________________
190
પૂ. ભા. જે તીર્થભૂમિ, અનુક્રમે વિ. સં. ૧૩૬૦ ગયા પછી લક્ષણાવતીને હમ્મીર સુલતાન સમસદ્દીન શંકરપુરના કિલા માટે ઉપયોગી પાષાણ લેવા માટે નીકળેલા તે ચંપાનગરીના બંધ દરવાજાને તેડીને તેના પથ્થશે અને બંને કમાડા લઈ ગયો.”
ચીની યાત્રી હુએનસિંગ નેંધે છે કે, “ચંપાદેશને વિસ્તાર ૪૦૦૦ “લી” થી વધારે અને તેની રાજધાનીને ૪૦ “લી” થી વધારે છે અને આ નગરી ગંગા નદીના દક્ષિણ ભાગમાં છે.”
જાયસવાલ કહે છે કે, “સમુદ્રગુપ્ત આગળ જતાં સમુદ્ર પર્યક્ત કુદરતી રીતે માર્ગ મોકળો થઈ જાય એ ઉદ્દે શથી ચંપા પ્રાંત સાથે સમતટને જોડી દીધો હતે, ઓરિસા અને કલિંગમાં સહેલાઈથી જઈ શકાય, એ બંનેને કારોબાર સારી રીતે ચાલી શકે અને બૃહદ ભારતવર્ષ સાથે સમુદ્ર માગે વ્યાપાર વધી શકે તે માટે આ માગે અનિવાર્ય હતે.”
મતલબ કે, ભગવાન મહાવીરના સમયે આ ચંપાનગરી એક સમૃદ્ધિશાળી નગરી હતી. તે પછી જુદા જુદા રાજવીઓના અધિકારમાં આવતાં તેની સીમાઓ વધતી-ધટતી. આજે તે એ નાનકડા ગામડાની દયનીય સ્થિતિમાં મુકાયેલી જેવાય છે ત્યારે કાળના વિચિત્ર ક્રીડાવિલાસની કલ્પના થઈ આવે છે.
ચૌદમા સૈકામાં રચાયેલા “વિ વધતીર્થકલપ” માં શ્રીજિનપ્રભસૂરિ કહે છે કે, “કરણ રાજાએ દાન આપવા માટે “શંગારચતુરિકા” જેવાં સ્થળો બંધાવ્યાં હતાં તે આજે પણ જેવાય છે.” એટલે ચૌદમા સૈકા પહેલાંથી આ નગરીની દશા પતનશીલ હતી? એમ માની શકાય.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org