________________
આહંત દર્શન દીપિકા. કરે છે કે ( ૨ ) અન્ય પદાર્થની અન્યરૂપે પ્રતીતિ એનું નામ “મિચ્યા છે કે (૩) “મિચ્યા શબ્દ “અનિર્વાચ્ય’ના અર્થમાં સમજવાનું છે? જે આ ત્રણ પક્ષમાંથી તેઓ પ્રથમ પક્ષ અંગીકાર કરે, તો “અસત્ ' પદાર્થની પ્રરૂપણ કરવારૂપ ષ તેમને લાગુ પડે છે. બીજો પક્ષ સ્વીકારવાથી અર્થાત્ રજજુ (દેરડી)ને જોઈને તેને સર્પ માનવા જેવી ભૂલ થાય છે, આ ભૂલને-અજ્ઞાનને મિથ્યા કહેવાથી, તો વિપરીત–પાતિ સ્વીકારવાને પ્રસંગ પ્રાપ્ત થાય છે અને જે આ બેમાંથી એક પણ પક્ષ ન રવીકારતાં, જે તેઓ તૃતીય પક્ષને આશ્રય લેતા હોય ( વસ્તુતઃ માયાવાદીઓ તૃતીય પક્ષનું જ અવલમ્બન કરે છે) તો અનિર્વાચ્યથી શું સમજવું એ જાણવું બાકી રહે છે. જે અનિચ્ચને અર્થ “નિઃસ્વભાવતા કરવામાં આવે, તે અસત્-ખ્યાતિ કે સત્
ખ્યાતિ એ બેમાંથી એક સ્વીકારવાને પ્રસંગ પ્રાપ્ત થાય છે ( અને આ તે તેમને ઈષ્ટ નથી); કેમકે સ્વભાવ ક્યાં તો ભાવરૂપ છે કે કયાં તે અભાવરૂપ છે અર્થાત્ સ્વભાવના આ બે પ્રકારે છે. હવે “નિસ અવ્યયને પ્રતિષેધકરૂપ અર્થ કરવાથી નિઃસ્વભાવતા શબ્દ વડે ભાવનું નિરાકરણ યાને ક્યાં તે અભાવનું નિરાકરણ થાય છે. ભાવનું નિરાકરણ થવાથી અસત્ –ખ્યાતિ અને અભાવનું નિરાકરણ કરવાથી સત–ખ્યાતિ સ્વીકારવાને અનિષ્ટ પ્રસંગે તેમને પ્રાપ્ત થાય છે.
આ આપત્તિમાંથી બચવાની ખાતર જે તેઓ “નિઃસ્વભાવતા અને અર્થ “પ્રતીતિ-અગોચરત્વ' અર્થાત જે પ્રતીતિગોચર ન હોય તે નિરવભાવ છે એમ કરે તે “પ્રપંચ મિથ્યારૂપ છે, પ્રતીયમાન હોવાથી ....” એવું જે અનુમાન કર્યું હતું તેની સાથે વિરોધ આવે છે. કેમકે જે પ્રપંચ જેવી વસ્તુ છે જ નહિ તેમજ તેની પ્રગતિ પણ કદાપિ થતી નથી, તે પછી “પ્રપંચ મિથ્યારૂપ છે, પ્રતીયમન હોવાથી...” એ અનુમાનને પ્રવેગ કરીને પ્રપંચને “ધર્મી રૂપે કેમ
સ્વીકાર્યો છે તેમજ પ્રતીય માનત્વ રૂપ હેતુ પણ કેમ અંગીકાર કર્યો છે? આથી તે ઉલટું એમ સિદ્ધ થાય છે કે પ્રપંચ પ્રતીયમાન છે. આના બચાવમાં જે માયાવાદી એમ યુક્તિ રજુ કરે કે પ્રપંચ પ્રતીતિથી અગોચર છે, એમ કહેવાનું કારણ એ છે કે જે રૂપે પ્રપંચ પ્રતીત થાય છે, તે તેનું વાસ્તવિક રૂપ નથી અને એનું જ નામ પ્રતીતિ-અગોચરત્વ છે, તે તેને વિપરીત-ખ્યાતિ સ્વીકારવી પડશે.
વળી ‘પ્રપંચ અનિવોચ્ચ છે ” એ પક્ષ પ્રત્યક્ષ-બધિત છે, કેમકે પ્રત્યેક ભિન્ન ભિન્ન પદાઈને પ્રપંચરૂપે માયાવાદીના મતમાં ઓળખાવવામાં આવ્યો છે, તેમજ પ્રત્યક્ષ પણ ઘટાદિ પદાર્થનું તેનાથી ઇતર પદાર્થની ભિન્નતાપૂર્વક જ્ઞાન કરાવે છે. અહિંઆ જે માયાવાદી એવો પ્રશ્ન ઊઠાવે કે પ્રત્યક્ષ તે વિધાયક જ છે અર્થાત્ તે તે પદાર્થના સ્વરૂપનું ગ્રહણ કરનાર જ છે પરંતુ તે પદાર્થના સ્વરૂપનું નિરાકરણ કરી શકે તેમ નથી, અને તેમ હોવાને લીધે કેવળ એક બ્રહ્મને માનવાવાળા વેદાન્તીઓને જ સિદ્ધાન્ત અબાધ્ય રહે છે, કેમકે તેનું કંઈ ખંડન થઈ શકતું નથી, તે આ તેમનું કથન યુક્તિ-યુક્ત નથી. કેમકે પટાદિક અન્ય પદાર્થોના નિષેધપૂર્વક જ ઘટાદિ પદાર્થના સ્વરૂપનું જ્ઞાન છે. વિશેષમાં પિતાદિ વર્ષોથી ભિન્ન એ જે નીલ વર્ણ છે તેવા નીલ વર્ણનું આ નીલ વર્ણ છે એવું જ્ઞાન થાય છે, પરંતુ અન્યથા તેમ થતું નથી, કારણ કે જેમ કેવળ ભૂતળનું ગ્રહણ થતાં ભૂતળ ઉપર ઘટને અભાવ એવું ગ્રહણ પણ થઈ જાય છે, તેવી જ રીતે કેવળ પદાર્થના સ્વરૂપનું જે ગ્રહણ છે, તે અન્ય પદાર્થોના નિષેધના ગ્રહણરૂપ છે. આથી પ્રત્યક્ષ વિધાયક તેમજ નિષેધક એમ સ્વીકારવું ન્યાય-સંગત છે,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org