________________
ઉલ્લાસ 1
આહંત દર્શન દીપિકા.
૨૧
હવે અનભયરૂપ પદાર્થ છે એ પક્ષ તે વિદ્વાનને ઉપેક્ષણીય હોય એમાં નવાઈ જ શી ? કેમકે એ વાતમાંથી એકનો નિષેધ કરવાથી અન્યની સિદ્ધિ થાય એ નિયમ કયાં જગજાહેર નથી ? આ પ્રમાણે બાહ્ય અર્થ છે એ વાત સિદ્ધ થતી નથી એમ અમે શુન્યવાદી છાતી ઠોકીને કહીએ છીએ.
હવે તમે માનેલ બાહા અર્થના ગ્રાહક જ્ઞાનરૂપ અર્થ જેવી કઈ વસ્તુ નથી એ પણ બતાવી દઈએ છીએ, કેમકે જ્યારે બાહ્ય અર્થ જ નથી તે પછી તેને ગ્રાહક હોય એ બને જ ક્યાંથી?
વળી બીજી પણ આ બાબતમાં અમે યુક્તિઓ રજુ કરીએ છીએ. પ્રથમ તે અમે તમને એ જ પૂછીએ છીએ કે આ જ્ઞાનરૂપ અર્થ-ગ્રાહક અર્થને સમકાલીન છે કે નહિ? પ્રથમ પક્ષ માનતાં તે વિશ્વના સમસ્ત પદાર્થોનું એકી સાથે જ્ઞાન થવું જોઈએ. કેમકે આ જ્ઞાન થવામાં જ્ઞાન અને અર્થને સમકાલિત્વરૂપ હેતુ બરાબર વિદ્યમાન છે. જો તમે બીજે પક્ષ સ્વીકારતા હો, તે એ પ્રશ્ન ઊઠે છે કે આ જ્ઞાન નિરાકાર છે કે સાકાર ? જે આ જ્ઞાન નિરાકાર છે એમ માનવા જશે તે પ્રતિનિયત પદાર્થને પરિચછેદ થઈ શકશે નહિ. આથી જે આ જ્ઞાનને સાકાર માનવા તૈયાર થતા હો, તે એ જ્ઞાનને આકાર જ્ઞાનથી ભિન્ન છે કે અભિન્ન? જે આ જ્ઞાનને આકાર તેનાથી અભિન્ન માનશે, તે વાસ્તવિક રીતે આકાર જે કઈ પૃથ-પદાર્થ ન રહેતાં, તે જ્ઞાન નિરાકાર ઠરે છે અને આથી તે પૂર્વોક્ત દૂષણો અહિં પણ લાગુ પડે છે. વાસ્તે જે હવે જ્ઞાનના આકારને તેનાથી ભિન્ન માનશે, તે પણ સંકટનું નિવારણ થાય તેમ નથી. કેમકે તમારી આ માન્યતા પરત્વે અમે એ જાણવા માંગીએ છીએ કે આ જ્ઞાનથી ભિન્ન એ જે આકાર તે ચિતૂપ છે કે અચિદ્રુપ? આના પ્રત્યુત્તરમાં તમે એમ કહેશે કે તે આકાર ચિતૂપ છે, તો પાછા પૂર્વને જ પ્રશ્ન આવી ખડો થાય છે અને તેથી તમે આપત્તિમાંથી બચી શકતા નથી. આથી હવે જે તે જ્ઞાનને આકાર અચિપ માનશે, તે આ આકાર અર્થને જ્ઞાતા છે કે નહિ એ પ્રશ્ન ઉપસ્થિત થાય છે. જે તે અને જ્ઞાતા નથી એમ કહેશે, તે પછી તે દ્વારા જે જ્ઞાન મળશે તે વાસ્તવિક કહી શકાશે નહિ; અને તે જ્ઞાતા છે એમ કહેશે, તે પાછી પૂર્વોક્ત આપત્તિ આવી પડવાની. આથી જ્ઞાન જે કોઈ પદાર્થ જ નથી, એમ સિદ્ધ થાય છે અર્થાત્ શુન્યવાદને વિજયડંકે વાગી રહે છે.
શૂન્યવાદને નિરાસ ઉત્તર પક્ષ[ હવે જેન તરફથી શૂન્યવાદને પ્રશ્ન પૂછવામાં આવે છે કે આ તમારી શુન્ય-વાદની પ્રરૂપણા પ્રમાણુ–પુરસ્સર છે કે નહિ ? જો આ પ્રરૂપણા પ્રમાણ–સિદ્ધ છે એમ કહેશે, તે તે પ્રમાણ અર્થ કે જ્ઞાન એ બેમાંથી એકરૂપ જ સિદ્ધ થતાં, શૂન્ય-વાદ હવામાં ઊડી જાય છે અને જે આ પ્રમાણને શૂન્ય કહેવાનું સાહસ કરશે, તે તે શુન્ય પ્રમાણ વડે શૂન્યવાદની સિદ્ધિ તે સોમવતી અમાસ ને શકવાર થઈ શકે તેમ છે.
વળી, જે એમ કહેવા વિચાર રાખતા હો કે આ પ્રરૂપણા કોઈ પણ પ્રમાણના આધારે કરવામાં આવી નથી, તે પછી તમારા કથન પર વિદ્વાનને વિશ્વાસ હોય જ ક્યાંથી? આ પ્રમાણે શૂન્ય-વાદ શૂન્યતામાં જ લીન થઈ જાય છે.
વળી આ પ્રરૂપણ કરતી વેળાએ જે કેટલાક દેશે તમે આપ્યા છે, તે અમે જૈનોને લાગુ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org