________________
૯૫૬ માસવ-અધિકાર,
[ તૃતીય સચિરમિશ્ર આહારનું લક્ષણ–
आर्द्रकदाडिमविर्भटिकादिभिः सम्मिश्राणां पूरणादीनां तिलमिश्रितान्नादीनां वाऽनाभोगादिना भक्षणं सचित्तमिश्राहारस्य लक्षणम्। (૪૨દ્દ). અર્થાત આદુ, દાડમ, ચીભડા વગેરે સચિત્ત પદાર્થથી મિશ્રિત પૂરણ વગેરેનું ભક્ષણ અથવા તે તલથી મિશ્રિત બાજરી યાને તલપાપી (તથા ખસખસ મિશ્રિત લાડવા) વગેરેનું ભક્ષણ તે સચિત્તમિશ્ર આહાર” જાણ.
જળ અડધું ઊનું હોય અને અડધું ઠંડું હોય એટલે કે એને કેટલેક ભાગ સચિત્ત હોય અને કેટલેક અચિત્ત હોય તેવા જળનું પાન કરવાથી અથવા તે તત્કાળ દળેલા લેટમાં રહેલા ઝીણું ધાન્યકરણને લીધે સચિત્ત-અચિત્ત લેટ વગેરેનું ભક્ષણ કરવાથી આ અતિચાર લાગે. આ પણ ઉપગ-શૂન્યતાદિને લઇને હોય તે અતિચાર ગણાય, નહિ તે વ્રતભંગ. અભિષવ-આહારનું લક્ષણ. अनेकद्रव्यसन्धाननिष्पन्नानां सुरासौवीरकादीनां मांसप्रकार• खण्डानां वाऽनाभोगादिना भक्षणमभिषवाहारस्य लक्षणम् । (४९७)
અર્થાત અનેક વસ્તુઓ એકત્રિત કરવાથી ઉત્પન્ન થનારા અને માંસના ટુકડા જેવા આકારવાળાં દારૂ, સૌવીરક વગેરેનું અનામેગાદિ પૂર્વકનું ભક્ષણ તે “અભિષવ-આહાર ” છે. “અભિષવ” એટલે આસવ યાને સર્વને નિષ્કર્ષ, ઉન્માદને ઉત્પન્ન કરનારા કેઈ પણ જાતના એક દ્રવ્યનું કે વિવિધ દ્રવ્યના મિશ્રણથી ઉત્પન્ન થતી મદિરા વગેરેનું સેવન કરવું તે “અભિષવ-આહાર' છે. જેનો કાળ વ્યતીત થઈ ગયો છે એવાં અથાણાં વગેરે અનાગપણે ખાવાથી પણ આ અતિચાર લાગે છે. મદિરાનું સેવન–
મદિરા એ સાત વ્યસને પૈકી એક છે. એના સેવનથી માણસને બેટી શક્તિ આવે છે, પરંતુ એને નિચે ઉતરતાં શરીરનું બળ પાણી સાથે ખેંચાઈ જાય છે. દારૂ પીવાનું જેને દુર્ગ્યુસન લાગ્યું હોય તે ઈન્દ્રિયોને ગુલામ બને છે. તેને પિતાની જાતનું, માતાપિતાનું કે કુટુંબવર્ગનું ભાન રહેતું નથી. એનું ચિત્ત સ્થિર હેતું નથી. એની વિવેકશક્તિ હણાઈ જાય છે અને ધર્મ જેવી વસ્તુ જ એના હૃદયમાંથી ખસી જાય છે. દારૂ તૈયાર કરવામાં પદાર્થો
૧ વગેરેથી કીડી, કુંથુઆ વગેરેથી મિશ્રિત વસ્તુ સમજવી. ૨ એક જાતની કાંજી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org