ ગુણસ્થાનમાં પ્રમાદ, કષાય અને યોગ એ ત્રણ છે. સાતમા, આઠમા, નવમા, દશમા અને અગ્યારમા ગુણસ્થાનમાં કષાય અને વેગ એમ બે છે. અગ્યારમામાં સત્તારૂપે કષાય છે પણ ઉદયમાં નથી એટલે ત્યાં પણ કષાય-પ્રત્યાયિક બન્ધ નથી. બારમા અને તેરમામાં કેવળ યોગ છે. ચૌદમાં ગુણસ્થાનમાં એકે બન્ડ-હેતુ નથી. એ તે અપુનબન્ધક છે. બન્ધનાં કારણોની સંખ્યા પરાવે મતાંતરે
પ્રસ્તુત ગ્રંથકાર માટે ભાગે તવાર્થને અનુસરે છે એટલે એ અમૂલ્ય ગ્રંથના આઠમા અધ્યાયના આદ્ય સૂત્રમાં સૂચવેલા પાંચ બન્ધના હેતુઓવાળું કથન તેઓ અત્ર રજુ કરે તે સ્વાભાવિક છે, પરંતુ જૈન દાર્શનિક સાહિત્ય તપાસતાં આ ઉપરાંત બીજી બે પરંપરાઓ પણ જોવાય છે એટલે કે બન્ધના હેતુઓ તરીકે શ્રીઉમાસ્વાતિ અને તેમના અનુયાયીઓ ઉપર્યુક્ત પાંચને : નિર્દેશ કરે છે, કર્મગ્રન્થકાર તેમજ *તેમને પગલે ચાલનારાઓ પ્રમાદ સિવાયના ચારને એટલે કે મિથ્યાત્વ, અવિરતિ, કષાય અને રોગને બન્ધના હેતુરૂપે નિર્દેશ કરે છે અને ત્રીજી પરંપરા કષાય અને યોગ એ બેને જ બન્ધના હેતુ તરીકે ઉલ્લેખે છે.' આ પ્રમાણે જોકે બન્ધના હેતુની સંખ્યા પરત્વે ભેદ છે, પરંતુ તાવિક દષ્ટિએ વિચારતાં તે કેવળ અન્યાન્ય અપેક્ષા પૂર્વકનાં કથન જ છે, નહિ કે એક બીજાને ઉતારી કે તેડી પાડવાની વૃત્તિવાળાં એકાન્તિક કથને છે. એટલે કે એ પરસ્પર ભિન્ન જણાતી પરંપરાને સમન્વય થઈ શકે તેમ છે અને એ પરિસ્થિતિમાં એમાં સંખ્યા સિવાય કશો ભેદ જ રહેતું નથી.
૧ આ ઉપરથી મિથ્યાદર્શનાદિના કમની સકારણતા ફલિત થાય છે. ૨ જુઓ તત્ત્વાર્થસૂત્રનું વિવેચન પૃ. ૩૪૩-૩૪૪.
૩ જુએ ચતુર્થ કર્મગ્રન્થ ગા. ૫૦. ૪ જુઓ પંચસંગ્રહ (દા. ૪, ગા. ૧) તથા કર્મકાર્ડની ગા. ૭૮૬. ૫ જુઓ પાંચમો કમપ્રન્થ ( ગા. ૯૬ ).
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org