SearchBrowseAboutContactDonate
Page Preview
Page 1042
Loading...
Download File
Download File
Page Text
________________ ઉલ્લાસ ] આહંત દર્શન દીપિકા. અર્થાત્ વર્ણ તેમજ સંસ્કાર એ બંનેથી રહિત તેમજ જેમાંથી અર્થ ન નીકળે તેવી વાણી બોલવી તે વાદુપ્રણિધાન” છે. એટલે કે શબ્દ-સંસ્કાર તેમજ અથ વિનાની અને હાનિકારક ભાષા બોલવી તે “વાચિક દુષ્મણિધાન છે. સામાયિક દરમ્યાન મૌન સેવવું અને ન બને તે ધાર્મિક ગ્રંથ વાંચવા કે ઈશ્વર ભજન કરવું પરંતુ અશુભ વચન ન ઉચ્ચારવું અને વાચિક દશ દે ટાળવા. મને-દુપ્રણિધાનનું લક્ષણ क्रोधलोभद्रोहाभिमानादिकार्यव्यासङ्गजन्यसम्भ्रमरूपत्वं मनोસુuળધાનસ્થ (૫૦૭) અર્થાત્ ક, લેભ, દ્રોહ, ગવ વગેરેને લીધે કાર્ય કરવામાં જે બ્રાન્તિ થઈ જાય તે મને-દુપ્રણિધાન” છે, એટલે કે ક્રોધાદિના આવેશ પૂર્વકનું ચિન્તન તે “માનસિક દુપ્રણિધાન” છે. સામાયિક દરમ્યાન મનમાં જેમ બને તેમ સંકલ્પ ઓછા કરવા, મનને આત્મામાં તલ્લીન બનાવવું, સંકલ્પ ઊઠે તે ધર્મ સંબંધી વિચાર કરે, પરંતુ અશુભ વિચારને સ્થાન ન આપવું અને એ પ્રમાણે મનના દશ દેષ ટાળવા. ૧ સામાયિકમાં કોઇને ટુંકાર કર, કુવચન બેલિવું તે (૧) “કુવચનદેષ'. સાહસથી અવિચારીપણે વચન ઉચ્ચારવું તે (૨) “સહસાત્કારદેષ'. ખોટો ઉપદેશ આપવો ઇત્યાદિ તે (૩) “અસદારોપણદેષ'. શાસ્ત્રની દરકાર કર્યા વિના વાક્ય બલવાં તે () નિરપેક્ષ દેષ'. સૂત્રપાઠ ટુંકમાં બોલી નાંખવા ઇત્યાદિ તે (૫) “સંક્ષેપદે'. સામાયિક દરમ્યાન કોઈ સાથે કજીએ કંકાસ કરવો તે (૬) “કલેશેષ'. ચાર પ્રકારની વિકથા પૈકી ગમે તે એકનું પણ સેવન કરવું તે (૭) “વિકથા'. સામાયિકમાં કોઈની ઠઠ્ઠામશ્કરી કરવી તે () “હાસ્ય'. સૂત્રપાઠ ઓછાવત્તો કે અશુદ્ધ બોલ તે (૯) “અશુદ્ધદેષ'. સૂત્રપાઠ શહ ન બોલતાં ગડબડગોટા વાળવા, પોતે પણ પૂરૂં ને સમજી શકે તેમ સૂત્રો બાલવાં તે (૧૦) મૂણમુણદોષ. આ પ્રમાણે વાચિક દશ દે છે. ૨ સામાયિકના સ્વરૂપથી અજાણ હોઈ મનમાં એ કુતર્ક કરવો કે આવી ક્રિયાથી શું ફળ મળવાનું હતું, એથી કેણ સંસારસાગર તરી ગયું હશે તે એ કુવિકલ્પ (૧) “અવિવેકદોષ' કહેવાય છે. પિતે સામાયિક કરે છે એ અન્યને ખબર પડતાં પોતાની તારીફ થશે એવી ઈચ્છાથી સામાયિક કરવું તે (૨) “યશવાંછાદોષ” છે. ધનની પ્રાપ્તિની અભિલાષાથી સામાયિક કરવું તે (૩) “ધનવાંછાદિષ' છે. મને લેકે ધર્મ ગણે છે, કેમકે હું સામાયિક પણ તેવી ઉત્તમ રીતે કરું છું એવું અભિમાન ધારણ કરવું તે (૪) ગર્વ દોષ' છે. હું શ્રાવક કુળમાં જન્મ્યો છું, મને લોકે મોટો ગણે છે, વાતે જે હું સામાયિક નહિ કરીશ તે મારી નિંદા થશે એવા ભયથી તેમ કરવું તે (૫) “ભયદેવું છે. સામાયિક કરતી વેળા તેના ફળ તરીકે કલત્ર, પુત્ર, ધન વગેરેની પ્રાપ્તિ ઈચ્છવી તે (૬) “નિદાનદેષ’ છે. સામાયિકથી લાભ થશે કે નહિ એ કુવિક૯પ તે (૭) “સંશયદેષ' છે. ક્રોધના આવેશમાં સામાયિક કરવા બેસી જવું કે કેક કારણથી ક્રોધાદિક વૃત્તિ ધારણ કરવી તે (૮) “કષાયદેષ” છે. અવિનયપણે સામાયિક કરવું તે (૯) અવિનયદોષ' છે. ભક્તિ પૂર્વક કે ઉમંગભેર સામાયિક ન કરવું તે (૧૦) “અબહુમાનદેષ છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004886
Book TitleArhat Darshan Dipika
Original Sutra AuthorN/A
AuthorMangalvijay, Hiralal R Kapadia
PublisherYashovijay Jain Granthmala
Publication Year1932
Total Pages1296
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy