________________
ચતુર્થ ઉલ્લાસ– બન્ધ ' અધિકાર
આપણે ગત ઉલ્લાસમાં કાચિક, વાચિક અને માનસિક કર્મરૂપયોગ તે “આસ્રવ છે એવું આસવનું લક્ષણ તેમજ તેના પ્રકારનું કથન કર્યું. હવે “બધ” અધિકારનું પ્રતિપાદન કરવામાં આવે છે. તેમાં બાની ઉત્પત્તિ કંઈ આકસ્મિક નથી એટલે સૌથી પ્રથમ બન્ધનાં કારણેને નિર્દેશ કરતાં ગ્રંથકાર કર્થ છે કે'मिथ्यादर्शनाविरतिप्रमादकषाययोगा इति पञ्च बन्धहेतवो भवन्ति । અર્થાત (૧) મિથ્યાદશન યાને મિથ્યાત્વ, (૨) અવિરતિ, (૩) પ્રમાણ, (૪) કષાય અને (૫) યોગ એમ બન્ધનાં પાંચ કારણે છે. પરંતુ એ ધ્યાનમાં રાખવું કે મિથ્યાદશનાદિ પાંચે બધ-હેતુઓ એક જ છવમાં સમકાલે સંભવતા નથી કે જે હકીકત હિંસાદિ સર્વ પરિણામે પણ લાગુ પડી શકે છે. વિશેષમાં આ મિથ્યાદશનાદિ જે પાંચ બધુ-હેતુઓ છે તેમાં જે પૂર્વ હેતુ વિદ્યમાન હોય તે ઉત્તર હેતુ હવે જ જોઈએ; કિન્તુ ઉત્તર હેતુ હોય તે પૂર્વ હેતુ હોય પણ ખરે અને ન પણ હેય-એની ભજના સમજવી. અવિરતિનું પ્રમાદ અને કષાયથી પૃથકત્વ
તત્વાર્થરાજ (પૃ. ૨૭) તરફ નજર કરતાં સમજાય છે કે પ્રમાદ અને અવિરતિ એ બે એક બીજાના પર્યાયરૂપ નથી એટલે કે એમાં વિશેષતા રહેલી છે, કેમકે ત્યાં સૂચવાયું છે તેમ વિરતિથી અલંકૃત વ્યક્તિમાં પણ ચાર જાતની વિકથા, ચાર પ્રકારના કષાય, પાંચ પ્રકારની ઇન્દ્રિય, નિદ્રા અને પ્રણયરૂપ પંદર પ્રકારનું પ્રમાદ સંભવે છે. એટલે કે અવિરતિના અભાવમાં પણ પ્રમાદના અસ્તિત્વ માટે અવકાશ છે. આથી અવિરતિ અને પ્રમાદને એક ન ગણતાં અત્ર પૃથ ગણ્યાં છે તે ન્યાય છે. એવી રીતે કષાય અને અવિરતિમાં પણ ફેર છે. જોકે બંને હિંસાદિ પરિણામરૂપ છે, તે પણ કષાય એ કારણ છે અને અવિરતિ એ કાર્ય છે એટલે કે કાર્યસ્વરૂપ હિંસાદિ અવિરતિથી કારણરૂપ કષાય ભિન્ન છે.
આ પ્રમાણે જોતાં વિરતિ, પ્રમાદ અને કષાય એ ત્રણેનું પૃથક અસ્તિત્વ સ્વીકારવું પડે તેમ છે. એમાં મિથ્યાદર્શન અને રોગ ઉમેરતાં બહેતુઓની સંખ્યા પાંચની આવે છે. ૧ તત્વાર્થ ( અ. ૮, સુ. ૧)માં કહ્યું પણ છે કે
“ નિશાનાવિતિgમારાથના કષતા ” ૨ જુઓ પૃ. ૭ર તેમજ પૃ. ૩૪૯,
૩ હિંસાદિ પરિણામરૂપે વિચાર કરતાં અવિરતિને કષાયમ અંતર્ભાવ શક્ય છે. અથવા તે કાર્યમાં કારણને ઉપચાર કરવાથી પણ અવિરતિને કષાયમાં સમાવેશ કરી શકાય તેમ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org