________________
આસવ-અધિકાર.
[ તૃતીય * અન્ય શબ્દોમાં કહીએ તે જે કાર્ય માટે જીવન છે તે કાર્ય નષ્ટ થવાની અણું ઉપર હોય ત્યારે જીવન ટકાવી રાખવું તે શા કામનું ? એ વાત કેમ ભૂલી જવાય કે આત્માનું સાધ્ય શાંતિ અને સુખ છે, સુખનું સાધન ધર્મ છે અને ધર્મનું સાધન શરીર છે-જીવન છે. જ્યારે એ જીવન ધર્મનું બાધક બનતું જણાય ત્યારે તેને ત્યાગ કરી ધર્મની રક્ષા કરવી એ સમુચિત જ છે. એ તે સુપ્રસિદ્ધ નિયમ છે કે જ્યારે સાધ્ય અને સાધન વચ્ચે વિરોધ ઊભું થાય ત્યારે સાધનને છે-તેને જતું કરીને પણ સાધ્યની રક્ષા કરવી જ જોઈએ. સમાધિમરણ તેમજ સંલેખના એ જ નીતિ ઉપર રચાયેલાં છે.
વિશેષમાં સંખનાનું મુનીવર શ્રીસમન્તભઢે નીચે મુજબ દર્શાવેલું લક્ષણ પણ આ વાતનું સમર્થન કરે છે –
उपसर्गे दुर्भिक्षे जरसि रुजायां च निष्प्रतीकारे ।
પર તનુવિચનમારુ “વના 'મા અર્થાત કેઈ ઉપસર્ગ (કષ્ટ) આવી પહોંચેલ હેય, દુકાળ પડ હેય, ઘડપણ આવી લાગ્યું હોય અને અસાધ્ય રોગ ઉદ્દભવે ત્યારે ધર્મનું રક્ષણ કરવું અશક્ય જણાય છે તે સમયે ધર્મને રક્ષણ માટે શરીરને ત્યાગ કરે તેને આ “સલ્લેખના” કહે છે,
અત્ર કેઈ પ્રશ્ન ઊઠાવે કે સર્વજ્ઞ વિના એ કોણ નિશ્ચયપૂર્વક કહી શકે કે અમુક વ્યક્તિ મેરી જ જશે, કેમકે કેટલીક વાર એમ પણ બને છે કે બધા વૈદ્યોએ જે રેગીની સારા થવાની આશા છે દીધી હોય તે પણ સાજો થાય છે. આથી સંશયાસ્પદ મૃત્યુને નિશ્ચયાત્મક બનાવનાર સંલેખના શ આત્મઘાત નથી ? વળી ચિકિત્સા ચાલુ રાખવાથી રેગી કદાચ વધારે વખત જીવે એવી સંભાવના છે તે એ અપેક્ષાએ પણ શું લેપના આત્મવધ નથી ?
આને ઉત્તર એ છે કે આપણે સર્વજ્ઞ નથી એટલું જ નહિ, કિન્તુ ભવિષ્યના ગર્ભમાં રહેલી એકે વાતને સુનિશ્ચય કરવા સમર્થ નથી. છતાં પણ આપણે કેવળ પ્રકટ ભવિષ્ય સાથે જ સંબંધ ધરાવનારા જ કાર્યો નહિ, કિન્તુ યુગયુગજીવી કાર્યો પણ કરતાં નથી કે ? ખરી વાત તે એ છે કે મનુષ્ય પાસે જેટલું જ્ઞાન છે-જેટલી શક્તિ છે તેને પૂરેપૂરો ઉપગ કરી કઈ પણ કાર્ય તેણે કરવું જોઈએ. સર્વજ્ઞતા પ્રાપ્ત ન થાય ત્યાં સુધી કશું ન કરવું એ સિદ્ધાન્ત સ્વીકારાય તે અકર્મણ્યતાનું સામ્રાજ્ય સ્થપાય અને આ દુનિયાનું અસ્તિત્વ જ ઉડી જાય. આથી ઉપલબ્ધ શક્તિ અને બુદ્ધિને શુભ પરિણામોમાં ઉગ કરે અનુચિત નથી. બીજી વાત એ છે કે ભૌતિક જીવન જ જીવનનાં અથ અને ઈતિ નથી. એને જ જીવન માનનાર જીવતે છતાં મુએલો જ છે, એવા અનેક પ્રસંગે આવે છે જ્યારે મધ્યે મરતાં પણ શીખવું જોઈએ. યુદ્ધમાંથી નાસી છુટવા કરતાં પ્રાણત્યાગને સાચા ય વધારે પસંદ કરે છે. જે વસ્તુની કિંમત
૧ સરખા --
• Twig હુ પાષાણ ! "
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org