SearchBrowseAboutContactDonate
Page Preview
Page 329
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૯૪ : પઉમચરિય-પદ્મચરિત્ર વાત આપ સાંભળે. ભામંડલ અને સુગ્રીવ ભયંકર નાગપાશથી મજબૂત બંધાયા છે. રાવણના પુત્રો તેને પિતાની નગરી તરફ લઈ જઈ રહેલા છે, તેને આપ નિહાળે. તે બે વગર અમારામાંથી કોઈ પણ રાવણને જિતી શકે તેમ નથી. તે સમયે પુણ્યાનુયોગે રામે યાદ કરી લક્ષમણને કહ્યું કે, ઉપસર્ગ–સમયે જે વર પ્રાપ્ત કર્યો હતો, તેનું તું જલદી સ્મરણ કર. લક્ષમણે સમરણ કર્યું, એટલે તરત અવધિજ્ઞાનથી જાણીને મહાલેચન દેવ એકદમ રામની પાસે આવ્યા. તુષ્ટ થએલા તે દેવે રામને સિંહવાહિની વિદ્યા આપી અને પરિવાર–સહિત લક્ષમણને ગરુડા વિદ્યા આપી. તે બંનેને દિવ્ય અને વિમલ પ્રહરણથી ભરેલો ઉત્તમરથ આપે તથા આનેય, વારુણ, તેમજ બીજાં પણ દિવ્યાએ આપ્યાં. તે ઉત્તમ દેવે લમણુને વિધ્રુવદન નામની ગદા આપી તથા દિવ્ય હળ અને મુશલ રામને આપ્યાં. - સુકૃતપૂર્ણ દશરથ-પુત્ર-રામ અને લક્ષમણ આતશય પ્રભાવ પ્રાપ્ત કરનારા થયા. પ્રીતિવાળો દેવ પણ ત્યાર પછી પોતાના સ્થાને ચાલ્યો ગયો. પૂર્વભવમાં કરેલાં સુકૃતના કારણે મનુષ્ય વીર, ઘણાં રત્નની સમૃદ્ધિવાળો, સુન્દર રૂપવાળે, ભગયુક્ત થાય છે. વિમલ અને ધવલ ચિત્તવાળા જે પુરુષે ધર્મનું સેવન કરે છે, તેઓ શત્રુ–સમૂહની વચ્ચે પણ યશ પ્રાપ્ત કરનારા થાય છે. (૮૮) પદ્મચરિત વિષે વિઘા–સન્નિધાન નામના ઓગણસાઠમા પવને પ. પૂ૦ આગદ્દારક આચાર્ય શ્રીઆનન્દસાગરસૂરિશ્વરજી મ. ના શિષ્ય આ. શ્રીહેમસાગરસૂરિએ કરેલ ગૂર્જરાનુવાદ પૂર્ણ થયે [૫૯] [ સં. ૨૦૨૫ અધિક આષાઢ શુક્લ તૃતીયા બુધવાર તા. ૧૮-૬-૬૯ મોતીશા શેઠ જૈન દેરાસર, ભાયખાલા] [૬૦] સુગ્રીવ-ભામંડલનો સમાગમ આ સમયે કેસરીસિંહથી જોડાએલા રથમાં રામ આરૂઢ થયા, હનુમાન વગેરે સુભટોથી પરિવરેલા લક્ષમણ તે જ પ્રમાણે રથમાં આરૂઢ થયા. ગરુડ ચિહ્નવાળા લમણ રણભૂમિમાં પ્રથમ પહોંચ્યા, એટલે તેને દેખીને ભુજંગાશ દશે દિશામાં પલાયન થઈ ગયા. ભયંકર ભુજંગપાશના બંધનથી મુક્ત થએલા તે બંને ખેચરસ્વામી-ભામ. ડલ અને સુગ્રીવ જલ્દી પિતાની સેના પાસે આવ્યા. ત્યાર પછી તે શ્રીવિખ્યાત આદિ બેચરાધિપતિઓ રામને પૂછવા લાગ્યા કે-“હે સ્વામી! આપને આવી શ્રેષ્ઠ વિભૂતિ ક્ષણવારમાં કેવી રીતે ઉત્પન્ન થઈ? તેના પ્રત્યુત્તરમાં રામે જણાવ્યું કે-કઈ વખત Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004884
Book TitlePaumchariya
Original Sutra AuthorN/A
AuthorHemsagarsuri
PublisherVallabhsuri Smarak Nidhi Godiji Jain Derasar Mumbai
Publication Year1914
Total Pages520
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy