________________
જીવ—અધિકાર.
[ પ્રથમ
પડી શકતા નથી. કેમકે અમે તે અનેકાન્તવાદી છીએ; અર્થાત્ અમે જૂદી જૂદી અપેક્ષાએ એક જ વસ્તુમાં વાશ્રી ધર્મને પણ માનવા તૈયાર છીએ અને આ પ્રમાણેની માન્યતા ન્યાયપુરસ્કર છે, એ પણ સાથે સાથે નિવેદન કરીએ છીએ. વિશેષમાં એ પણ ખુલાશે। અમે રજી કરીએ છીએ કે પરમાણુઓથી જ હમેશાં સ્કૂલ પદાર્થની ઉત્પત્તિ છે એવું કથન અમને માન્ય નથી, કેમકે સ્કૂલ સૂતર વડે પણ સ્થૂલ પટ બને છે એ તો જાણીતી વાત છે તેમજ વળી આત્મા, આકાશ, ઇત્યાદિ પદાર્થો કંઇ પુદ્ગલ-જન્ય નથી. પરમાણુ દ્વારા પણ જ્યાં ઉત્પત્તિ માનવામાં આવે છે, ત્યાં તેમજ તમે પૂછેલા સાધાર-નિરાધાર, અવયવી અનેકરૂપ છે કે એકરૂપ ઇત્યાદિ પ્રસંગેામાં અનેકાન્ત મતના આશ્રય લેવાથી કાઇ પણ જાતનો ભય રહેતો નથી એટલું જ નહિ, પરંતુ સમસ્ત વાત ન્યાયસંગત ઠરે છે અને તેમ થતાં તમારા શૂન્યવાદ તમને ખેલતાં બંધ કરી દે છે.
વિશેષમાં શૂન્યવાદનુ સ થા સેવન કરનાર શૂન્યવાદીઓને એમ પણ પૂછવામાં આવે છે કે તમે જે શૂન્યવાદની પ્રરૂપણા કરો છો તે તમારા આગમ-અનુસાર છે કે કેમ ? જો તે આગમ-અનુસાર છે, એમ કહેવાનું સાહસ કરશો, તો આગમરૂપી પદાર્થો સ્તૂપ સિદ્ધ થતાં તમારા શૂન્યવાદ શશશૃંગની વિદ્યમાનતાની સાથે ખરેખર હરીફાઇ કરવામાં જરાએ ઉતરે એમ નથી એમ જોઇ શકાય છે. આથી વિપરીત પક્ષ સ્વીકારશો, તો તમારૂં કથન તમારા સિવાય અન્યને માન્ય કેમ થઇ શકશે વારૂ ?
વળી પ્રમેય જેવો કોઇ પદાર્થ જ નથી, એમ કહેશો નહિ; કેમકે તમે જે શૂન્યવાદની પ્રરૂપણા કરે છો તે પ્રમેય નથી, તો ખીજું શું છે ? વળી કઇ પણ વાત સિદ્ધ કરવી હોય, તો તેમાં શું પ્રમાણ રહેલ છે, તે બતાવવું આવશ્યક છે. આથી જે પ્રમાણરૂપ પદાર્થ માનવા તૈયાર થશો, તો શૂન્યવાદનું ‘ સત્યાનાશ ’નીકળી જશે અને જો પ્રમાણ જેવુ' કઈ છે જ નહિ એમ કહેશો તો તો વાહ શી સુન્દર વાત !
આ પ્રમાણે શૂન્યવાદની જે સમીક્ષા જૈન ગ્રન્થામાં નજરે પડે છે તેની સ્કૂલ રૂપરેખા મે યથામતિ અત્ર આલેખી છે. હવે અદ્વૈતવાદીઓના મન્તવ્યનું અવલેાકન કરીશું.
માયાવાદની મીમાંસા
*
'અદ્વૈતવાદીઓ ‘ સત્યં ત્રણ મિથ્યા જ્ઞાત્ ' એ સૂત્રની બહુધા ઉદ્ઘોષણા કરે છે અને એ દ્વારા તેઓ એમ કહે છે કે બ્રહ્મ જ સત્ય છે અને જગત્ તો મિથ્યા છે—પ્રપચરૂપ છે અને આ પ્રપ ંચનુ કારણ માયા ( અવિદ્યા ) છે. પ્રપંચ મિથ્યારૂપ છે, પ્રતીયમાન હેાવાથી, શુક્તિ ( છીપ )માં ચાંદીની માફ્ક. આવા અનુમાનથી તેઓ બ્રહ્મ જ પદાર્થ છે એમ સિદ્ધ કરવા મથે છે. આ વાતમાં કેટલું સત્ય રહેલુ છે, તે હવે વિચારવામાં આવે છે,
માયાવાદીઓને પ્રથમ તો એ પૂછવામાં આવે છે કે (૧) ‘ મિથ્યા ’ શબ્દ અત્યન્ત અસદ્રુપ ’ વાચક છે અર્થાત્ જે ‘ સર્વથા અસત્ ’ છે તે ‘મિથ્યા’ છે એવા ‘મિથ્યા’ શબ્દને અથ
૧ અદ્વૈતવાદના કેવલાદ્વૈત, વિશિષ્ટાદ્વૈત, શુદ્દાદ્વૈત ઇત્યાદિ પ્રકારા તરફ વિશેષ લક્ષ્ય ન આપતાં અત્ર સામાન્ય રીતે તેને વિચાર કરવામાં આવે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org